# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 8 September 2017

કીર્તિ મંદિર

કીર્તિ મંદિર

પોરબંદરમાં મહાત્મા ગાંધીજીનું આ સ્મારક મંદિર છે. પોરબંદરમાં ગાંધીજી ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ જે ઘરમાં જન્મ્યા હતા તે પુરાણા ઘરની આજુબાજુ જ આ કીર્તિમંદિર બનાવાયું છે. આ મંદિર બાંધવામાં પોરબંદરના મહારાજા શ્રીનટવરસિંહજી અને રાજરત્ન શ્રીનાનજી કાલિદાસ મહેતાનો મોટો ફાળો છે. પુરુષોત્તમ મિસ્ત્રીએ બાંધકામ કર્યુ છે. કીર્તિ મંદિર ૧૯૫૦માં બનીને તૈયાર થયું, અને સરદાર વલ્લભભાઈ પટેલે તે પ્રજા માટે ખુલ્લું મૂક્યું. મંદિરની ઉંચાઇ ૭૯ ફૂટ છે, જે ગાંધીજીની ૭૯ વર્ષની ઉમરનો નિર્દેશ કરે છે. ગાંધીજીને બધા ધર્મો પ્રત્યે આદર હતો, કીર્તિ મંદિરના સ્થાપત્યમાં એવા છ ધર્મો – હિંદુ, બૌદ્ધ, જૈન, પારસી, ચર્ચ અને મસ્જીદનું મિશ્રણ દેખાય છે. મંદિરની મધ્યમાં ગાંધીજી અને કસ્તૂરબાનાં ફૂલ સાઈઝનાં પેઈન્ટીંગ જોડે જોડે મૂકેલાં છે. તેમના પગ આગળ તેમના જીવનનાં સૂત્રો ‘સત્ય’ અને ‘અહિંસા’ લખેલાં છે. જમણી બાજુના બે રૂમોમાં અનુક્રમે મગનલાલ ગાંધી અને મહાદેવ દેસાઈનાં સ્મારકો છે. ડાબી બાજુના રૂમમાં પ્રદર્શન છે, ગાંધીજીના જૂના ફોટા છે. આ બધી રૂમોમાં ખાદી અને હસ્તકલાની વસ્તુઓ મૂકેલી છે. મંદિરમાં પુસ્તકોનું વેચાણ કેન્દ્ર અને કસ્તૂરબા મહિલા લાયબ્રેરી પણ છે. મંદિરમાં ગાંધીજી જે જગાએ જન્મેલા તે જગાએ સ્વસ્તિકનું ચિહ્ન દોરેલું છે. મંદિરમાં સાંજે ૫ વાગે ગાંધીજીનું પ્રિય ભજન ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ…’ ગવાય છે. મુલાકાતીઓને અહીં ગાંધીયુગમાં પહોંચી ગયાનો અનુભવ થાય છે. કીર્તિ મંદિર એ અગત્યનું ટુરિસ્ટ આકર્ષણ છે. ભારતના અને વિદેશના કેટલા યે મહાનુભાવોએ આ સ્થળની મુલાકાત લીધેલી છે.




No comments:

Post a Comment