# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday 31 August 2017

*⛳️ગુજરાતની જમીન અને તેના પ્રકારો ⛳️*


⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️
*⛳️ગુજરાતની જમીન અને તેના પ્રકારો*
⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️⛳️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*⛳️⛳️ઉદભવક્રિયા, રંગ, ફળદ્રુપતા વગેરે બાબતોને ધ્યાનમાં રાખી ગુજરાતની જમીનને નીચેના પ્રકારોમાં વર્ગીકૃત કરવામાં આવે છે*

*🎯🎯ℹ️. કાંપ ની જમીન (Alluvial soils)(Gujarat Land and it’s Types):⤵️⤵️⤵️⤵️⤵️⤵️*

➡️ગુજરાતના પચાસ ટકા કરતા વધુ વિસ્તારમાં કાંપ ની જમીન આવેલી છે.
*➡️કાંપ, રેતી અને માટીના પ્રમાણને ધ્યાનમાં રાખી કાંપની જમીનને બે ભાગમાં વહેચવામાં આવે છે*.

*↪️↪️(ક) નદીના કાંપની જમીન (River alluvial land):⤵️⤵️*

*➡️આ જમીનમાં ગોરાટ, ગોરાડું, ભાઠાની અને બેસર જમીનનો સમાવેશ થાય છે.*
➡️ભરૂચ જીલ્લાના જંબુસર તાલુકામાં, ખેડા જીલ્લામાં સાબરમતી અને મહી નદી વચ્ચેના પ્રદેશમાં, વડોદરા જીલ્લાના ડભોઇ અને તેની આસપાસના પ્રદેશમાં તથા સુરત જીલ્લાના કેટલાક વિસ્તારમાં *‘ગોરાટ જમીન’* આવેલી છે.
➡️સાબરમતીના પૂરના મેદાની પ્રદેશમાં અને નદીઓના ટાપુના પ્રદેશમાં કાંપના નીક્ષેપણથી રચાયેલી *‘ભાઠાની જમીન’ આવેલી છે. 🔶*
↗️↗️જે ઘઉં, શાકભાજી, સક્કરટેટી અને તડબુચના વાવેતર માટે અનુકુળ છે.

👤👤ઉતર ગુજરાત અને મધ્ય ગુજરાતની રેતાળ કાંપની જમીન *‘ગોરાડું જમીન’* તરીકે ઓળખાય છે.
⬆️⬆️આ પ્રકારની જમીન વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, બનાસકાંઠા જીલ્લામાં આવેલી છે.
➡️➡️આ જમીન ઘઉં અને ડાંગરના વાવેતર માટે અનુકુળ છે. મધ્ય ગુજરાતનો સૌથી ફળદ્રુપ પ્રદેશ *‘ગુજરાતના બગીચા’* તરીકે ઓળખાય છે. ખેડા જીલ્લાની કાંપની જમીન *‘બેસર જમીન’* તારીખે ઓળખાય છે. તમાકુના પાક માટે આ જમીન ઉતમ ગણાય છે.

*⏹⏺⏹(ખ) કિનારાની અને મુખત્રિકોણ (Delta) પ્રદેશની કાંપની જમીન:🔽🔽*

▶️▶️કચ્છના કિનારાના વિસ્તારમાં રચાયેલી આ જમીન પર અર્ધસુકી આબોહવાની અસર છે.
▶️▶️ દક્ષીણ સૌરાષ્ટ્ર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના કિનારાના પ્રદેશમાં આવી જમીનની રચના થઇ છે.
➡️➡️આ જમીન પર મીઠાના ક્ષાર અને *જિપ્સમ (ચિરોડી)* ની પોપડી આવેલી છે. આથી આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

