# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 22 September 2017

સત્‍યશોધક સમાજ' ના સ્‍થાપક મહાત્મા જ્યોતીબા ફુલે

સત્‍યશોધક સમાજ' ના સ્‍થાપક મહાત્મા જ્યોતીબા ફુલે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
સત્‍યશોધક સમાજ' ના સ્‍થાપક
મહાત્મા જ્યોતીબા ફુલે
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🙏🏻પછાત અસાન જાતિમાં પ્રથમ વખત શિક્ષણ જયોત જગાવનાર જયોતિબા ફુલે🙏🏻
🌷🇮🇳🌷જન્મ👉એપ્રિલ ૧૧, ૧૮૨૭
કાટગુન, સતારા ,મહારાષ્ટ્ર, ભારત
🌷🇮🇳🌷મૃત્યુ👉નવેમ્બર ૨૮ ૧૮૯૦
પુના, મહારાષ્ટ્ર, ભારત
🌷🇮🇳🌷હુલામણું નામ 👉મહાત્મા
🌷🇮🇳🌷જીવનસાથી 👉સાવિત્રિબાઈ ફુલે
🌷🇮🇳🌷માતા 👉ચીમનાબાઇ 👉પિતા-ગોવિંદરાવ
⚜🙏🏻⚜🙏🏻⚜🙏🏻⚜🙏🏻⚜
🌷🇮🇳🌷મહાત્મા જ્યોતીબા ગોવિંદરાવ ફુલે 👉 એ એક વિચારક, સમાજ સુધારક, લેખક, તત્વચિંતક🔎, દાર્શનિક, વિદ્વાન, સંપાદક અને મહરાષ્ટ્રના ક્રાંતિકારી હતાં.
🌷🇮🇳🌷એઓ અને તેમની પત્ની સાવિત્રિબાઈ ફુલેએ સ્ત્રી 📚શિક્ષણની ચળવળનો પાયો📍 નાખ્યો. આ સિવાય તેઓ શિક્ષણ, ખેતીવાડી, જ્ઞાતિપ્રથા, સ્ત્રીઓ અને વિધવાઓના ઉત્થાન અને અસ્પૃશ્યતા 🤝નિવારણ ના ક્ષેત્રોમાં પણ તેમનું મહત્ત્વપૂર્ણ યોગદાન હતું.
🌷🇮🇳🌷તેમનું પ્રમુખ યોગદાન સ્ત્રીઓ અને નીચી જ્ઞાતિના મનાતા લોકોના શિક્ષણ ક્ષેત્રે હતું. પોતાની પત્નીને ભણાવ્યા પછી ૧૮૪૮માં તેમણે ભારતની બાલિકાઓ માટેની ભારતની 🏡પ્રથમ શાળા શરૂ કરી.
🌷🇮🇳🌷તે જમાનામાં બ્રાહ્મણો દ્વારા મનુ સંસ્‍કૃત અનુસાર ભરવાડ, ચમાર, કુંભાર, વણકર, સગર, સતવારા, સુથાર, લુહાર, કબણી, મોચી, કોળી, રબારી જેવી બીજી અને પછાત જાતિઓને 📚શિક્ષા મેળવવવાનો અધિકાર ન હતો. ત્‍યારે હજારો વર્ષથી આ અજ્ઞાની જાતિઓમાં ભારતમાં સૌ પ્રથમ શિક્ષણની જયોત 🔥ફેલાવવાનું સૌપ્રથમ કાર્ય જયોતિબા ફુલેએ કર્યુ હતું.
🌷🇮🇳🌷ઇ.સ. ૧૮૪૮ ની સાલમાં જયોતિરાવ ફુલેએ સૌપ્રથમ કન્‍યા 🏡શાળાની શરૂઆત કરી. પુનાના પંડિતો ક્રોધિત 😠થયાં. જયોતિબાને કન્‍યા વિદ્યાલયમાં કોઇ ભારતીય શીક્ષીકા ન મળવાથી તેમના 👨👩👧👦પત્‍ની સાવીત્રીબાઇ ફુલેને શિક્ષણ આપી શિક્ષણના મહાનકાર્યમાં જોડયા.
  
