*ઈતિહાસમાં 17 નવેમ્બરનો દિવસ*
*૧૭ નવેમ્બર નેશનલ એપિલેપ્સિ ડેઃ આંચકીની સારવાર શક્ય છે. પુર્વગ્રહ છોડો.*
*"ઇન્ડિયન મેડિકલ એસોસિએશન" તથા "ઇન્ડિયન એપિલેપ્સી સોસાયટી" દ્વારા દર વર્ષે ૧૭ નવેમ્બરના દિવસને "નેશનલ એપિલેપ્સી ડે" તરિકે ઉજવવામાં આવે છે.* આ દિવસે *એપિલેપ્સી અર્થાત આંચકી કે વાઇથી પીડિત દર્દિઓ તથા તેના સગા સ્નેહીઓ માટે વિવિધ જન-જાગૃતી કાર્યક્રમો યોજવામાં આવે છે.* તેમજ સારવાર અંગે ની સમજ આપવામાં આવે છે.
*વિશ્વ આરોગ્ય સંસ્થાના તારણ પ્રમાણે હાલ વિશ્વમાં પાંચ કરોડથી વધુ લોકો આંચકીની બિમારી થી પીડાય છે.જે પૈકી ૮૦% લોકો ભારત જેવા વિકાસશિલ દેશોમાંના છે. આંચકીની બિમારીમાં ૭૦% કરતા વધુ કેસમાં દવાઓ અકસિર પુરવાર થાય છે પરંતુ દુર્ભાગ્યે અરધા કરતા વધુ લોકો સુધી જાગૃતીના અભાવે આ દવાઓ પહોંચી શકતી નથી. તેઓ ગેરમાન્યતાને લીધે, માહીતીના અભાવે કે સાથે સંકળાયેલ પુર્વગૃહની ભાવનાથી સારવારથી દુર રહે છે અને ઓચિંતા રસ્તા પર, વાહન ચલાવતા અકસ્માતનો ભોગ બને છે. અને ક્યારેક તે જીવલેણ પુરવાર થાય છે.*
*આંચકી ના ઘણા પ્રકારો છે જેવાકે* જનરલાઇઝ્ડ ટોનિક ક્લોનિક સિઝર, એબસેન્સ સિઝર, એટોનિક સિઝર, માયોક્લોનિક સિઝર. આ ઉપરાંત કેટલાક કેસ માં માથામાં ઇજા પછી કે કેટલાક રસાયણૉના ફેરફારથી આંચકી થઇ શકે છે. આ પૈકી જનરલાઇઝડ ટોનિક ક્લોનિક સિઝર મુખ્ય છે. ખેંચ કે વાઇના લક્ષણો જોઇએ તો વર્તનમાં અચાનક ફેરફાર થવો, એક જ દિશામાં જોઇ રહેવું, થોડી ક્ષણો માટે શારિરીક ગતિવિધિ બંધ થઇ જવી, આંખોના ડોળા ઉપર ચડી જવા, કેટલાક કેસોમાં શરીરમાં ધ્રુજારી આવીને પડી જવું કે શરીરની સમતુલા ગુમાવવી, આંખનું પલકારા મારવુ તથા શરીરમાં ઇલેકટ્રીક શોર્ટ જેવા આંચકા અનુભવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આવું કોઇપણ લક્ષણ હોય તો એપિલેપ્સી હોઇ શકે.
· આંચકીની બિમારી નું નિદાન ક્લિનીકલ છે. (અર્થાત દર્દિ અને સગા પાસેથી જાણવા મળેલ બિમારીના ચિન્હો ના આધારે કરવામાં આવે છે)જોકે કેટલાક કેસમાં મગજ ની પટ્ટીની તપાસ ઉપયોગી નિવડી શકે. પરંતુ તેનુ મહ્ત્વ દર્દિ અને સગાઓ એ વર્ણવેલ ચિન્હો કરતા ઓછુ આંકવામાં આવે છે.
