# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday, 5 October 2018

अन्तरराष्ट्रीय शिक्षक दिवस


अन्तरराष्ट्रीय शिक्षक दिवस

अन्तरराष्ट्रीय शिक्षक दिवस
अन्तरराष्ट्रीय शिक्षक दिवस
विवरण
'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' प्रत्येक वर्ष 5 अक्टूबर को मनाया जाता है। विश्व भर में 'शिक्षक दिवस' अलग-अलग तिथियों पर मनाये जाते हैं।
तिथि
शुरुआत
उद्देश्य
दुनिया में शिक्षा का महत्व बताने में शिक्षक की भूमिका और उसकी जिम्मेदारियों को समझाने के लिए मनाया जाता है।
विशेष
साउ पोलो, ब्राज़ील के एक छोटे-से स्कूल के कुछ शिक्षकों ने 15 अक्टूबर1947 को पहली बार शिक्षक दिवस का आयोजन किया था।
संबंधित लेख
अन्य जानकारी
'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' के दिन कुछ देशों में अवकाश रहता है, किंतु बाकी देशों में उस दिन रोजमर्रा की तरह ही क्रियाकलाप होते हैं और कामकाज चलता रहता है।
अन्तरराष्ट्रीय शिक्षक दिवस '5 अक्टूबर' को मनाया जाता है। भारत में शिक्षकों को समर्पित 'शिक्षक दिवस5 सितम्बर को मनाया जाता है। रोचक बात यह है कि 'शिक्षक दिवस' विश्व के अधिकांश देशों में मनाया जाता है, लेकिन सबने इसके लिए अलग-अलग दिन निर्धारित किये हुए हैं। इसलिए कुछ देशों में 'शिक्षक दिवस' वाले दिन अवकाश रहता है, किंतु बाकी देशों में उस दिन रोजमर्रा की तरह ही कामकाजी दिन रहता है।
इतिहास
यूनेस्को ने 5 अक्टूबर को 'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' घोषित किया था। वर्ष 1994 से ही इसे मनाया जा रहा है। शिक्षकों के प्रति सहयोग को बढ़ावा देने और भविष्य की पीढ़ियों की आवश्यकताओं को पूरा करने के लिए शिक्षकों के महत्व के प्रति जागरुकता लाने के मकसद से इस विशिष्ट दिन की शुरुआत की गई थी। आज विश्व भर के लगभग सौ देशों में यह दिवस मनाया जाता है। इस दिन स्कूल-कॉलेजों आदि में अपने अध्यापकों तथा गुरुओं के सम्मान में अनेक प्रकार के कार्यक्रम आदि आयोजित किए जाते हैं।
टीचर्स कॉलेज ऑफ़ चिली
10 दिसंबर1945 के दिन चिली के महान् कविगब्रिएला मिस्ट्राल को नोबेल पुरस्कार मिला था। इस दिन को यादगार बनाने के लिए 1974 में 10 दिसंबर को 'शिक्षक दिवस' के रूप में मनाए जाने का निर्णय लिया गया। लेकिन 16 अक्टूबर1977 को टीचर्स कॉलेज की स्थापना के बाद से वहाँ 16 अक्टूबर को 'शिक्षक दिवस' मनाया जाता है।[1]
भारत में शिक्षक दिवस
स्वतंत्र भारत के पहले उपराष्ट्रपति और दूसरे राष्ट्रपतिसर्वपल्ली राधाकृष्णन का जन्म 5 सितंबर1888 को हुआ था, जिस कारण सर्वपल्ली राधाकृष्णन की याद में भारत में 'शिक्षक दिवस' मनाया जाता है, किंतु दुनिया भर में शिक्षक को महत्व देने के लिए और शिक्षक की जिम्मेदारियों को याद दिलाने के लिए 'विश्व शिक्षक दिवस' मनाया जाता है। 'विश्व शिक्षक दिवस' की विशेषता यह है कि सारे संसार में शिक्षकों की महत्ता को स्थापित किया जा सके। जहाँ भारत में 'शिक्षक दिवस' मनाने का कारण शिक्षकों के महत्व को बढ़ावा देना होता है, वहीं 'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' दुनिया में शिक्षा का महत्व बताने में शिक्षक की भूमिका और उसकी जिम्मेदारियों को समझाने के लिए मनाया जाता है।
विश्व में शिक्षक दिवस
विश्व में 'शिक्षक दिवस' के लिए अलग-अलग दिन निर्धारित हैं-
  • 1994 से यूनेस्को में 'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' मनाया जाता है। समाज में शिक्षकों के प्रति सहयोग को बढ़ावा दिया जाए और शिक्षक की जिम्मेदारियों का अहसास कराने के लिए यूनेस्को में 'अन्तरराष्ट्रीय शिक्षक दिवस' की शुरुआत की गई थी।