🌷🇮🇳🌷ભારતભરમાં કન્‍યા શિક્ષણ આપનાર પણ આ 👉દેશની પ્રથમ મહિલાસ્ત્રી શિક્ષક સાવિત્રીબાઇ ફુલે હતાં.
🌷🇮��🌷જયોતિરાવ ફુલેએ 👉તૃત્‍યા' નામનું નાટક લખીને ધર્મગ્રંથોના પ્રપંચો ભગવાનના નામ પર ચાલતા હતાં. તેનું ખંડન કર્યુ.
🌷🇮🇳🌷મહાત્‍મા જયોતિબા ફુલેએ એ જમાનામાં અનાથ આશ્રમો તથા વિધવા આશ્રમો પણ સ્‍થાપ્‍યા.
🌷🇮🇳🌷શિવાજીના નામે રાજનીતિ કરવા વાળા અજ્ઞાનીઓને ખબર નથી કે, મહાત્‍મા જયોતિબા ફુલેએ શિવાજી મહારાજની સમાધિનો જીણોધ્‍ધાર કરી પ્રજાને શિવાજીની વીરતાના લખનાર જયોતિબા ફુલે 👉સૌ પ્રથમ વ્‍યકિત હતાં.
🌷🇮🇳🌷મહાત્‍મા જયોતિબા ફુલે સ્‍પષ્‍ટ માનતા હતા કે, રાજનૈતિક ગુલામી કરતા સામાજિક ગુલામી વધુ ઘાતક અને નુકશાનકારક હોય છે.
🌷🇮🇳🌷જયોતિબા ફુલેએ ૧૮૭૩ ની સાલમાં સત્‍યશોધક સમાજ' ની સ્‍થાપના કરી. સત્‍ય શોધક  સમાજ દ્વારા ઉચનીચના ભેદભાવ દુર કરવા ધુર્ત પંડીતોથી બહુજન સમાજને જાગૃત કરવા મુર્તીપુજાનો વિરોધ કરવો, ભુતપ્રેતમાં વિશ્વાસ ન રાખવો, લગ્નોમાં બીનજરૂરી 💸ખર્ચ ન કરવો એવો અકને સમાજ ઉપયોગી કાર્યો કર્યા હતાં.
  
