# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Sunday 28 October 2018

TAT HS Paper Solution Of General Section By Accurate Academy


💥 *TAT HS  Paper Solution Of General Section By Accurate Academy...*

આજે લેવાયેલ TAT પરીક્ષાના પ્રથમ વિભાગનું સોલ્યુશન ડાઉનલોડ કરવા નીચે ક્લિક કરો..



TAT Higher Secondary Exam Date : 28-10-2018

TAT Higher Secondary Exam 28-10-2018 General Section Question Paper

TAT - HS General Section Solution By Accurate Academy

Paper - II (Subjects) - Gujarati Medium
Psychology: Click Here
Sociology: Click Here
Economics: Click Here
English: Click Here
Sanskrit: Click Here


Wednesday 24 October 2018

STD-3/4/5 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION

STD-3 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-3 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.


STD-4 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-4 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

STD-5 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-5 PARYAVARAN- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.





MITRO PAPER SOLUTION MA  BHUL HOI SHAKE CHHE MATE CHAKASANI KARI LEVI.

AA PAPER SOLUTION MEHSANA JILLA NA CHHE - BADHA JILLA MA ALAG ALAG PAPER CHHE.


STD-6/7/8 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION

STD-6 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-6 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

STD-7 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-7 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

STD-8 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.

Posted by :

CLICK HERE TO DOWNLOAD.

STD-8 SCIENCE- FIRST SEMESTER EXAM OCTOBER 2018 PAPER SOLUTION.






MITRO PAPER SOLUTION MA  BHUL HOI SHAKE CHHE MATE CHAKASANI KARI LEVI.


AA PAPER SOLUTION MEHSANA JILLA NA CHHE - BADHA JILLA MA ALAG ALAG PAPER CHHE.


મુઘલાઈ યુદ્ધો, હુમાયુ અને બહાદુરશાહ (૧૫૩૫-૩૬) 1


મુઘલાઈ યુદ્ધો, હુમાયુ અને બહાદુરશાહ (૧૫૩૫-૩૬)





પ્રકાશન તારીખ21 Aug 2018





 





 





બાબરના મૃત્યુ પછી ઉદભવેલી રાજકીય સ્થિતિનો લાભ ઉઠાવી આખા હિંદમાં લગભગ અરાજકતાની સ્થિતિ ઊભી થઇ હતી. તેમાંથી ગુજરાત પણ બાકાત ન હતું. ગુજરાત તે સમયે દિલ્હીના સામ્રાજ્યવાદી દાયરાની બહાર હતું. અહીં મુઝફ્ફરશાહનો પુત્ર બહાદુરશાહ સુલતાન હતો. ગુજરાતની સ્વત્રંત સલ્તનત દરમિયાન જે કેટલાક ગણનાપત્ર સુલતાનો થયા તેમાંનો એક બહાદુરશાહ હતો. શિકાર અને ઘોડેસવારીનો અનહદ શોખ ધરાવતો બહાદુરશાહ દુશ્મનોને માફ કરવામાં માનતો ન હતો.



બહાદુશાહ માત્ર સામ્રાજ્ય વિસ્તાર કરવામાં જ માનતો ન હતો. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ પ્રદેશ સમાન ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધે તે પણ સતત બહાદુરશાહની નજરમાં હતું.

સલ્તનત સામેના ગુનામાં પકડાયેલા એક ઉમરાવની તો બહાદુરશાહે ચામડી ઉતરાવ્યા પછી ફાંસી દીધી હતી. બહાદુરશાહ એટલી ઝડપથી મુસાફરી કરતો કે તેને ધ્યાનમાં લઇ તેના સમયમાં "બહાદુરશાહી ઝડપ" નામનો શબ્દપ્રયોગ થતો હતો. તેનો કુચક નામનો ઘોડો પણ તીવ્ર ગતિવાળો હતો. તેણે ઠેઠ દેવગિરી સુધી યુદ્ધો કરી પશ્ચિમ ભારતનાશાસકોને ગુજરાતની આણમાં લાવ્યો હતો. તો ઘણા રાજાઓ તેના મિત્રો પણ હતા. સામ્રાજ્યવાદ નિમિત્તે તેણે નાનાં-મોટાં અનેક યુદ્ધો કર્યાં હતાં.





બહાદુશાહ માત્ર સામ્રાજ્ય વિસ્તાર કરવામાં જ માનતો ન હતો. હિન્દુસ્તાનના શ્રેષ્ઠ પ્રદેશ સમાન ગુજરાતમાં આર્થિક સમૃદ્ધિ વધે તે પણ સતત બહાદુરશાહની નજરમાં હતું. વિશાળ સમુદ્રકાંઠો ધરાવતા ગુજરાતનો દરિયાઈ વ્યાપાર વધે અને બંદરો સુરક્ષિત રહે તે પણ બહાદુશાહની પ્રાથમિકતા હતી.