· જ્યારે પણ દર્દિ તિવ્ર ઝોંટા નો અનુભવ કરતો હોય ત્યારે તેના હાથ- પગ પકડવા કે મોંમા કોઇ કડક વસ્તુ મુકવી વગેરે ન કરવુ જોઇએ. આથી હાથ- પગ ના હાડકાઓ માં ફ્રેકચર કે મોં માં ઇજા થઇ શકે છે. (જેમ ચાલુ પંખાને બંધ કરવા તેની સ્વિચ બંધ કરવી જોઇએ, તેના પાંખીયા પકડી તેને બંધ કરવાનો પ્રયત્ન કરવો નરી મુર્ખામી છે. એજ રીતે આંચકી દરમિયાન તિવ્ર ઝોંટાનો અનુભવ કરતા હાથ-પગ તો માત્ર પંખાના પાખીયા સમાન છે. અને તેની સ્વિચ તો મગજ માં હોય છે. જે દવા વડે જ બંધ થઇ શકે છે.) આંચકી દરમીયાન જીભ કચડાવી કે જીભને થતી ઇજા મોટાભાગે આંચકીની શરુઆત ના સમયમાં થાય છે. આથી એક વખત આંચકી શરુ થઇ ગયા પછી મોં ખૉલી તેમાં કોઇ કડક વસ્તુ મુકવાનો પ્રયાસ કરવાથી માત્ર ઇજા માં વધારો થાય છે.
· આંચકી/વાઇ ના દર્દિઓ એ વાહન ચલાવવુ, તરવું, જોખમી મશીન પર કામ કરવું વગેરે જોખમી સ્થળૉ કે વ્યવસાય થી દુર રહેવુ જોઇએ. આથી અચાનક આવતા આંચકી ના હુમલાથી પોતાને અને અન્યને થતુ નુકશાન અટકાવી શકાય છે
· આંચકીના હુમલાઓ ને અવગણવા ની ભુલ કદાપી ના કરવી. આથી શરીર અને મગજ ને લાંબાગાળે નુકશાન થઇ શકે છે.
· દવાઓ નિયમીત લેવી જોઇએ. દવાનો એક પણ ભુલાયેલ ડોઝ આંચકી નોતરી શકે છે. આથી દવાઓ નિયમીત લેવી જોઇએ. દવાઓ ના ભુલાયેલ ડોઝ ઉપરાંત ઉજાગરો અને ઉપવાસ ના લીધે પણ આંચકી નો હુમલો આવી શકે છે. જે ધ્યાન રાખવુ ઘટૅ.
· સામાન્ય રીતે આંચકી ની દવાનો કોર્સ ૩ વર્ષ સુધી કરવાનો રહે છે. પરંતુ જો કોર્સ દરમિયાન આંચકી આવે તો તે સમય થી નવેસર થી કોર્સ ના ૩ વર્ષની ગણતરી શરુ થાય. (આથી દવાઓ નિયમીત લેવી. ઘણા દર્દિઓ એકાદ વર્ષ આંચકી ના આવતા જાતેજ દવાઓ બંધ કરી દે છે. પરિણામે ફરી આંચકી આવતા તેનો કોર્સ ફરી શરુ કરવો પડે છે અને કેટલાક દર્દિઓને આ એન્ટીએપીલેપ્ટીક દવાઓ જીવનભર શરુ રાખવાની જરુર પડે છે.
છેલ્લા કેટલાક સમયથી ખેંચ કે વાઇનું પ્રમાણ, ખાસ કરીને બાળકોમાં વધી રહ્યું છે અને બીજી બાજુ ખેંચ, વાઇ કે આંચકી પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણ્યા વગર લોકો તેને વળગાળ કે ગાંડપણ હોવાની ખોટી માન્યતાઓ રાખીને યોગ્ય સમયે યોગ્ય નિદાન તથા તબીબી સારવાર નથી કરાવતા ત્યારે જરૂર છે આ માન્યતા દૂર કરીને લોકોએ જાગૃકતા કેળવવાની અને બાળકોનછ યોગ્ય સમયે તપાસ કરીને સત્વરે સારવાર કરાવવાની. દર વર્ષે વિશ્વમાં તથા ભારતમાં જુદા જુદા દિવસે આ ખેંચ કે વાઇ એટલે કે એપિલેપ્સીની જાગૃકતા માટે એક ખાસ દિવસની ઉજવણી કરાય છે. ભારતમાં દર વર્ષે
૧૭ મી નવેમ્બર નેશનલ એપિલેપ્સી ડે ઉજવાય છે...
