# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

સાંચી સ્તૂપ

સાંચી સ્તૂપ
સાંચી, ભોપાલથી વિદિશા તરફના રસ્તે તે ૪૮ કી.મી. દૂર આવેલું છે. ભોપાલથી વિદિશા ૫૭ કી.મી. છે. આ સ્તૂપ, મૌર્ય રાજા અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર અર્થે તે ઈ.સ. પૂર્વે ૩જી સદીમાં બંધાવ્યો હતો. સ્તૂપ ૧૬ મીટર ઉંચો છે. સ્થાપત્ય બૌદ્ધ શૈલીનું છે. પત્થરના અર્ધગોળાકાર ઘુમ્મટની અંદરનું બાંધકામ ઇંટોનું છે. વચ્ચેના હોલમાં બુદ્ધ સંબંધી ચીજો રાખેલી છે. સ્તૂપની ફરતે ગેલેરી છે, તથા ચાર દિશામાં ગેટ છે. બાજુમાં બે થાંભલા પર કલાત્મક બાંધકામ છે. આ એક જાણીતું બૌદ્ધ સ્મારક છે. હજારો લોકો જોવા આવે છે. યુનેસ્કોની વર્લ્ડ હેરીટેજ સાઈટમાં છે. જોવા માટે નવેમ્બરથી માર્ચનો સમય વધુ અનુકુળ છે. અહીં ચેટીયાગિરિ બૌદ્ધ મંદિર છે. આ સ્તૂપ, એક વિહાર છે.
1_Sanchi stupa
2_Sanchi stup
3_Gate to the Stupa
4_Pillar of the date
5_Arch of the gate
6_Carving on pillar
7_Carving of prayer
8_Carving
9_Elephants carving

No comments:

Post a Comment