બાબર પછીના હિન્દુસ્તાનનો સાનુકૂળ ફાયદો બહાદુરશાહ ઉઠાવતો હતો. ૧૫૩૨ના વર્ષે રાયસીન (સિલહિન્દ પાસે) અને ૧૫૩૩માં ચિતોડના રાજા વિક્રમાદિત્યને પરાસ્ત કર્યા. ચિત્તોડ વિજય પછી ત્યાંથી ૧૦ હાથી, ૧૦૦ ઘોડા અને એક કરોડ ટકા રોકડા આપવા જણાવ્યું. તે સમયે રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવી બહાદુરશાહથી બચાવવાની વિનંતી કરીહતી. હમણાં રક્ષાબંધન આવશે ત્યારે ભાઈ-બહેનના પ્રતીક તરીકે આ દંતકથા ચારે તરફ કહેવાશે, પણ તે દંતકથા કરતાં વિશેષ કશું જ નથી. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર ગૌરીશંકર ઓઝાના કહેવા મુજબ હુમાયુની કોઈ મદદ મેવાડની રાણી કર્ણાવતીને મળી ન હતી અને તેણે ચિત્તોડના દુર્ગમાં જૌહર કરવું પડ્યું હતું.





ચિત્તોડ પર હુમલો વગેરે દ્વારા એ છેવટે તો બહાદુરશાહ મુઘલ સત્તાનેપડકારી રહ્યો હતો. તેનો દરબાર પણ મુઘલ બાદશાહ હુમાયુ વિરુદ્ધ ષડ્યંત્રોનો અખાડો જ હતો. મુઘલ સામ્રાજ્યના વિસ્તારોમાં સેંધ મારવાની સાથે તેણે મુઘલોના શત્રુઓને વીણી વીણી પોતાના રાજ્યમાં શરણ આપ્યું હતું. પરિણામે તેનાથી અકળાઈ હુમાયુએ બહાદુરશાહને પત્ર લખી મુઘલ શાસન વિરુદ્ધની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરી મુઘલોના શત્રુઓને તરત જ પોતાને હવાલે કરીદેવા હુકમ કર્યો. પરંતુ બહાદુરશાહે તેની સરેઆમ અવગણના કરી, જે હુમાયુના ગુજરાત સાથેના યુદ્ધનું પાયાનું કારણ હતું.



રાણી કર્ણાવતીએ હુમાયુને રાખડી મોકલી ધર્મનો ભાઈ બનાવી બહાદુરશાહથી બચાવવાની વિનંતી કરી હોવાની વાત હમણાં રક્ષાબંધન આવશે ત્યારે ભાઈ-બહેનના પ્રતીક તરીકે ચારેકોર કહેવાશે. પરંતુ આ કથા તે દંતકથાથી વિશેષ કશું જ નથી.

બહાદુશાહને સીધો કરવા હુમાયુએ દિલ્હીથી કુચ કરી ચિતોડ નજીક સારંગપુરપાસે જાન્યુઆરી ૧૫૩૫માં પડાવ નાખ્યો. તે સમયે બહાદુરશાહ ચિત્તોડ સામે લડી રહ્યો હતો. તે સમયે એક સલાહકારની સલાહ અનુસરી એક દૂત હુમાયુ પાસે મોકલ્યો અને કહેવડાવ્યું કે એક પોતે વિધર્મી (કાફર) રાજા સાથે લડી રહ્યો હોઈ ઇસ્લામી પરંપરા મુજબ બીજા મુસ્લિમ શાસકે અન્ય મુસ્લિમ શાસક પર આક્રમણ ન કરવું જોઈએ. બહાદુશાહના આવા ધાર્મિક પ્રસ્તાવનો હુમાયુએ સાનુકૂળ પ્રતિસાદ આપ્યો અર્થાત્ બહાદુરશાહના ચિત્તોડ વિજય સુધી તેણે બહાદુરશાહ પર આક્રમણ નહીં કરવાનું નક્કી કર્યું. આગળ નોંધ્યું છે તેમ એ વખતે રાણી કર્ણાવતીના ધર્મના ભાઈ બનવાની ઑફરની પણ ચિંતા ન કરી, હુમાયુ રાણી કર્ણાવતીને મદદ ન કરી શક્યો. એ દ્વારા તેનો પુત્ર અકબર રાજપૂતોની મૈત્રી દ્વારા જે મેળવી શક્યો હતો તે મેળવવાની સોનેરી તક હુમાયુ ગુમાવી બેઠો હતો. હુમાયુના તટસ્થ વલણથી બહાદુરશાહ ચિત્તોડ પર રીતસર ચડી બેઠો અને ૮ માર્ચ, ૧૫૩૫ના રોજ ચિત્તોડનો કિલ્લો જીતી લીધો. આ સમયે ચિતોડ વિજયને મૂક સાક્ષીભાવે અને ઇસ્લામી પરંપરાના નામે હુમાયુએ બહાદુરશાહનો વિનાશ કરવાનો સોનેરી અવસર ગુમાવી દીધો હતો. હવે આ જ બહાદુરશાહને ઝબ્બે કરવા માટે હુમાયુએ મધ્યપ્રદેશ અને ગુજરાત સુધી રઝળપાટ કરવાની હતી.