  • चीन ने भी 1931 में 'शिक्षक दिवस' की शुरुआत की थी, पर 1932 में चीन की सरकार ने चीन में 'शिक्षक दिवस' मनाने की अनुमति दी और यह तय किया गया कि 27 अगस्त को 'शिक्षक दिवस' मनाया जाएगा। किंतु बाद में इस घोषणा को भी वापस ले लिया गया। वर्ष 1985 में यह घोषणा की गई कि 10 सितम्बरको 'शिक्षक दिवस' मनाया जाएगा, लेकिन चीन में आज भी 'शिक्षक दिवस' को लेकर मतभेद है। चीन में बहुत से लोग यह चाहते हैं कि कंफ्यूशियस का जन्मदिन ही 'शिक्षक दिवस' के रूप में मनाया जाए।[2]
  • रूस में पहले 'शिक्षक दिवसअक्टूबर महीने के पहले सप्ताह को मनाया जाता था, लेकिन 1994 में यह तय हुआ कि रूस में 'शिक्षक दिवस5 अक्टूबर को मनाया जाएगा।
  • अमेरिका भी 'शिक्षक दिवस' को लेकर काफ़ी मतभेदों में रहा। अमेरिका में पहले 'शिक्षक दिवस' को लेकर तरीके बदले गए, फिर मई के पहले सप्ताह में 'शिक्षक दिवस' मनाना तय हुआ। आज भी अमेरिका में 'शिक्षक दिवस' पूरे सप्ताह मनाया जाता है।
  • ईरान में भी 'शिक्षक दिवस' मनाया जाता है। अयातुल्लाह मोर्तेजा की हत्या के बाद ईरान में 2 मई को 'शिक्षक दिवस' मनाया जाता है। अयातुल्लाह मोर्तेजा ईरान के मशहूर प्रोफेसरों में से एक थे, जिनकी याद में 2 मई को ईरान 'शिक्षक दिवस' मनाता है।
  • 25 नवम्बर के दिन इंडोनेशिया में 'हरि गुरू' के नाम से शिक्षक दिवस मनाया जाता है।
  • चेक गणराज्य में 28 मार्च के दिन शिक्षक दिवस मनाया जाता है, लेकिन इस दिन कोई ख़ास आयोजन नहीं किया जाता। इस दिन शिक्षक एक दूसरे को उपहार भी देते हैं।
  • सिंगापुर में 1 सितम्बर को शिक्षक दिवस मनाया जाता है। इस दिन यहाँ छुट्टी होती है और किसी भी तरह को ख़ास आयोजन नहीं होता। शिक्षक दिवस से एक दिन पहले यहाँ सारे आयोजन किए जाते हैं और आधे समय के बाद स्कूलों की छुट्टी कर दी जाती है।
  • अर्जेंटिना के सातवें राष्ट्रपति डोमिंगो फास्टिनो सार्मिएन्टो एक महान् विचारक, लेखक और शिक्षाविद के रूप में जाने जाते हैं। अपने कार्यकाल के दौरान उन्होंने कई स्कूल खुलवाए और पुस्तकालयों की स्थापना की। लैटिन अमेरिका के टीचर के रूप में पहचाने जाने वाले डोमिंगो फास्टिनो की 11 सितम्बर1888 को मृत्यु हो गई। शिक्षा के क्षेत्र में उनके बहुमूल्य योगदान के कारण ही अर्जेटिना में 11 सितम्बर को शिक्षक दिवस मनाया जाता है।
  • ऑस्ट्रेलिया में अक्टूबर के अंतिम शुक्रवार, इक्वाडोर में 13 अप्रैलहंगरी में जून के पहले शनिवार और पोलैंड में 14 अक्टूबर के दिन शिक्षक दिवस मनाया जाता है।
  • अल साल्वाडोर में 22 जून को मनाए जाने वाले शिक्षक दिवस के दिन राष्ट्रीय अवकाश होता है। ओमान, सीरियामिस्र, लीबिया, कतरबहरीनसंयुक्त अरब अमीरात, यमन, ट्यूनिशिया, जॉर्डन, सउदी अरब, अल्जीरिया, मोरक्को और अन्य इस्लामी देशों में 28 फ़रवरीको शिक्षक दिवस के रूप में मनाया जाता है।
साउ पोलो में मना पहला शिक्षक दिवस
15 अक्टूबर, 1827 के दिन प्रेडो-I ने ब्राज़ील में प्राथमिक स्कूलों की स्थापना सम्बंधी आदेश दिया था। इसी दिन की याद में साउ पोलो के एक छोटे से स्कूल के कुछ शिक्षकों ने 15 अक्टूबर1947 को पहली बार शिक्षक दिवस का आयोजन किया था। धीरे-धीरे पूरे देश में शिक्षक दिवस मनाया जाने लगा और 1963 में आधिकारिक रूप में इस दिन को शिक्षक दिवस का दर्ज़ा दे दिया गया।[1]
पहला अल्बानी स्कूल
7 मार्च1867 में अल्बानिया में अल्बानी भाषा में पाठन करने वाला प्रथम स्कूल खुला था, जिसके कारण यहाँ 7 मार्च को शिक्षक दिवस मनाया जाता है।