*🎯💠2⃣. કાળી જમીન (Black Ground:🔽🔽🔽🔽⬛⬛⬛⬛⬛*

*◼️આ જમીન રંગે કાળી છે, પરંતુ તેમાં રહેલા તત્વોને આધારે તેના રંગમાં તફાવત પડે છે.*
*◼️ પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, છોટા ઉદેપુર, સાબરકાંઠા અને વડોદરા જીલ્લામાં તથા સૌરાષ્ટ્રમાં મધ્યમ કલા રંગની જમીન છે.*
*◼️આ જમીનમાં ચૂનાના તત્વો અને નાઈટ્રોજનનું પ્રમાણ ઓછું હોય છે.*
*◼️આવી જમીનમાં ડાંગર, મગફળી અને કપાસનું વાવેતર થાય છે. વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ જીલ્લામાં ઘેરા કાળા રંગની જમીન છે.*
*◼️ કપાસની ખેતી માટે આ જમીન ઉતમ છે. ગુજરાનો ‘કાનમનો કપાસ પ્રદેશ’ આ પ્રકારની જમીન ધરાવે છે.*

*▫️⬜️⬜️⬜️૩. રેતાળ જમીન (Sandy Soils🔻🔻🔻🔻🔻*

⬜️▫️⬜️૨૫ સેલ્સીયસ કરતા ઓછા વરસાદવાળા વિસ્તારમાં આ જમીન આવેલી છે.
⬜️🔲⬜️બનાસકાંઠા જીલ્લાના વાયવ્ય ભાગમાં, પાટણ અને મહેસાણા જીલ્લાના ઉતર અને પશ્વિમ ભાગમાં, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જીલ્લાના દક્ષીણ-પશ્વિમ ભાગમાં તથા કચ્છ જીલ્લામાં આ પ્રકારની જમીન આવેલી છે.
⬜️🔳⬜️આ જમીન ખેતી માટે બિનઉપયોગી છે, પરંતુ જો સિંચાઈ ની સગવડ થાય તો ખેતી થઇ શકે છે.

*🔘🔹🔘🔹૪. સ્થાનિક જમીન (Local Land🔻🔻🔻🔻🔻🔻*

⬜️🔲⬜️🔲ખવાણ અને ધોવાણ ની ક્રિયાઓને કારણે *‘પડખાઉ જમીન’* ની રચના થાય છે.
⬜️🔲આ પ્રકારની જમીન સૌરાષ્ટ્ર ના બરડાના ડુંગરાળ વિસ્તારમાં જોવા મળે છે.
⬜️🔲ભુપૃષ્ટ, બંધારણ અને રંગને આધારે સ્થાનિક પ્રદેશમાં આ જમીન ‘છેડની જમીન’, *‘ધારની જમીન’,* *‘ક્યારીની જમીન’* વગેરે નામે ઓળખાય છે.
⬜️🔵⬜️સૌરાષ્ટ્રના નીચા ભૂમિ વિસ્તારોમાં તથા જુનાગઢ જીલ્લાના દક્ષીણ ભાગમાં *‘છેડની જમીન"* આવેલી છે.
⬜️🔲⬜️આ જમીનમાં ડાંગર અને ફળફળાદીની ખેતી થાય છે. ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ અને જુનાગઢ જીલ્લાના કેટલાક વિસ્તારમાં 🔻*‘ધારની જમીન’* આવેલી છે.
▪️▫️▪️આ જમીનમાં મગફળી પુષ્કળ થાય છે.
🔹🔸🔹ખેડા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જીલ્લામાં ‘ક્યારીની જમીન’ આવેલી છે. આ જમીનમાં ડાંગરની ખેતી થાય છે.

*🔘☑️🔘☑️૫. ખાર જમીન (Saline Soil🔸🔸🔻🔻🔻*

🌊🌊🌊દરિયાકિનારાની જમીન ભરતીના પાણીના ભરાવાને કારણે બગડે છે.
🌊💦💦ખાર જમીન બનવામાં સુકી આબોહવા પણ મહત્વનો ભાગ ભજવે છે.
🌊💦અમદાવાદ, મહેસાણા, આણંદ, ગાંધીનગર, ખેડા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, બનાસકાંઠા વગેરે જિલ્લાઓમાં તથા ભાલકાંઠા અને નળકાંઠાના પ્રદેશમાં તથા સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જામનગર અને કચ્છ જીલ્લામાં ‘ખાર જમીન’ આવેલી છે.
🌊💦🌊 ગુજરાત સરકાર દ્વારા ખાર જમીન નવસાધ્ય કરી ખેતી હેઠળ લાવવાના પ્રયાસો થાય છે.