ચિત્તોડના પતન પછી બે ઇસ્લામી દુશ્મનો ફરીથી મેદાનમાં આવ્યા. ચિત્તોડ વિજય પછી ભાગેલા બહાદુરશાહનો પીછો કરતો હુમાયુ મધ્યપ્રદેશના માળવા પહોંચ્યો. બહાદુરશાહને સૈન્ય સાથે ઘેરી લીધો. પચાસ દિવસના ઘેરના અંતે એપ્રિલ ૧૫૩૫માં હુમાયુ જીત્યો અને ૨૫ એપ્રિલ ૧૫૩૫ના રોજ બહાદુરશાહ મુઘલોથી બચવા પોતાના સેનાપતિઓ સાથે નાઠો અને માંડુના કિલ્લામાં ભરાયો. મુઘલ ફોજે માંડુને ઘેરી લેતાં બહાદુરશાહ આકરી રઝળપાટ પછી ગુજરાતમાં પેઠો. અહીં ચાંપાનેર ખાતે થયેલા આખરી યુદ્ધમાં બહાદુરશાહ પરાસ્ત થયો હતો. તેની વાત આવતી કાલે કરીશું.





arun.tribalhistory@gmail.com




Monday 22 October 2018

મુઘલાઈ યુદ્ધોઃ હુમાયુ અને બહાદુરશાહ વચ્ચેનું યુદ્ધ (ઈ.સ. 1535-36)


મુઘલાઈ યુદ્ધોઃ હુમાયુ અને બહાદુરશાહ વચ્ચેનું યુદ્ધ (ઈ.સ. 1535-36)





પ્રકાશન તારીખ20 Aug 2018





 





 





ગત હપ્તામાં આપણે ભારતમાં મુઘલ સત્તાની સ્થાપના નિમિત્તે બાબરે કરેલાં ભયાનક યુદ્ધોનો ચિતાર જોયો. પોતાના ચાર પુત્રોમાં હુમાયુ પ્રત્યે બાબરને વિશેષ લગાવ હતો. તે એટલે
સુધી કે બાબરની યુદ્ધખોર નીતિ અને રાજકીય અફડાતફડીમાં એકવાર હુમાયુ સખત માંદો પડી ગયો. તેના બચવાની કોઈ આશા ન હતી. તે વખતે બાબરે પોતાનો પ્રાણ આપી હુમાયુનો પ્રાણ બચાવવા અલ્લાહને ઈબાદત કરી હતી, પણ હુમાયુ સાજો થતો ગયો અને બાબર ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦ના રોજ મૃત્યુ પામ્યો. અહીં તે મુઘલ સલ્તનતની મજબૂત નીંવ નાખીને ગયો હતો. જે તેના પછી હુમાયુ સંભાળવાનો હતો. બાબરે અનેક પ્રકારની સાહિત્યિક રચનાઓ સાથે પોતાનું વસિયતનામું પણ લખ્યું હતું. તેમાં પુત્ર હુમાયુને સંબોધીને કેટલીક વાતો લખી હતીઃ "હે
સુપુત્ર, હિન્દુસ્તાન વિવિધ-ધર્મી લોકોનો દેશ છે. અલ્લાહની કૃપા છે કે તને હિન્દુસ્તાનની પાદશાહી મળી છે. તારા મનને પક્ષપાત અને પૂર્વગ્રહથી દૂર રાખજે. ધર્મ અને જાતિને ધ્યાનમાં રાખજે. ગાયોની કત્લ કરવાથી બચજે, જનતાનાં મનને જીતવામાં જ શાસકનું સાચું સુખ છે, ઇસ્લામની ઉન્નતિ દયાની તલવારથી શ્રેષ્ઠ છે. શિયા-સુન્નીઓને ક્ષમાદાન આપજે." અલબત્ત, બાબરનાપ્રસ્તુત વસિયતનામાને ઈતિહાસકારો શ્રદ્ધેય માનતા અચકાય છે.



એકવાર હુમાયુ સખત માંદો પડી ગયો. તેના બચવાની કોઈ આશા ન હતી. તે વખતે બાબરે પોતાનો પ્રાણ આપી હુમાયુનો પ્રાણ બચાવવા અલ્લાહને ઈબાદત કરી હતી, પણ હુમાયુ સાજો થતો ગયો અને બાબર ૨૬ ડિસેમ્બર, ૧૫૩૦ના રોજ મૃત્યુ પામ્યો.


ઈ.સ. ૧૫૦૮માં કાબુલમાં જન્મેલો હુમાયુ તારીખ ૨૯ ડિસેમ્બર ૧૫૩૦ના રોજ મુઘલ બાદશાહ બન્યો. હુમાયુનું આખું નામ નસિરુદીન મુહમ્મદ હુમાયુ હતું. ‘હુમાયુ’નો અર્થ ‘ભાગ્યશાળી’ થાય છે, પણ હુમાયુ તેના જીવનમાં આવેલી ઉથલપાથલો અને સંઘર્ષોને જોતાં કહેવાય કે તે ભાગ્યશાળી નહીં, પણ કમનસીબ હતો. જીવનમાં હુમાયુએ જેટલી ઠોકરો ખાધી તેનો મુઘલ ઇતિહાસમાં જોટો જડે તેમ નથી. તેના જીવનનો અંત પણ ઠોકર ખાવાથી આવ્યો હતો. ગ્રંથાલયની સીડી પાસે બેઠેલા હુમાયુને મુલ્લાની બાંગ સંભળાઈ અને ઝડપથી મસ્જિદ તરફ જવા જતાં તે જીવનનું પગથિયું પણ ચૂકી ગયો હતો.