🌷🇮🇳🌷મહાત્‍મા જયોતીબા ફુલેએ કૃષિધન અને પશુધનને રાષ્‍ટ્રનુ મહત્‍વનું અંગ માન્‍યું હતું તેનો વૈજ્ઞાનીક ઢબે ઉપયોગ કરીને રાષ્‍ટ્રને પ્રગતીના પંથે લઇ જઇ જવા માંગતા હતાં.કિશાનોને જીવનમાં અંતીમ દિવસોમાં સાર્વજનીક અત્‍યધર્મ પુસ્‍તક લખ્‍યુ.
🌷🇮🇳🌷હીરણ્યકશીપુ અને અન્ય રાક્ષસોના સન્દર્ભમાં પુનામહારાષ્ટ્રના અને ભારતના સર્વપ્રથમ આધુનીક ક્રાન્તીકારી એવા જ્યોતીબા ફુલેએ 1872માં લખેલા 👉ગુલામગીરીપુસ્તકમાં ભારતનો પ્રાચીન 📜ઈતીહાસ સંશોધીત કરીને રજુ કર્યો છે તે આપણી હીન્દુપ્રજાને ચોંકાવનારો અને કાફી ચીન્તનીય તથા આપણા ઈતીહાસ વીશે પુન: વીચારણા કરનારો છે.
🌷🇮🇳🌷સાચા ઈતીહાસના સંશોધન અને સમાજસુધારણા માટે જ્યોતીબાએ 👉સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી. જેમાં આપણા અનેક બ્રાહ્મણો પણ જ્યોતીબાને ખુબ સહાયક બન્યાં હતા.
🌷🇮🇳🌷અંગ્રેજ સરકાર અને આપણા દેશના મહાનુભાવોએ સાથે મળીને 🤝જ્યોતીબાને 🌸મહાત્માની ઉપાધીથી 🌸વીભુષીત કર્યા હતા. જેમને માટે ગાંધીજીએ પણ કહેલું કે ,....
🌺સાચા મહાત્મા જ્યોતીબા ફુલે છે.🌺
🌷🇮🇳🌷સ્વામી સદાનન્દજી મહારાજ પોતાના ગ્રન્થ ચાર્વાકદર્શનમાં લખે છે કે 🌺ચાર્વાક એટલે પ્રાચીન ભારતના મહાત્મા ફુલે અને મહાત્મા ફુલે એટલે આધુનીક ભારતના ચાર્વાક.🌺
🌷🇮🇳🌷સ્વામી સદાનન્દજીએ આપેલી આ વીગતો જોતા લાગે છે કે મહાત્મા જ્યોતીબા ફુલેએ લખેલો 👉આર્ય બ્રાહ્મણ અને ક્ષત્રીય અસુરો વચ્ચેના સંઘર્ષનો ઈતીહાસ (જેને ઈતીહાસકારોએ પણ બ્રાહ્મણ ક્ષત્રીય સંઘર્ષ અને પુરાણકારોએ દેવાસુર સંગ્રામ કહ્યો છે) તે બૃહસ્પતીના ચાર્વાકદર્શનમાંથી સંશોધીત કરીને લીધો હોવો જોઈએ અને એવું અનુમાન બાંધવા પાછળ સ્પષ્ટ કારણ પણ છે કે જેમ આર્યપંડીતોએ ચાર્વાકદર્શનનો નાશ કર્યો છે, તેમ જ્યોતીબા ફુલે અને તેમની વીચારધારાની પણ ભારતના આધુનીક વર્ણવાદીપંડીતોએ અને શાસકોએ ઉપેક્ષા કરી છે.
🌷🇮🇳🌷ભારતના લોકો જ્યોતીબા ફુલેના નામથી સાવ અપરીચીત છે; કારણ કે દેશની શાળાકૉલેજોના 📜ઈતીહાસના ગ્રન્થોમાં અને 📚પાઠ્યપુસ્તકોમાં જ્યોતીબા ફુલે જેવા ભારતના પ્રથમ ક્રાંતીકારી મહાપુરુષનું નામ શોધ્યું જડતું નથી.
🌷🇮🇳🌷આઝાદીના 50 વર્ષ પછી શરુ થયેલી નવજાગૃતીની ચળવળને કારણે હવે આપણા સમાજના અમુક લોકોમાં અને એમના દ્વારા મહાત્મા ફુલેનું નામ ઉજાગર થવા લાગ્યું છે.
🌷🇮🇳🌷૨૮ નવેમ્‍બર ૧૯૮૦ ના રોજ રાત્રે બે વાગ્‍યે અને વીસ મીનીટે જયોતીબા ફુલેએ આ દુનીયામાંથી ચીર વિદાય લીધી 🥀
🌷🇮🇳🌷ડો.આંબેડકર છત્રપતિ  શાહુજી મહારાજ તથા અનેક મહાપુરૂષોને સામાજીક ક્રાંતીનો રાહ ચીંધનાર આ મહાત્‍મા દેશના કરોડો દલીતો, શોષીતો, કિશાનો, પછાત સમાજને રાહ ચીંધનાર મહાપુરૂષને આજે 🙏🏻ગૌરવપુર્વક યાદ કરીએ. 


No comments:

Post a Comment