Thursday, 4 October 2018

મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ -૧૫૨૬


મુઘલાઈ યુદ્ધોઃ પાણીપતનું પહેલું યુદ્ધ -૧૫૨૬





પ્રકાશન તારીખ14 Aug 2018





 





 





ગત હપ્તામાં આપણે જોયું કે બાબર હિન્દુસ્તાન વિજય માટે સતત તલપાપડ હતો. ઈબ્રાહિમ લોદી સાથેની વેરભાવનાને લઇ મેવાડનો રાણો સાંગા પણ બાબરને ભારત તેડી લાવી લોદી વંશનો નાશ કરવા ઈચ્છતો હતો. ટૂંકમાં બાબરના પોતાના ઉપરાંત ભારતમાં પણ આક્રમણ માટેના ઉજળા સંજોગો હતા. પરંતુ હિન્દુસ્તાન જીતતાં પહેલાં અફઘાનિસ્તાનથી લઇ હિન્દ સુધી પહોચવું એ ૧૬મા સૈકામાં સાત કોઠા ભેદવા જેવું દુષ્કર કામ હતું. તેથી બાબરે સીધા ભારત પર ચડી આવવાને બદલે ટુકડે-ટુકડે ભારત સુધી આવવાની યોજના બનાવી.



હિન્દુસ્તાન જીતતાં પહેલાં અફઘાનિસ્તાનથી લઇ હિન્દ સુધી પહોચવું એ ૧૬મા સૈકામાં સાત કોઠા ભેદવા જેવું દુષ્કર કામ હતું. તેથી બાબરે સીધા ભારત પર ચડી આવવાને બદલે ટુકડે-ટુકડે ભારત સુધી આવવાની યોજના બનાવી.

સૌપ્રથમ ઈ.સ. ૧૫૦૪માં એણે કાબુલ પર હુમલો કર્યો અને કાબુલ પર કબજો કર્યો. આ વિજય પછી યાર હુસૈન નામના સેનાપતિની સલાહથી તબક્કાવાર ભારત વિજયની યોજના બનાવી. કાબુલ જીત્યા પછી ઈ.સ. ૧૫૦૫માં કાબુલથી બાદામ ચશ્માં અને જગદામિક થઇ અદમીપુરપહોચ્યો. ત્યાંથી આગળ વધી કુંદા ગુંબજમાં પડાવ નાખી વિશ્રામ લીધો. થોડા દિવસના રોકાણ પછી બાબર અને તેનું સૈન્ય જલાલાબાદ થઈ ખૈબરઘાટના રસ્તે પેશાવર પહોચ્યાં. અહીંથી બાબરે સિંધુ નદી પાર કરવાને બદલે લૂંટફાટ કરતો ગઝની ગયો અને ચાર મહિના પછી પુન: ૧૫૦૫ના મે મહિનામાં કાબુલ પરત ફર્યો. આ હુમલાઓ દ્વારા બાબરે ભારતની વાયવ્ય સરહદ પરની પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો હતો. વાયવ્ય સીમાડા પર અફઘાનો દ્વારા થનારી પરેશનીથી બાબર વાકેફ થયો.