ભાગ્યમાં તો જે હોય તે, પણ હુમાયુ વ્યક્તિગત ગુણોથી ભરેલો હતો. તેનું ચારિત્ર્ય ઘણું આકર્ષક હતું. સમકાલીન લેખકોએ નોંધ્યું છે કે તેનું દેવતાઈ ચારિત્ર્ય (Angelic Character) પુરુષોચિત
ગુણોથી વિભૂષિત હતું. સાહસ અને શૂરવીરતામાં તે પોતાના યુગના તમામ રાજકુમારોમાં ચડિયાતો હતો. દેખાવે સુંદર, ઋજુ, ઉદાર, નિર્ભય અને દાનવીર હતો. અનેક શત્રુઓને માફ કરી એણે પોતાની ઉદારતાનો પરિચય આપ્યો હતો. રક્તપાતથી દૂર રહેતો. પરિણામે ખુદ હુમાયુએ ઘણું સહન કરવું પડ્યું હતું. છતાં હુમાયુની છાપ પરાક્રમી અને મહાન યોદ્ધા તરીકે હતી, પણ મિજબાનીઓ કરવામાં એટલો જ મસ્ત રહેતો. એક વિજયના ઉત્સાહમાં એટલો તો તલ્લીન બની મિજબાનીઓમાં મશગુલ બની જતો પરિણામે ઘણી વાર હાથમાં આવેલી તકો સરકી જતી. શેરશાહ સુરિ અને ગુજરાતના બહાદુરશાહ સાથેનાં યુદ્ધો દરમિયાન હુમાયુએ આવી કીમતી તકો ગુમાવી હતી.



પિતા બાબરની જેમ જ હુમાયુ પણ વિદ્યાનુરાગી હતો. તે તુર્કી, ફારસી અને અરબી ભાષાઓ સારી રીતે જાણતો હતો. હુમાયુ ફારસીમાં તો કવિતાઓ પણ લખતો હતો. પિતા બાબરની આત્મકથા "તઝુક -એ- બાબરી"નો તેણે ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો હતો.

હુમાયુ પરિવાર પ્રેમી એટલે કે સગા-સંબધીઓ અને મિત્રો પર વિશેષ સ્નેહ રાખતો હતો. તેનો સગો ભાઈ કામરાન ગાદી વારસા મુદ્દે હુમાયુનો કટ્ટર વિરોધી હતો. તેનો અંત આણવા મુઘલ દરબારીઓએ કામરાનની હત્યા કરવાની સલાહ આપી, તો હુમાયુએ કહ્યું કે, ‘મારી બુદ્ધિ તો તમારા વિચારને સમજે છે, પણ આત્મા તમારી સાથે સહમત થતો નથી.’ આ જ ભ્રાતૃભાવમાં કામરાન અને બીજા ભાઈઓએ હુમાયુના માર્ગમાં અનેક કંટકો બિછાવ્યા, છતાં હુમાયુએ હંમેશાં મોટાઈ દેખાડી ભાઈઓને માફ કર્યા હતા. માત્ર ભાઈઓ તરફ જ નહીં, બેગમો અને બાળકો પ્રત્યે પણ તે ઘણો સ્નેહાળ હતો. સુન્ની હોવા છતાં બાબર જેટલો ધર્માંધ પણ નહીં. હા, એટલું ખરું કે હુમાયુ વુઝૂ કર્યા વગર અલ્લાહ કે પયગંબરનું નામ સુદ્ધાં લેતો નહિ.

પિતા બાબરની જેમ જ હુમાયુ પણ વિદ્યાનુરાગી હતો. તે તુર્કી, ફારસી અને અરબી ભાષાઓ સારી રીતે જાણતો હતો. હુમાયુ ફારસીમાં તો કવિતાઓ પણ લખતો હતો. પિતા બાબરની આત્મકથા "તઝુક -એ- બાબરી"નો તેણે ફારસીમાં અનુવાદ પણ કરાવ્યો હતો. રાજધાની આગ્રામાં દીનપનાહમાં આવેલા શેરમંડળમાં તેનું શાહી પુસ્તકાલય પણ હતું. હુમાયુ પુસ્તકોને "આધ્યાત્મિક સાથી" માનતો. તેનો દરબાર હંમેશાં કવિઓ અને ઈતિહાસકારોથી ઉભરાતો રહેતો હતો. ટૂંકમાં હુમાયુમાં એક શાસકમાં જરૂરી ગુણો તો મોજુદ હતા, સાથે વિદ્વાન અને હમદર્દ ઇન્સાન તરીકેના સદગુણો હતા. આવા અનુગામી પાસે બાબરે સ્થાપેલા મુઘલ સામ્રાજ્યને ટકાવી રાખવાની અને તેનો વિસ્તાર કરવાની જવાબદારી આવી હતી. તે નિમિત્તે હુમાયુએ નાનાં મોટાં ઘણાં યુદ્ધો કરવાં પડ્યાં. તેમાંથી ગુજરાતના સુલ્તાન બહાદુરશાહ અને અફઘાન સરદાર શેરશાહ સાથે કરેલાં યુદ્ધોની વાત આવતીકાલથી શરૂ કરીશું.
arun.tribalhistory@gmail.com




