# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

8 sep વિશ્વ સાક્ષરતા દિન

વિશ્વ સાક્ષરતા દિન


*૮ સપ્ટેમ્બર –વિશ્વ સાક્ષરતા દિન*
*‘દેશના વિકાસની પારાશીશી-સાક્ષરતા’*



*↕️The theme for this year's International Literacy Day is 'Literacy in Digital World'.*
*➡️➡️On 8 September, 2017 a global event will be organized at UNESCO’s Headquarters in Paris, with the overall aim to look at what kind of literacy skills people need to navigate increasingly digitally-mediated societies, and to explore effective literacy policies and programmes that can leverage the opportunities that the digital world provides.*

➖કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત  પ્રજા જ દેશનો વિકાસ કરી શકે.
વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે.
વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે  શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે. શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.

*વિયેટનામના હોંચીમીંચી  અને  ડેન્માર્કના ગુન્ટીવીન* નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરુ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું.
*તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે  આખા વિશ્વમાં ઉજવાય છે.*

*↕️↔️યુનાઇટેડ નેશન્સ એજયુકેશનલ, સોશીયલ એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન-યુનેસ્કો દ્વારા ૧૭ નવેમ્બર-૧૯૬૫માં ઘોષણા કરવામાં આવી હતી કે, સમગ્ર વિશ્વમાં ૮ સપ્ટેમ્બરના દિવસની આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિન તરીકે ઉજવણી કરવી. સમગ્ર વિશ્વમાં નિરક્ષરતાનું પ્રમાણ ઘટાડવા માટે અને નિરક્ષરતાની સમસ્યા પ્રત્યે લોકોનું ધ્યાન દોરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.*

*વિશ્વના  દેશના સાક્ષરતાદર માટે  આંકડાકીય માહિતી પર એક નજર નાખીએ તો  એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં* *ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે *
*✅૧૯૯૧માં ૬૧.૬%,*
*✅૨૦૦૧માં તે વધીને ૬૯.૧%અને,*
*✅જયારે ૨૦૧૧માં ૭૯.૩%*
*હાલના અભ્યાસ મુજબ ભારતમાં ૭૪.૦૪ %.*
*જે ભારતમાં અનુક્રમે  એટલેકે  ૫૨.૨% , ૬૪.૮૪% અને હાલમાં ૭૪.૦૪% જોવા મળ્યો છે.*

*સ્ત્રીઓમાં સાક્ષરતા દર  ગુજરાતમાં *
૧૯૯૧માં ૪૮.૯%,
૨૦૦૧માં ૫૭.૮%,
જયારે ૨૦૧૧માં  ૭૦.૭%.

*જેની સરખામણીએ ભારતમાં તે દર અનુક્રમે*
*‍♀૩૯.૨૯%, ૫૩.૬૭%, ૬૫.૪૬%જોવા મળ્યું છે.*

*આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે  ગુજરાતમાં પુરુષોમાં  ૮૨.૧૪%ની સરખામણીએ  સ્ત્રીઓમાં ૬૫.૪૬% સાક્ષરતા દર હોવાથી હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ  પ્રત્યે ઉદાસીનતા  વધુ જોવા મળે છે.*

*ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા.૫ મે ૧૯૮૮ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી.*
*જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા,અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.*
*♻️ગુજરાતમાં ૧૯૯૧માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા.*
થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર  રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.
સરકાર દ્વારા  નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત  ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે.
ત્યારે શાળાઓમાં શિક્ષકોએ  સજાગપણે શાળાના બાળકોમાં *ડ્રોપ-આઉટ રેશીઓ* ઘટાડવાસાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર  કરવા પ્રયત્ન કરવો જરૂરી છે.
*♦️તો આ  અંતર્ગત “સબ પઢે સબ બઢે” અને “ઈચ વન ટીચ વન”જેવા સુત્રોને સાર્થક કરવા  દરેક જાગૃત નાગરિક  અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને  એ જ આજના દિવસનો સંદેશ!*



વિશ્વ સાક્ષરતા દિન જગતમાં દર વર્ષે આઠમી સપ્ટેમ્બરના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાની જાહેરાત યુનેસ્કો (UNESCO) તરફથી ઈ. સ. ૧૯૬૫ના વર્ષમાં સત્તરમી નવેમ્બર ના દિવસે કરવામાં આવી હતી. આ દિવસની ઉજવણીની શરૂઆત ઈ. સ. ૧૯૬૬ના વર્ષથી કરવામાં આવી હતી. આ દિવસને વિશ્વ સાક્ષરતા દિન તરીકે ઉજવવાનો મુખ્ય હેતુ સાક્ષરતાનું મહત્વ દરેક વ્યક્તિ, સમુદાય તેમ જ સમાજને સમજાવી અને તેના વિષે જાગૃતિ લાવવાનો છે.


