✅✅✅✅✅✅
*♻️ઈતિહાસમાં 22 સપ્ટેમ્બરનો દિવસ*
✅✅✅✅✅✅
*⭕️⭕️વર્લ્ડ કાર ફ્રી ડે⭕️⭕️*
કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન ઘટાડવા યુરોપ સહિત વિશ્વના મોટાભાગના દેશોમાં દર વર્ષની 22 ડિસેમ્બરે 'વર્લ્ડ કારફ્રી ડે' ઉજવાય છે. કાર ત્યજીને સાઇકલ ચલાવી તેને મનાવવાની રીત લોકપ્રિય બની રહી છે.
*1965 ભારત-પાકિસ્તાન યુદ્ધનો અંત*
કાશ્મીર પચાવી પાડવા પાકિસ્તાને વર્ષ 1965ના ઓગસ્ટમાં છેડેલા યુદ્ધનો 22-23 સપ્ટેમ્બરના રોજ અંત આવ્યો હતો. આ યુદ્ધમાં ભારતનો હાથ ઉપર રહ્યો હતો, પરંતુ તાશ્કંદમાં ભારતે જીતેલો વિસ્તાર પરત આપવો પડ્યો હતો.
*અમેરિકી નિયંત્રણો હટ્યા*
વર્ષ 1998માં તત્કાલિન વાજપેયી સરકારે કરેલા પરમાણુ પરીક્ષણના પગલે અમેરિકાએ ભારત પર લાદેલા નિયંત્રણો હટાવવાની જાહેરાત જ્યોર્જ બુશ સરકારે વર્ષ 2001ની 22 સપ્ટેમ્બરે કરી હતી.
*♨️♨️♨️ઇરાક-ઇરાન યુદ્ધ: ♨️♨️♨️*
બંને પરંપરાગત દુશ્મન દેશો વચ્ચે ૮ વર્ષ સુધી ચાલેલું યુદ્ધ વર્ષ ૧૯૮૦માં આજના દિવસે શરૂ થયું હતું. ઇરાકે ઇરાનના સંખ્યાબંધ મિલિટરી બેઝ ઉપરાંત તેહરાન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બોમ્બ વરસાવીને આ યુદ્ધની શરૂઆત કરી હતી. યુદ્ધ શરૂ થતાં પહેલા ત્રણ અઠવાડિયા નાનો-મોટો સંઘર્ષ પણ ચાલ્યો હતો.
*BBCની ઇજારાશાહીનો અંત:*
વર્ષ ૧૯૫૫માં બ્રિટનમાં સ્થપાયેલી નવી ટેલિવિઝન ઓથોરિટીએ બ્રિટનની પહેલી સ્વતંત્ર ચેનલ શરૂ કરતાં બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશનની ૧૮ વર્ષની ઇજારાશાહીનો અંત આવ્યો હતો. આઇટીવી નામે ઓળખાતી આ ચેનલ પર પહેલીવાર એડવર્ટાઇઝમેન્ટ પણ પ્રસારિત કરવામાં આવી હતી.
*⚗નેટ જીઓનો પહેલો ઇશ્યૂ:*
દુનિયાના સર્વશ્રેષ્ઠ સાયન્સ, હિસ્ટ્રરી અને નેચર મેગેઝીન નેશનલ જીઓગ્રાફીનો વર્ષ ૧૮૮૮ના ઓક્ટોબર મહિનાનો પહેલો ઇશ્યૂ આજના દિવસે પબ્લિશ થયો હતો. આજે દુનિયાની ૪૦ અલગ અલગ ભાષાઓમાં એક સાથે પ્રકાશિત આ મેગેઝીનની ૬૮ લાખથી પણ વધુ નકલો વેચાય છે.
*1539 : ગુરુનાનકનું અવસાન થયુ.*
1908 : બલ્ગેરિયા સ્વતંત્ર થયુ.
*1931 : ગાંધીજી લંડનમાં ચાર્લિ ચેપ્લિનને મળ્યા.*
*1977 : જમાત-એ-ઇસ્લામ નાં સંસ્થાપક મૌલાના અબ્દુલ અલીનું અવસાન થયુ.*
1994 : ગાયક જી. એન. જોષીનું અવસાન થયુ.
No comments:
Post a Comment