અધૂરા મહિના જન્મેલા બાળક કે ઓછુ વજન ધરાવતા બાળકમાં ગ્લુકોઝ અને ઓકિસજનની ખામીને કારણે વાઇને ખેંચ આવતી હોય છે. આમ જન્મના પ્રથમ મહિના કે પ્રથમ વર્ષથી ગમે ત્યારે ખેંચ કે વાઇ આવી શકે. પરંતુ મોટાભાગે બાળકોમાં ૩ થી ૫ ઉંમર દરમિયાન ખેંચ કે વાઇનું પ્રમાણ વધુ જોવા મળી શકે. મગજના કોષીય બંધારણમાં ખામીથી બાળકને ખેંચ વાય કે આવે છે.
ખેંચ કે વાઇના લક્ષણો જોઇએ તો બાળકના વર્તનમાં અચાનક ફેરફાર થવો, બાળકનું એક જ દિશામાં જોઇ રહેવું, થોડી ક્ષણો માટે શારિરીક ગતિવિધ બંધ થઇ જવી, આંખો ઉપર ચડી જવી, ઉપરાંત કેટલાક કેસોમાં શરીરમાં ધ્રુજારી આવીને પડી જવું, ઉપરાંત કેટલાક કેસોમાં શરીરમાં ધ્રુજારી આવીને પડી જવું,શરીરની સમતુલા ગુમાવવી, આંખનું પલકારા મારવુ તથા શરીરમાં ઇલેકટ્રીક શોર્ટ જેવા આંચકા અનુભવવા વગેરે જેવા લક્ષણો જોવા મળે છે. આવું કોઇપણ લક્ષણ હોય તો બાળકને એપિલેપ્સી હોઇ શકે.
આજે લોકોમાં એવી ખોટી માન્યતા છે કે શરીરમાં ધ્રુજારી આવવી કે ખેંચ આવવી એટલે ગાંડપણ હોવું કે વળગાડ હોવો તેમજ ખેંચ અને વાઇથી વ્યકિત હિંસાખોર બની જાય છે અને ન કરવાનું કરે છે તે તમામ માન્યતા ખોટી છે. ખેંચ કે વાઇએ કોઇપણ જાતની ગંભીર બિમારી નથી. પરંતુ હા તે કેટલાક કેસમાં જીવલેણ બની શકે છે. જો લાંબા સમય સુધી શરીરમાં ધ્રુજારી આવે અને ખેંચ અનુભવાય તો મગજને નુકસાન થઇ શકે છે. ખેંચ કે વાઇએ કેટલાક કિસ્સામાં વારસાગત પણ હોઇ શકે છે. બાળકમાં કે કોઇ પણ વ્યકિતમાં ઉપર મુજબના કોઇ પણ લક્ષણ દેખાય તોતેની સત્વરે તપાસ કરાવતી જોઇએ. જેમાં સૌપ્રથમ ઇજીજી ટેસ્ટ એટલેકે મગજની પટ્ટી કરાવવી જોઇએ. ત્યારબાદ કેટલાક કેસમાં વીડીયો ઇજીજી પણ કરી શકાય ઉપરાંત એમઆરઆઇ અને સીટી સ્કેનથી સંપૂર્ણ અને સચોટ નિદાન થઇ શકે છે. નિદાન થયા બાદ ૮૦ ટકા કેસમાં દવાઓથી સંપૂર્ણ સારવાર થઇ શકે છે.
મહત્વનું છે કે આજે દુનિયામાં લાખ્ખો લોકો ખેંચ બે વાઇથી અસરગ્રસ્ત વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા મુજબ દુનિયમાં ૫૦ લાખ લોખોને એપિલેપ્સી છે અને દર ૧૦૦ વ્યકિતએ એક વ્યકિતને ખેંચ કે વાઇ હોઇ શકે. ૭૦ ટકા વાઇથી શરૂઆત બાળપણથી થાય છે. પરંતુ વાઇ આજીવન બિમારી નથી તે સંપૂર્ણપણે મટી શકે છે
Posted by - યુવરાજસિંહ જાડેજા ગોંડલ
(યુયુત્સુ) 9099409723
Thanks
No comments:
Post a Comment