આખરે તે આ બધી અડચણોને ભેદતો પંજાબ સુધી આવી પહોચ્યો. આ સમયે દિલ્હીની સુલ્તાની લોદી વંશ (૧૪૫૧-૧૫૨૬)ના ઈબ્રાહીમ લોદી પાસે હતી. લોદીઓ મૂળે અફઘાન હતા. તેઓ ભારતમાં વ્યાપાર અર્થે આવેલા. લશ્કરી નોકરીઓમાં બહાદુરી અને સાહસ બતાવી અફઘાનોએ ગંજાવર પ્રગતિ કરી હતી. ૧૯ એપ્રિલ, ૧૪૫૧ના રોજ બહલોલ લોદી દિલ્હીમાં લોદી વંશનો પહેલો સુલ્તાન બન્યો હતો. તેના વંશમાં ઘણી બાબતોમાં અકબરનો પણ પુરોગામી ગણાય તેવો સિકંદર લોદી નામનો સુલતાન થઇ ગયો. કુશળ સુલતાન સિકંદરના અવસાન પછી લોદી વંશનો છેલ્લો શાસક ઈબ્રાહિમ લોદી દિલ્હીના તખ્ત પર આવ્યો.





તેનો ત્યાંના અમીરો અને સરદારો સાથે સહેજ પણ મનમેળ ન હતો. તેથી મોટાભાગના અમીરો તેની વિરુદ્ધ હતા અને દિલ્હીના તે વખતના સંજોગો એવા હતા કે અમીરોને વિશ્વાસમાં લીધા વગર કાચા-પોચા શાસકો માટે દિલ્હીની ગાદી ટકાવી રાખવી મુશ્કેલ હતી. ઈબ્રાહિમ લોદી સાથે પણ એમ જ બન્યું. ઈબ્રાહિમ લોદીની વિરોધી લોબીમાં સ્થાનિક અમીરો ઉપરાંત પંજાબના અમીરો વિશેષ હતા. તેનો ત્યાં એટલો તો વિરોધ હતો કે મોટાભાગના અમીરો બાબર દિલ્હી પર હુમલો કરે તેમ ઈચ્છતા હતા. ખુદ ઈબ્રાહિમનો કાકો આલમ ખાન આ બધાનું પ્રતિનિધિત્વ કરતો હોય તેમ બાબરને હિન્દુસ્તાન તેડી લાવ્યો હતો. તેનો ઈબ્રાહિમ સાથે વારસા વિગ્રહ ચાલતો હતો. આ સંઘર્ષમાં થયેલી બંને વચ્ચેની ઝડપમાં આલમ ખાન પરાસ્ત થયો અને ત્યાંથી ભાગી સીધો લાહોર જઈ બાબર સાથે ભળી ગયો. એનો એ અર્થ એ થયો કે માત્ર મૈત્રક કાળ અને સોલંકી યુગમાં જ આવા વિઘ્ન સંતોષીઓ નહોતા, સલ્તનત યુગમાં પણ તેની ભરમાર હતી.



ઈબ્રાહિમ લોદીનો ત્યાંના અમીરો અને સરદારો સાથે સહેજ પણ મનમેળ ન હતો. તેથી મોટાભાગના અમીરો તેની વિરુદ્ધ હતા અને દિલ્હીના તે વખતના સંજોગો એવા હતા કે અમીરોને વિશ્વાસમાં લીધા વગર કાચા-પોચા શાસકો માટે દિલ્હીની ગાદી ટકાવી રાખવી મુશ્કેલ હતી.


આવા હિત ચિંતકો કહો કે તકવાદીઓની બાબરને હિન્દુસ્તાન સર કરવા માટે જરૂર હતી. તેમના અનુભવો અને ગુપ્ત યોજનાઓના નિર્માણ માટે પૂરતો લાભ લેવાયો. બાબરને મદદ કરનારા એમ સમજતા હતા કે બાબર લૂંટફાટ કરી ચાલ્યો જશે અને પછી તો રાજ આપણું જ રહેવાનું છે ને? પણ આ તેમની મોટી ભૂલ હતી. બાબર હિન્દુસ્તાન પર લાંબા ગાળાની યોજના સાથે ચડી આવ્યો હતો. તે ભારતના ગદ્દારોની મદદ એક પ્યાદા તરીકે લેવા માગતો હતો અને બાબર તેની યોજનામાં ખરો ઊતર્યો હતો. પાણીપતના યુદ્ધની પૂર્વભૂમિકા રૂપે બાબર અજમાયશ કરતો હોય તેમ પોતાના તર્દીબેગ નામના સેનાપતિને ચાર હજારની સેના સાથે રવાના કર્યો. તેઓ દિલ્હી ભણી આગળ વધી રહ્યા હતા. હવે પાણીપત દ્વારા હિન્દુસ્તાન હાથવેંતમાં હતું. તેની રસિક વાતો આવતી કાલે.
arun.tribalhistory@gmail.com