મુઘલાઈ યુદ્ધો – ખાનવાનું યુદ્ધ અને ભારતમાં મુઘલ સામ્રાજ્યનો ઉદય


મુઘલાઈ યુદ્ધો – ખાનવાનું યુદ્ધ અને ભારતમાં મુઘલ સામ્રાજ્યનો ઉદય





પ્રકાશન તારીખ19 Aug 2018





 





 





ગઈકાલે આપણે ખાનવાના યુદ્ધની કરુણતાની કહાની અને બાબરે કરેલા તેના વરવા વિજયી પ્રદર્શનની ચર્ચા કરી હતી. પાણીપતના યુદ્ધે ભારતમાં અફઘાન સત્તાને વેરવિખેર કરી નાખી હતી, તો ખાનવાના યુદ્ધે રાજપૂત સત્તાને કચડી નાખી. પછી તરત થયેલા ચંદેરી અને ઘાઘરાના યુદ્ધમાં બાબરે રહી સહી કસર પૂરી કરી હતી. ચંદેરીમાં સામનો કરી રહેલા મેદનીરાય નામના રાજપૂત રાજા અને તેના કિલ્લાઓને તોપના ગોળે ઉડાવી ચંદેરીના સૈન્યના લગભગ બધા જ સૈનિકોને મારી નાખ્યા. એટલું જ નહિ, રાજા મેદનીરાયની બે દીકરીઓને પકડી બાબરે પોતાના હુમાયુ અને કામરાન સાથે પરણાવી દીધી. ત્યાંથી આગળ વધી ચૂનારના કિલ્લા પર હુમલો કરી ઈબ્રાહિમ લોદીનો ગુપ્ત ખજાનો લૂંટી લીધો. ટૂંકમાં ખાનવાના યુદ્ધ અને રાણા સાંગા પરના વિજય પછી બાબરની શક્તિ અફાટ રીતે વધી હતી. ભારતમાં બાબર છેલ્લું યુદ્ધ ઘાઘરા ખાતે લડ્યો હતો, પણ તે સમયે ઉત્તર ભારતમાં તો મુઘલોની સ્થિતિ લગભગ બિનહરીફ જેવી હતી.



ખાનવાના યુદ્ધ અને રાણા સાંગા પરના વિજય પછી બાબરની શક્તિ અફાટ રીતે વધી હતી. ભારતમાં બાબર છેલ્લું યુદ્ધ ઘાઘરા ખાતે લડ્યો હતો, પણ તે સમયે ઉત્તર ભારતમાં તો મુઘલોની સ્થિતિ લગભગ બિનહરીફ જેવી હતી.

આ તરફ રાજસ્થાનમાં શી સ્થિતિ હતી તેના પર પણ નજર કરવા જેવી છે. ઈતિહાસકારો વચ્ચે વિવાદ હોવા છતાં બહુમતી વિદ્વાનોનો મત છે કે બાબરને હિન્દુસ્તાનમાં તેડી લાવનાર જ રાણા સાંગા હતો. તેણે બાબર સાથે સામ્રાજ્ય વિસ્તારની ગોઠવણ પણ કરી હતી, પરંતુ બંને વચ્ચે વિશ્વાસના અભાવે આ યુતિ લાંબો સમય ન ચાલી અને જે બંને મિત્રો બની રહેવા માગતા હતા તે પરસ્પર શત્રુ, એકબીજાના લોહીના તરસ્યા બની ગયા. આખરે તેનો અંત રાણા સાંગાના મૃત્યુ સાથે આવ્યો. મેવાડનું પતન અને રાણા સાંગાનું મૃત્યુ તત્કાલીન સમયે નાની સૂની ઘટના ન હતી. તેનું મૃત્યુ માત્ર મેવાડ કે રાજસ્થાન માટે જ નહીં, આખા ભારત માટે પ્રાણઘાતક સાબિત થયું હતું. કારણ કે રાજસ્થાનની સૈકાઓ પુરાણી સ્વતંત્રતા તથા એની પ્રાચીન હિંદુ સંસ્કૃતિને બરકરાર રાખવાવાળું હવે કોઈ નહોતું. આજે પણ રાણા સાંગાને હિંદુ હીરો તરીકે નવાજવામાં આવે છે. તેના જવા સાથે રાજસ્થાનમાં સ્વતંત્રતા, રાજકીય શક્તિની સાથે વિદ્યા અને કલા જેવાં ક્ષેત્રોનું પણ મોટા પાયા પર પતન થયું. સુપ્રસિદ્ધ ઇતિહાસકાર આશીર્વાદલાલ શ્રીવાસ્તવે લખ્યું છે કે ભારત વર્ષના ઇતિહાસમાં ખાનવાનું યુદ્ધ માત્ર ૧૦ કલાક ચાલ્યું. ભારતના સ્મરણીય યુદ્ધો પૈકીનું એક યુદ્ધ ખાનવાનું યુદ્ધ છે.