આભાર *✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏9099409723*

ગુજરાતના અભ્યારણો

ગુજરાતના અભ્યારણો
 click here 

ગુજરાતી જનરલ નોલેજ 1099 સવાલ જવાબ

ગુજરાતી જનરલ નોલેજ 1099 સવાલ જવાબ

 Click here 


ganit gammat.pdf

mughal-bharat-history-dyso-material.pdf

ss sem 1 std 7 ppt password mb

                                               ss sem 1 std 7 ppt password mb


1. BE MAHARAJYO
 Click here

2. PRUTHVI FARE CHHE
Click here

3. SARKAR
Click here

4. RAJPUT YUG
Click here

5. STHAL ANE SMAY
Click here

6. RAJYA NI SASAN VYAVASTHA
Click here

7. INDIA LOCATION  BORDER AREA AND PHYSIOGRAPHY
Click here

8. MADHYAYUG NU DILHI DARSHAN
Click here


SEM - 1 SS STD - 7 ALL UNIT PPT  FILE

PASSWORD -     MB 

Wednesday 30 August 2017

ગુજરાતનો આ નજારો 

ગુજરાતનો આ નજારો જોઇ ભૂલી જશો વિદેશી લોકેશન, ક્યારેય નહીં જોયું હોય આવું



સાપુતારા: ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે જેના પગલે તમામ નદીઓમાં પાણીની આવક થઈ છે. જેના પગલે સાપુતારા નજીક આવેલો ગીરા ધોધ પૂર બહારમાં ખીલ્યો હતો. સાપુતારામાં રેઇન ફેસ્ટિવલ વખતે જ વરસાદી વાતાવરણના કારણે પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

ચિત્રો, ઓડિયો અને વિડિયો (સામાજિક વિજ્ઞાાન)


Tuesday 29 August 2017

ભારતના રાષ્ટ્રીય પ્રતીક (લોગો) અને ભાષા વીશે થોડુ જીકે


ભારતના રાષ્ટ્રીય પ્રતીક (લોગો) અને ભાષા વીશે થોડુ જીકે

1.         ભારતના રાષ્ટ્રીય પ્રાણી - વાઘ
વાઘ ભારતમાં વન્યજીવ સંપત્તિ એક પ્રતીક છે.
2.         ભારતના રાષ્ટ્રીય પક્ષી – મોર
મોર , ભારત રાષ્ટ્રીય પક્ષી છે સૌંદર્યલક્ષી ગુણો એક પ્રતીક છે.
3.      ભારતના રાષ્ટ્રીય જળચર પ્રાણી - ગંગા ડોલ્ફીન
પવિત્ર ગંગા નદી ડોલ્ફીન શુદ્ધતા પ્રતિનિધિત્વ કરવા માટે છે . તે માત્ર શુદ્ધ અને તાજા પાણી ટકી શકે છે.
4.      ભારતના રાષ્ટ્રીય ફળ - કેરી
કેરી રાષ્ટ્રીય ફળ છે. અને અત્યંત મીઠી છે. કેરી ભારત માં વાવેતર થાય છે. તે 100 થી વધુ જાતો છે.
5.      ભારતના રાષ્ટ્રીય ફૂલ – કમળ
વૈજ્ઞાનિક Nelumbo Nucifera તરીકે ઓળખાય છે. કમળ ભારત રાષ્ટ્રીય ફૂલ છે અને જો તે પવિત્ર ફૂલ છે. નાણાં ભૂલી શાણપણ અને બોધની પ્રતીક છે . તે કાદવ ખીલે છે.
6.      રાષ્ટ્રનું ભારત પિતા - મહાત્મા ગાંધી
1944 માં જૂન 4 માંથી રંગૂન માટે આઝાદ હિન્દ રેડિયો તરીકે પ્રથમ સુભાષ ચંદ્ર બોસ " રાષ્ટ્ર પિતા" ભારત સરકાર દ્વારા મંજૂર ત્યારબાદ સંબોધવામાં આવ્યા હતા.

