*ઈતિહાસમાં ૨૦ સપ્ટેમ્બરનો દિવસ*
*વોર ઓન ટેરર*
વર્ષ 2001ની 11 સપ્ટેમ્બરે અલ કાયદાએ અમેરિકા પર કરેલા હુમલા બાદ અમેરિકી પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યુ. બુશે ઓસામા બિન લાદેન અને તેને સમર્થન આપનારા અફઘાનિસ્તાનની તાલીબાની સરકાર સામે યુદ્ધ જાહેર કર્યું હતું, જેને અમેરિકનો 'વોર ઓન ટેરર' તરીકે ઓળખે છે.
*烙અંગ્રેજોએ દિલ્હી પરત મેળવ્યું烙*
1857ના બળવાના પગલે દિલ્હી ગુમાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપનીની ફૌજ દ્વારા 20 સપ્ટેમ્બરે ભીષણ લડાઈના અંતે દિલ્હી પર પુન: કબજો કરાયો હતો. અંગ્રેજ લશ્કરે આ દિવસે બહાદુર શાહ ઝફર અને તેના દીકરાને હુમાયુના મકબરા પાસે બંદી બનાવી લીધા હતા.
*આઇરીન-ઓલિવિયા વાવાઝોડા*
આઇરીનના નામે ઓળખાયેલું એટ્લાન્ટિક મહાસાગરમાં તૈયાર થયેલું વાવાઝોડું 1971ની 20 સપ્ટેમ્બરે પેસિફિક મહાસાગર સુધી સફર ખેડનારું પહેલું વાવાઝોડું નોંધાયું હતું. વાવાઝોડાની આવી સફર અગાઉ થઈ હતી, પરંતુ તેની વૈજ્ઞાનિક નોંધ પહેલીવાર કરી હતી.
*✡પંડિત શ્રીરામ શર્મા આચાર્ય☸*
લાખો કરોડો અનુયાયીઓથી બનેલા ગાયત્રી પરિવારની સ્થાપના કરનારા સમાજ સુધારક શ્રીરામ શર્માનો જન્મ વર્ષ ૧૯૧૧માં આજના દિવસે આગ્રા નજીક થયો હતો. વિજ્ઞાન તથા ધર્મનું આધ્યાત્મિક મિલન તેમની વિચારક્રાંતિને આભારી છે.
1388 : દિલ્લીના સુલતાનનું અવસાન.
1581 : ગુરુ રામદાસનું અવસાન થયુ.
1704 : ગુરુ ગોવિંદસિંહનું અવસાન થયુ.
1857 : બ્રિટિશ સૈનિકોએ દિલ્લી પર ફરી કબ્જો કાર્યો.
*1932 : અસ્પૂશ્યતાનાં વિરોધમાં ગાંધીજીના ઉપવાસ.*
1960 : સિંધુ નદીનાં પણી વિતરણ અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંધી થઈ.
*2000 : સિડનીમાં આયોજિત ઓલમ્પિકમાં કર્ણમ મલ્લેસ્વરીએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો. અને તેઓ ભારતની પ્રથમ મહિલા બની.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ(યુયુત્સુ)9099409723*
No comments:
Post a Comment