તેનો વીરપુરુષ રાણા સાંગા ૧૫૨૮ના જાન્યુઆરી મહિનામાં સદાને માટે પોઢી ગયો. તેની સાથે મુઘલ સત્તાને ભારતમાંથી ખત્મ કરવાની રાજપૂત ઈચ્છા પણ મરી પરવારી હતી. પાછલાં ૧૦ વર્ષથી મુઘલો પર રાજપૂત શક્તિનો ખતરો મંડરાયેલો રહેતો હતો. તેનો લગભગ અંત આવી ગયો હતો. બાબરે ભારતના મહાન રાજપૂત સંગઠનને કચડી નાખી કાળની ગર્તામાં ધકેલી દીધું. બાબરના ખાનાબદોશ જીવનનો અંત આવ્યો. ભારતના નેતૃત્વની બાગડોર રજપૂતો પાસેથી છટકી મુઘલો પાસે ચાલી ગઈ . હવે આ જ મુઘલો ભારતમાં પ્રત્યક્ષ રીતે ૧૭૪૦ અને પરોક્ષ રીતે ૧૮૫૭ સુધી રાજ કરવાના હતા. મધ્યમ માર્ગી અકબર અને
અંતિમવાદી ઔરંગઝેબનાં પરસ્પર વિરોધાભાસી વલણો હિન્દુસ્તાન મને-કમને જોવાનાં હતાં, પણ તે બધાના પાયામાં બાબર હતો.



છતાં બહુમતી વિદ્વાનોનો મત છે કે બાબરને હિન્દુસ્તાનમાં તેડી લાવનાર જ રાણા સાંગા હતો. તેણે બાબર સાથે સામ્રાજ્ય વિસ્તારની ગોઠવણ પણ કરી હતી, પરંતુ બંને વચ્ચે વિશ્વાસના અભાવે આ યુતિ લાંબો સમય ન ચાલી અને જે બંને મિત્રો બની રહેવા માગતા હતા તે પરસ્પર શત્રુ, એકબીજાના લોહીના તરસ્યા બની ગયા.

બાબર ભારતમાં ઈ.સ. ૧૫૨૬માં આવ્યો અને તેનો લગભગ પ્રત્યેક દિવસ યુદ્ધ મેદાનમાં કે યુદ્ધના વિચારોમાં વીત્યો હતો. ખાનવાના યુદ્ધ વખતે તો એટલો સંક્રાંતિની સ્થિતિમાં હતો કે તેણે ખુદ લખ્યું કે, ‘ખાનવામાં ઇસ્લામના નામ પર યુદ્ધના આ જંગમાં મેં તો શહીદ થવાનું નક્કી કરી લીધું હતું, પણ ખુદાનો શુક્રગુજાર છું કે ગાઝી બની રહ્યો.’ ખાનવાના યુદ્ધ પછી બાબરે દેખાડેલો આ હરખ લાંબો સમય ટક્યો નહીં. યુદ્ધ પછી માત્ર ત્રીજા જ વર્ષે ૨૬ ડિસેમ્બર ૧૫૩૦ના રોજ તે મૃત્યુ પામ્યો. ત્યારે તેની ઉંમર માત્ર ૪૮વર્ષની હતી. આગ્રામાં જ યમુના નદીના કાંઠે આરામ બાગમાં તેને દફનાવવામાં આવ્યો, પરંતુ ખુદ બાબરની ઈચ્છા પોતાની કબર કાબુલમાં બને તેવી હતી, જે બાબરની વિધવા બીલી મુબારકે પૂરી કરી. તેણે શેરશાહ સુરીના સમયમાં આગ્રાથી બાબરનો મૃતદેહ ઉપાડી કાબુલમાં ફરીથી દફનાવ્યો હતો.






ભારતના ઈતિહાસમાં વાવાઝોડાની જેમ ત્રાટકી યુગપરિવર્તનકારી અસરો ઉપસાવનાર બાબર સદાને માટે પોઢી ગયો, પણ ભારતમાં તે ચાર પુત્રોમાંથી મોટા હુમાયુને પોતાનું તખ્ત સોંપતો ગયો હતો. તેના સમયમાં તો ભારતમાં રીતસર અંધાધૂંધી અને અરાજકતાનું વાતાવરણ હતું. નાનાં મોટાં અનેક યુદ્ધો દ્વારા હિન્દુસ્તાન સતત ખડેપગે રહ્યું હતું. તેની વાત આવતી કાલે.
arun.tribalhistory@gmail.com




મુઘલાઈ યુદ્ધોઃ ખાનવાનું યુદ્ધ 2


મુઘલાઈ યુદ્ધોઃ ખાનવાનું યુદ્ધ (ચાલુ)