7.      ભારતીય રાષ્ટ્રીય ધ્વજ - ત્રિરંગી
ઊંડા કેસર ટોચ ( કેસરી ) અને તળિયે આડા ત્રિરંગો રાષ્ટ્રધ્વજ ઘેરા લીલા છે. મધ્યમાં સફેદ હોય છે , જે અશોક ચક્ર . તેની લંબાઈ માટે પહોળાઈ ના ગુણોત્તર 3:2 છે.

*8.*ભારતની રાષ્ટ્રીય રમત -હોકી
હોકી ભારત આઠ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ સાથે એક પ્રભાવશાળી રેકોર્ડ ધરાવે છે. સત્તાવાર રીતે હોકી રાષ્ટ્રીય રમત છે.*
*(હાલમાં થોડા વિવાદ ને કારણે થોડા  સમયથી રાષ્ટ્રીય રમત માંથી બહાર રાખેલ છે*)
9.      ભારતના રાષ્ટ્રગીત - જન - ગન - મન .......
જાન્યુ - ગન - મૂળ રવિન્દ્રનાથ ટાગોર દ્વારા બંગાળી કમ્પોઝ મન ગીત . હિન્દી આવૃત્તિ રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર કરવામાં આવ્યો છે .

10.     રાષ્ટ્રીય પંચાંગ - શંકા યુગ
ચૈત્ર સાથે રાષ્ટ્રીય કેલેન્ડર શક સંવંત 365 ટ્રેડીંગ સામાન્ય વર્ષે આધારે તેના પ્રથમ મહિનામાં તરીકે ઉપયોગ થાય છે ગ્રેગોરિયન કેલેન્ડર માર્ચ 22 , 1957 ના અપનાવવામાં આવ્યું હતું.

11.     ભારતના રાષ્ટ્રીય ગીત - વંદે માતરમ
બંકિમ ચંદ્ર ચેટરજી દ્વારા સંસ્કૃત અને બંગાળી ગીત વંદે માતરમ 1882 માં બનેલા છે, કે જે પ્રેરણા સ્ત્રોત છે. આ ગીત ગીત, સંસ્કૃત સત્તાવાર સ્થિતિ છે જે ભારત રીપબ્લિક ઓફ રાષ્ટ્રીય ગીત પ્રથમ બે પંક્તિઓ માં ભારતીય સ્વતંત્રતા ચળવળના એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

12.     ભારતના રાષ્ટ્રીય ચિહ્નો
ભારત રાષ્ટ્રીય પ્રતીક માં અશોક બૌદ્ધ લાયન કેપિટલ ( અશોક પિલ્લર ઉપર) છે. વિરુદ્ધ દિશામાં દરેક અન્ય આસપાસ ચાર ટાપુવાસી વાઘ સાર્વત્રિક રક્ષણાત્મક મુદ્રામાં છે. ભારત ઉત્તર પ્રદેશ રાજ્યના વારાણસી નજીક Sarnath . મુદ્રાલેખ હેઠળ ભારત દેવનાગરી લિપિ પ્રતીક " Satyameva Jayate " વધારો થઈ રહ્યો છે - જે "સત્ય હંમેશા જીતે છે " થાય છે

13.     રાષ્ટ્રીય નદી - ગંગા નદી
ગંગા ભારતમાં લાંબામાં લાંબી નદી છે. પૃથ્વી પર પવિત્ર નદી ગંગા હિન્દુઓ દ્વારા આદરણીય છે . વિશ્વના સૌથી ભારે નદી નજીક સ્થાયી વસ્તી અન્ય કોઈપણ નદી છે.

14.     ભારત ગુપ્ત ભાષા - હિન્દી
ભારત ગુપ્ત ભાષા હિન્દી છે. વિશ્વના ઘણા બધા  લોકો અને બીજા નંબર બોલાતી ભાષા છે.

15.     ભારતના રાષ્ટ્રીય અવતાર - ભારત માતા
ભારત માતા અથવા Bartamba / Bhāratāmbā (સંસ્કૃત અને હિન્દી ભારત અંબા અંબા ' માતા ' / માતા માંથી) માતા દેવી તરીકે ભારત રાષ્ટ્રીય અવતાર તે સામાન્ય રીતે એક નારંગી કે કેસર સાડી એક ધ્વજ અને એક મહિલા હોલ્ડિંગ તરીકે ક્યારેક સિંહ સાથે દર્શાવાયા છે.