આભાર - અરુણભાઈ વાઘેલા


મુઘલાઈ યુદ્ધો -૧


મુઘલાઈ યુદ્ધો -૧





પ્રકાશન તારીખ13 Aug 2018





 





 





ભારતના ઈતિહાસમાં દેખીતી રીતે સન ૧૫૨૬થી ૧૭૦૭ સુધીનો ગાળો મુઘલ યુગ (મોગલ નહીં!) તરીકે પ્રસિદ્ધ છે. ભારતનો સીમા વિસ્તાર, સ્થાયી સત્તા, આર્થિક સમૃદ્ધિ, સાંસ્કૃતિક સિદ્ધિઓ વગેરે સંદર્ભે મુઘલ કાળ બેમિસાલ છે. તેનો સ્થાપક બાબર અને વર્ષ ૧૫૨૬ તથા ભારત વિજયની ઘટના પાણીપતનું પહેલું યુદ્ધ હતું.





પાણીપતનું પહેલું યુદ્ધ ભારતના ઇતિહાસમાં યુગપરિવર્તનકારી હતું. દિલ્હી સલ્તનતના છેલ્લા સુલ્તાન ઈબ્રાહીમ લોદી વચ્ચે ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયેલા આ યુદ્ધનો નાયક બાબર હતો. તેથી પાણીપતના યુદ્ધ પર જતા પહેલાં બાબરના વ્યક્તિત્વને ઉઘાડતી થોડીક વાત કરવી જ જોઈએ.



પાણીપતનું પહેલું યુદ્ધ ભારતના ઇતિહાસમાં યુગપરિવર્તનકારી હતું. દિલ્હી સલ્તનતના છેલ્લા સુલ્તાન ઈબ્રાહીમ લોદી વચ્ચે ૨૧ એપ્રિલ ૧૫૨૬ના રોજ થયેલા આ યુદ્ધનો નાયક બાબર હતો.


બાબરનું આખું નામ ઝહિરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર તેની ઉપાધિ હતી. ૧૪ ફેબ્રુઆરી ૧૪૮૩ના રોજ ભારતમાં મુઘલિયા સલ્તનતની સ્થાપના કરનાર બાબરનો જન્મ સમરકંદના ફરગનામાં થયો હતો. બાબર માતૃપક્ષે ચંગેઝ ખાન અને પિતૃપક્ષે મોંગોલ હતો. આમ તેનામાં તુર્ક અને મોંગોલ રક્તનું મિશ્રણ હતું. પિતાના અવસાન પછી ૧૧ જુન સન ૧૪૯૪માં તે ફરઘાનાનો શાસક બન્યો. ત્યારે તેની વય માત્ર ૧૧ વર્ષ, ૪ મહિના અને ૮ દિવસ હતી.





ચાર વર્ષ પછી સમરકંદનો મુખિયા બન્યો અને તેની શાસનયાત્રા શરૂ થઈ. બચપણમાં તેની બાલ્યાવસ્થાનો લાભ લઈ સ્થાનિક સરદારો તેનું રાજ્ય હડપવા માટે તત્પર રહેતા, પણ બાબરમાં નેતૃત્વના ગુણો ભારોભાર હતા. વળી પિતા અને તેના નજીકના સંબંધીઓ તેને ભાવિ શાસક તરીકે તેની મહત્ત્વાકાંક્ષાને ઉકસાવતા રહેતા. ઉદા. તરીકે દીખહાર ગામનાં મુખિયાની વૃદ્ધ માતા તૈમુર લંગના ભારત વિજયની માર્મિક અને રોચક વાતો કહેતી રહેતી અને તેનું વર્ણન સાંભળતાં જ બાબરમાં હિન્દુસ્તાન વિજયનો જુસ્સો પેદા થતો.