આભાર -  અરુણભાઈ  વાઘેલા

પ્રકાશન તારીખ18 Aug 2018





 





 






મુઘલ બાદશાહ બાબર સામે રાણા સાંગાના રૂપમાં ખાનવામાં એક જબરદસ્ત મુકાબલો થવાનો હતો. વીર અને પરાક્રમી રાણા પાસે વૈયક્તિક કાબેલિયતની સાથે સાથી રાજ્યોની મોટી ફોજ હતી. રાજસ્થાનના નવ રાજાઓ, ૧૦૪ રાવળ તથા રાવત તેના ઈશારા માત્રથી બધું કરવા તૈયાર રહેતા હતા, તો સૈનિક અને શસ્ત્ર સંદર્ભમાં પણ રાણા સાંગા પાસે કોઈ કમી ન હતી. ૮૦ હજારનું અશ્વદળ, ૫૦૦ લડાયક હાથીઓ અને અંદાજે ૨ લાખની સેના તથા તેમને દોરવણી આપવા માટે ૧૦૪ જેટલા સેનાપતિઓ મેવાડપતિની લશ્કરી તાકાત હતી. આવા બાહુબલી શાસક સાથે છેક કાબુલથી આવેલા બાબરે બાથ ભીડવાની હતી.



ખાનવાના યુદ્ધ પહેલા બાબરે રાણા સાંગાની શક્તિઓનો ક્યાસ કાઢવા માટે મુઘલ સૈન્યની ૧૫૦૦ સૈનિકોની બનેલી એક ટુકડી મોકલી હતી. પરંતુ આ દોઢ હજાર સૈનિકો બહુ જ ખરાબ રીતે ઘાયલ થઇ માર ખાઈ પરત ફર્યા હતા.


જોકે બાબર ઈબ્રાહિમ લોદી સાથેની જીત પછી વધુ આત્મવિશ્વાસુ બન્યો હતો. તે સતત પોતાની વ્યૂહરચનાઓ બદલતો રહેતો. ઉદાહરણ તરીકે ખાનવાના યુદ્ધ પહેલા તેણે રાણા સાંગાની શક્તિઓનો ક્યાસ કાઢવા માટે મુઘલ સૈન્યની ૧૫૦૦ સૈનિકોની બનેલી એક ટુકડી મોકલી હતી. પરંતુ આ દોઢ હજાર સૈનિકો બહુ જ ખરાબ રીતે ઘાયલ થઇ માર ખાઈ પરત ફર્યા હતા. આગળ આપણે બાબરના ઉત્તેજક ભાષણની જે વાત કરી તે આ ઘટના પછી અપાયું હતું. રાણા સાંગા સામે ભૂંડી રીતે હારેલા સૈનિકોમાં બાબરે નાટકીય ઢંગથી નૈતિક સ્તર ઊંચું ઉઠાવ્યું હતું.





હવે મુઘલ સૈનિકો રાણા સાંગા સામેના પહેલા પરાજયને ભૂલી જેહાદ કરવા માટે સજ્જ થયા હતા. બાબર પાસે રાણાની તુલનામાં ખુબ ઓછી કહી શકાય તેવી માત્ર ૪૦ હજારની જ સેના હતી. બાબરે સેનાની સાથે રહેતા દારૂનાં બધાં પીપ ઢોળાવી નંખાવ્યાં અને હવે પછી કદી દારૂ નહિ પીવાની પ્રતિજ્ઞા લીધી અને સૈનિકોને મરણિયા બની તૂટી પડવા આહ્વાન કર્યું. બીજી તરફ રાણા સાંગા ખાનવા પહોંચી પહેલો ઘા રાણાનો કરવાને બદલે વ્યૂહરચનાઓ ગોઠવતો રહ્યો. તેણે સેનાને ચાર ભાગમાં વહેંચી અગ્રગામી રક્ષક, મધ્ય પક્ષ, જમણી પાંખ અને ડાબી પાંખ એમ ચતુર્વિધ મોરચો રચ્યો. તેની સામે બાબરે પાણીપતના યુદ્ધની વ્યૂહરચના જાળવી રાખી. ૧૬ માર્ચ ૧૫૨૭ને શનિવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ખાનવાનું યુદ્ધ શરૂ થયું. ખાનવા એટલે આગ્રાથી ૩૭ માઈલ દૂર ભરતપુર અને સિકરી વચ્ચે આવેલું એક ગામ હતું.