૮ સપ્ટેમ્બર –વિશ્વ સાક્ષરતા દિન ‘દેશના વિકાસની પારાશીશી-સાક્ષરતા’



કોઈ પણ દેશનો વિકાસ તેના સાક્ષરતા આક પરથી નક્કી થાય. દેશની શિક્ષિત  પ્રજા જ દેશનો વિકાસ કરી શકે. વિશ્વમાં શાંતિ અને સારા સમાજના નિર્માણ માટે સાક્ષરતાનું મહત્વ ખુબ જ છે. વિશ્વના સૌથી વિકસિત દેશોનો અભ્યાસ કરતા માલૂમ પડે છે કે  શિક્ષિત પ્રજા જ દેશને આગળ વધવામાં મહત્વનો ફળો ધરાવે છે. શિક્ષણનું મહત્વ દરેક વ્યક્તિએ સમજવું જરૂરી છે.
વિયેટનામના હોંચીમીંચી  અને  ડેન્માર્કના ગુન્ટીવીન નામના મહાનુભાવોએ નિરક્ષરતા નાબુદી માટે તેમના દેશમાં લોકશાળાઓ શરુ કરી નિરક્ષરોને ભણાવવાનું સુંદર દેશ ઉપયોગી કાર્ય કર્યું હતું. તેમના જન્મદિન ૮ સપ્ટેમ્બરને સાક્ષરતાદિવસ તરીકે  આખા વિશ્વમાં ઉજવાય છે.
વિશ્વના  દેશના સાક્ષરતાદર માટે  આંકડાકીય માહિતી પર એક નજર નાખીએ તો  એક અભ્યાસ મુજબ એશિયાના કેટલાક દેશોની સરખામણીમાં ગુજરાતમાં સાક્ષરતાનો દર કુલ વ્યક્તિઓની રીતે  ૧૯૯૧માં ૬૧.૬%,૨૦૦૧માં તે વધીને ૬૯.૧%અને,જયારે ૨૦૧૧માં ૭૯.૩%  હાલના અભ્યાસ મુજબ ભારતમાં ૭૪.૦૪ %. જે ભારતમાં અનુક્રમે  એટલેકે  ૫૨.૨% , ૬૪.૮૪% અને હાલમાં ૭૪.૦૪% જોવા મળ્યો છે. સ્ત્રીઓમાં સાક્ષરતા દર  ગુજરાતમાં  ૧૯૯૧માં ૪૮.૯%,૨૦૦૧માં ૫૭.૮%,જયારે ૨૦૧૧માં  ૭૦.૭%. જેની સરખામણીએ ભારતમાં તે દર અનુક્રમે ૩૯.૨૯%, ૫૩.૬૭%, ૬૫.૪૬%જોવા મળ્યું છે.આમ પ્રમાણ વધવા સાથે એ પણ એટલું જ સાચું છે કે  ગુજરાતમાં પુરુષોમાં  ૮૨.૧૪%ની સરખામણીએ  સ્ત્રીઓમાં ૬૫.૪૬% સાક્ષરતા દર હોવાથી હજુ ભારતમાં અને ગુજરાતમાં ખાસ કરીને ગામડાઓમાં સ્ત્રીઓમાં શિક્ષણ  પ્રત્યે ઉદાસીનતા  વધુ જોવા મળે છે.
ભારતીય બંધારણની જોગવાઈ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓને આધીન ૧૫ થી ૩૫ વયજુથની વ્યક્તિઓને સાક્ષર કરવાના હેતુથી તા.૫ મે ૧૯૮૮ના રોજ રાષ્ટ્રીય સાક્ષરતા મિશનની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં ૩ તબક્કામાં સંપૂર્ણ સાક્ષરતા,અનુ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.ગુજરાતમાં ૧૯૯૧માં સંપૂર્ણ સાક્ષરતા કાર્યક્રમ હેઠળ પ્રથમ ૨ જીલ્લા ગાંધીનગર અને ભાવનગર બાદ તબક્કાવાર બધા જીલ્લાઓને આવરી લેવાયા.થોડા વખત માટે રાત્રી વર્ગો, પ્રૌઢો માટે વર્ગોમાં મોટી ઉમરના લોકો કે જે નિરક્ષર  રહી ગયા હતા તેમને સાક્ષર કરવામાં આવતા હતા.
સરકાર દ્વારા  નિરંતર શિક્ષણ કાર્યક્રમ અંતર્ગત  ગ્રામ્ય અને શહેરી બેય વિસ્તારોમાં નિરક્ષર વ્યક્તિઓને શિક્ષણ આપી રાજ્યને સંપૂર્ણ સાક્ષર બનાવવાનું નિરંતર શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે.ત્યારે શાળાઓમાં શિક્ષકોએ  સજાગપણે શાળાના બાળકોમાં ડ્રોપ-આઉટ રેશીઓ ઘટાડવાસાથે કન્યાકેળવણીમાં ઉદાસીનતા માટે કારણભૂત પરિબળો જાણી તેને દૂર  કરવા પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ  અંતર્ગત “સબ પઢે સબ બઢે” અને “ઈચ વન ટીચ વન”જેવા સુત્રોને સાર્થક કરવા  દરેક જાગૃત નાગરિક  અને સામાજિક સંસ્થાઓ પણ વિવિધ સાક્ષરતા કાર્યકમો દ્વારા આસપાસમાં નિરક્ષર વ્યક્તિઓને અક્ષરજ્ઞાન આપી, પરોક્ષ રીતે રાજ્ય અને દેશમાંથી સંપૂર્ણ નિરક્ષરતા નાબુદી માટે સજ્જ બને  એ જ આજના દિવસનો સંદેશ!

No comments:

Post a Comment