નિજી જીવનમાં બાબર ચુસ્ત સુન્ની મુસ્લિમ હતો. સૂફી સંતોથી ખૂબ પ્રભાવિત રહેતો. પોતાના દરેક વિજય માટે અલ્લાહને કારણભૂત ગણતો. અલ્લાહની બંદગીમાં ખૂબ આસ્થા ધરાવતો, પણ શરૂમાં એટલો ઘર્માંધ ન હતો.





પોતાના રાજકીય હેતુઓ પાર પાડવા ઈરાન વિજય દરમિયાન બાબરે કામચલાઉપણે શિયા પંથ પણ સ્વીકાર્યો હતો. આ દરમિયાન તે શિયાપંથી પાઘડી પણ પહેરતો. પરંતુ ઈરાનના શાહના સકંજામાંથી મુક્ત થતાં જ બાબરે શિયા પંથ ત્યજી દીધો હતો. બાબર વીર, ઉદાર, દીર્ઘદૃષ્ટા અને સ્પષ્ટવક્તા હતો. તે દેખાવે સુંદર, માર્મિક હાસ્ય કરનારો અને સ્વભાવે ખુશમિજાજી હતો. બાબરની વાણી મીઠી અને આડંબર વિનાની હતી. રમતો, શિકાર અને તરવાનો બાબર ઘણો શોખ ધરાવતો હતો. તરવાનો તો તેને એટલો ગાંડો શોખ હતો કે ગંગા નદી તો ખરી જ, પોતાના લશ્કરી અભિયાન દરમિયાન માર્ગમાં આવતી બધી નદીઓ તરીને પાર કરી હતી. શારીરિક શક્તિ તો એવી કે દરેક બગલમાં એક-એક માણસને દબાવી બાબર આગ્રાનો કિલ્લો ચડી જતો. પોતે શરાબનો શોખીન ખરો, પણ લતખોર નહીં.





છતાં મદ્યપાન વગર ચાલતું ય નહીં. શરાબ નહીં પીવાની પ્રતિજ્ઞાઓ પણ લેતો, પણ બાબરનો દારૂ નહીં પીવાનો સંકલ્પ બે દા’ડાથી વધુ ચાલતો નહીં. ૧૫૨૭માં ખાનવાના યુદ્ધ પછી તેણે લીધેલી મદ્યપાન ન કરવાની પ્રતિજ્ઞા ૨૪ જુન ૧૫૩૦ના રોજ એનું મૃત્યુ થયું ત્યાં સુધી પાળી હતી.



રમતો, શિકાર અને તરવાનો બાબર ઘણો શોખ ધરાવતો હતો. તરવાનો તો તેને એટલો ગાંડો શોખ હતો કે ગંગા નદી તો ખરી જ, પોતાના લશ્કરી અભિયાન દરમિયાન માર્ગમાં આવતી બધી નદીઓ તરીને પાર કરી હતી.


બાબરનું સ્મરણ બાબરી મસ્જીદના સર્જક તરીકે પણ થાય છે. તેના સેનાપતિ મીરબાંકીએ અયોધ્યામાં બાબરના નામ પરથી બાબરી મસ્જીદ બાંધી હતી. બાબરની એક ખૂબ જ મહત્ત્વની ઓળખાણ "તઝુક -એ- બાબરી" કે ‘બાબરનામા’ નામની આત્મકથાના લેખક તરીકેની છે. ચગતાઈ તુર્કી ભાષામાં લખાયેલી આ આત્મકથાની સત્ય અને વાસ્તવિકતાનું નિરૂપણ કે જે કોઈપણ આત્મકથાનું અભિન્ન અંગ છે તે મુદ્દે માત્ર ભારતના સાહિત્યિક ઈતિહાસમાં જ નહીં, એશિયાના ઇતિહાસમાં ખુબ ઊંચા સ્થાને બિરાજે છે. ઈતિહાસકારોએ તો બાબરનામાને ભારતની સમકાલીન હકીકતોનું દર્પણ કહી છે. આત્મકથાની સાથે બાબર કવિતા પણ લખતો. "મુબ્બૈયા" નામની કાવ્યશૈલીના જન્મદાતા તરીકે પણ બાબરને યાદ કરાય છે. તેણે "ફિક્ર હ-ઈ-મુબીઘાત "નામથી ધર્મગ્રંથની રચના કરી હતી .

આવા બહુઆયામી વ્યક્તિત્વના ઘની બાબરના પાનીપતના પહેલા યુદ્ધ વિષેની વાત હવે પછી કરીશું .
arun.tribalhistory@gmail.com



આભાર અરુણભાઈ વાઘેલા