મુઘલ અને રાજપૂત સૈન્યો ખાનવામાં ગોઠવાઈ ચૂક્યાં હતાં. રાણા સાંગાના સૈન્યમાં રહેલી મારવાડી સેનાએ પહેલો ગોળો છોડ્યો, બપોર સુધી ઘમાસાણ યુદ્ધ ચાલતું રહ્યું. દરમિયાન બાબરની તુલુગમાંએ જમણી તરફથી ભયાનક પ્રહાર કર્યો. બાબરના સેનાપતિ મુસ્તુફાની ભયાનક ગોળીબારીએ રાજપૂત સૈનિકોના હોશ ઉડાડી દીધા. તેમાંથી રાજપૂત સૈનિકો સ્વસ્થ થાય તે પહેલાં તો તરત જ તુલુગમાંની બીજી ટુકડીએ રાજપૂત લશ્કરની જમણી પાંખ પર હલ્લો બોલાવ્યો. મુઘલ તોપખાનાની ભયંકર આગવર્ષા સામે પણ રાજસ્થાની વીરો ઝીંક ઝીલી રહ્યા હતા. બાબરના આક્રમણને હજુ ધારી સફળતા મળી ન હતી. એક તબક્કે તો તે નિરાશ થઇ ચૂક્યો હતો. તેવામાં જ રાણા સાંગા અને રાજસ્થાન જ નહીં, ભારતના ભાવિનો નિર્ણય કરતી ઘટના બની. યુદ્ધને રમતનું મેદાન સમજતા રાણા સાંગા દુશ્મન સેનાના તીરથી ગંભીર રીતે ઘાયલ થયો. આમેરના રાજા પૃથ્વીરાજ અને જોધપુરનારાજા માલદેવે ઘાયલ સાંગાને બેભાન અવસ્થામાં યુદ્ધ મેદાનમાંથી ખસેડી સુરક્ષિત સ્થાને પહોચાડ્યો. તે પછી પણ મુઘલો સામે લડવાના રાજપૂતોના જુસ્સામાં કમી આવી ન હતી.






પરંતુ ભારતનાં યુદ્ધોમાં જેટલા વિજયો વિરોધી સરદારોએ પ્રાપ્ત કર્યા છે તેમાં તેઓની કુશળતા અને વ્યૂહરચનાઓ તો ખરી, પણ સ્થાનિક ગદ્દારોની ભૂમિકા પણ ઓછી ન હતી. આપણે તેની વાત વલભી-આરબ યુદ્ધ, પૃથ્વીરાજ ચૌહાણ અને અલાઉદ્દીન -પાટણના સંગ્રામ વખતે જોઈ ચૂક્યા છીએ. અહીં પણ સિલહદ નામનો વિશ્વાસઘાતી મોજુદ હતો. તેણે રાજપૂત સરદારો સાથે ખરાખરીના સમયે વિશ્વાસઘાત કરી શત્રુ સેનામાં ભળી ગયો અને રાણા સાંગા ઘાયલ થયો છે અને મેવાડની સેનામાં તે ગેરહાજર છે તેવી અત્યંત ગુપ્ત વાતો બાબર સુધી પહોંચાડી દીધી. પરિણામે આખી બાજી પલટાઈ ગઈ, સાંજ સુધીમાં તો રાજપૂત સૈનિકો પરાસ્ત થઇ ગયા. માત્ર ૧૦ કલાક ચાલેલા ખાનવાના યુદ્ધમાં ડુંગરપુર, મારવાડ, મેડતા, ઝાલાવાડ અને ઈબ્રાહિમ લોદીનો ભાઈ તથા તેનો સેનાપતિ હસન મેવાતી માર્યા ગયા.



૧૬ માર્ચ ૧૫૨૭ને શનિવારના રોજ સવારે ૯-૩૦ વાગ્યે ખાનવાનું યુદ્ધ શરૂ થયું. ખાનવા એટલે આગ્રાથી ૩૭ માઈલ દૂર ભરતપુર અને સિકરી વચ્ચે આવેલું એક ગામ હતું.


એક મત પ્રમાણે રાણા સાંગાનું પણ યુદ્ધ મેદાનમાં તે શત્રુઓના હાથે પકડાય તે પહેલા મંત્રીઓ દ્વારા વિષ દઈ દેવાથી મૃત્યુ થયું હતું, તો બીજા એક મત મુજબ રાણા સાંગાનું મૃત્યુ ખાનવાના યુદ્ધ પછી એક વર્ષે તારીખ ૩૦ જાન્યુઆરી, ૧૫૨૮ના રોજ માંડલગઢમાં થયું હતું. સૈનિકો તો અગણિત પ્રમાણમાં મર્યા હતા. યુદ્ધ પછી બાબરે માર્યા ગયેલા રાજપૂત સૈનિકોનાં માથાં ભેગાં કરી તેનો એક મિનારો બનાવી પોતાના વિજયનું વરવું પ્રદર્શન કર્યું હતું. સમકાલીન સ્રોતો જણાવે છે કે ખાનવાના યુદ્ધમાં એટલી તો નરહત્યાઓ થઇ હતી કે ખાનવાથી લઇ બયાના સુધીની ધરતી લાશોથી ઢંકાઈ ગઈ હતી. તે રીતે પાણીપત કરતાં પણ ખાનવામાં નરસંહાર વધુ થયો હતો.






ખાનવા યુદ્ધે વેરેલી ભયાનકતાની સાથે એની અસરો પણ દીર્ઘગામી રહી હતી. તેની વાત આવતીકાલે કરી ખાનવા અને બાબરના પ્રકરણને સમાપ્ત કરીશું.
arun.tribalhistory@gmail.com