✿ કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં ✿

✿ કેટલાંક પ્રસિધ્ધ સ્મારકો અને તેનાં સ્થાપકોં ✿

👉આગ્રા કિલ્લો - અકબર
👉લાલ કિલ્લો - શાહ જહાં
👉જંતર મંતર - સવાઈ જઇ સિંહ
👉ગોલ્ડન ટેમ્પલ - ગુરુ રામદાસ
👉બીબી કા મક્બરા - ઔરંગઝેબ
👉તાજ મહેલ - શાહ જહાં
👉કૂતૂબ મિનર - કૂતબૂદીન ઐબક
👉ફતેહપુરસીક્રી - અકબર
👉સન ટેમ્પલ - નરસિંહાદેવા
👉હવા મહલ - મહારાજા પ્રતાપ સિંહ
👉મક્કા મસ્જિદ - કૂલિ કૂતૂબ શાહ
👉જૂમ્મા મસ્જિદ - શાહ જહાં
👉મોટી મસ્જિદ - ઔરંગઝેબ
👉ફિરોઝ શાહ કોટલા - ફિરોઝશાહ તુઘલક
👉ચાર મિનાર - કૂલિ કૂતૂબ શાહ
👉સાબરમતી આશ્રમ - ગાંધીજી
👉બેલૂર મઠ  - રવીન્દ્રનાથ ટાગોર
👉જગન્નાથ ટેમ્પલ - અનંતવર્મંન ગંગા
👉વિષ્નુપદ ટેમ્પલ - રાની અહલ્યા બાઈ
👉લાલ બાગ હૈદર અલી
👉સંત જ્યોર્જ કિલ્લો - ઈસ્ટ ઇન્ડિયા કંપની
👉આનંદ ભવન - નહેરુ
👉બૃહદેશ્વર ટેમ્પલ - વિષ્ણુવર્ધના
👉જોધપુર કિલ્લો - રાવ જોધાજી
👉શાલીમાર ગાર્ડન - જહાંગીર
👉અજમેર શરીફ દરગાહ - સુલતાન સયાસુંદ્દિન
👉સાચી સ્તૂપ - અશોક
👉મીનાક્ષી ટેમ્પલ - તિરૂમાલા નાયક
👉ગોળ ગુંબજ - મહંમદ આદિલ શાહ
👉નાલંદા યુનિવર્સિટી - કુમારગુપ્ત

🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆🎆

s.s sem 1 adhyayan nishpatti

ફોટા ગેલેરી

💥ભૌગોલિક ઉપનામ💥

💥ભૌગોલિક ઉપનામ💥

🔥સૌરાષ્ટ્રની સંસ્કારનગરી
      👉ભાવનગર

🔥સૌરાષ્ટ્રનું કાશ્મીર
      👉મહુવા

🔥સૌરાષ્ટ્રનું પેરિસ
      👉જામનગર

🔥સૌરાષ્ટ્રની આન - બાન - શાન
     👉રાજકોટ

🔥ગુજરાતની સંસ્કારનગરી
      👉વડોદરા

🔥સાક્ષરભૂમિ
      👉નડિયાદ

🔥કચ્છનું પેરિસ
     👉મુંદ્રા

🔥સાધુઓનું પિયર
      👉ગિરનાર

🔥પુસ્તકોની નગરી
     👉નવસારી

🔥વિધાનગરી
      👉વલ્લભવિધાનગર

🔥સોનાની મૂરત
      👉સુરત

🔥સૂયૅપુત્રી
      👉તાપી

🔥મૈકલ કન્યા
     👉નમૅદા

🔥સત્યાગ્રહની ભૂમિ
     👉બારડોલી

🔥મહેલોનું શહેર
      👉વડોદરા

🔥વાડીઓનો જિલ્લો
      👉જુનાગઢ

🔥પારસીઓનું કાશી
     👉ઉદ્વવાડા

🔥સોનાની નગરી
     👉દ્રારકા

🔥ગુજરાતનો હરિયાળો બગીચો
    👉ચરોતર પ્રદેશ

🔥ઉધાનનગરી
     👉ગાંધીનગર

🔥ઔધોગિક નગરી
     👉વાપી

🔥લીલી નાધેર
      👉ચોરવાડ

🔥મંદિરોની નગરી
      👉પાલિતાણા

🔥દક્ષિણનું કાશી
      👉ચાંદોદ

🔥સુદામાપુરી
       👉પોરબંદર

🔥સાધુઓનું મોસાળ
      👉સિદ્રપુર ( પાટણ )

🔥સુવણૅ પણૅની ભૂમિ
     👉ચરોતર પ્રદેશ

🔥યુકેલિપ્ટસ જિલ્લો
      👉ભાવનગર

☞ પુસ્તકો અને તેના લેખક ☜


👉પુસ્તકો અને તેના લેખક 👈

📝 મહાત્મા ગાંધી -
👉કોંકવેસ્ટ ઓફ સેલ્ફ માય
👉એક્સપરિમેન્ટ વિથ ટ્રુથ
👉હિન્દ સ્વરાજ
👉ઇન્ડિયા ઓફ માય ડ્રિમ્સ
.
📝 ઉમાશંકર જોશી
👉નિશિથ
.
📝પ્રેમચંદ મુન્શી
👉રંગભૂમિ
👉ગોદાન
👉શતરંજ ના ખેલાડી
👉કાયાકલ્પ
👉પ્રેમાશ્રય
.
📝પી.વી.નરસિંહરાવ
👉 દ ઈનસાઇડર
.
📝અટલ બિહારી વાજપેયી
👉રાજનીતિ ની કપટી રાહ
👉સંસદ ના ત્રણ દશક
.
📝સુભાષ ચંદ્ર બોઝ
👉દ ઇન્ડિયન સ્ટ્રગલ
.
📝સરોજિની નાયડુ
👉દ ગોલ્ડન થ્રેશોલ્ડ
👉દ બર્ડ ઓફ ટાઈમ
👉દ બ્રોકન વિંગ
👉દ સોંગ્સ ઓફ ઇન્ડિયા
.
📝આર. કે. નારાયણ
👉મી.સંપત
👉દ ગાઈડ
👉માઇ ડેઝ
👉દ વેન્ડર ઓફ સ્વીટ્સ
👉દ ડાર્કરૂમ
👉ટેલીસમેન
👉માલગુડી ડેઝ
.
📝ડૉ. અરુંધતી રોય
👉દ ગોડ ઓફ સ્મોલ થીંગ્સ
👉એન ઓર્ડિનરી પર્સન્સ ગાઈડ
.
📝ડૉ રાજેન્દ્ર પ્રસાદ
👉ઇન્ડિયા ડિવાઇડેડ
.
📝રવીન્દ્રનાથ ટાગોર
👉ગિતાંજલી
👉ક્રિસેન્ટ મુન
👉દ ગાર્ડનર
👉ચંદલિકા
👉દ હંગ્રો સ્ટોન્સ
👉દ કોર્ટ ડાન્સર
👉કિંગ ઓફ ડાર્ક વેબર
👉પોસ્ટ ઓફિસ
👉દારીલીજન ઓફ મેન
.
📝જવાહરલાલ નહેરુ
👉એન ઓટોબાયોગ્રાફી
👉ડિસ્કવરી ઓફ ઇન્ડિયા
👉ગ્લિમ્પસેજ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી
.
📝વી.ડી.સાવરકર
👉દ ઇન્ડિયન વોર ઓફ ઇન્ડિપેંડેન્સ
.
📝એસ.રાધાકૃષ્ણન
👉હિન્દૂ વ્યુ ઓફ લાઈફ
.
📝અરવિંદ ઘોષ
👉ન્યુ લેમ્પ્સ ફોર ઓલ્ડ
👉લાઈફ ડીવાઈન
.
📝ડૉ એ પી જે અબ્દુલ કલામ
👉વિંગ્સ ઓફ ફાયર
👉2020-અ વિઝન ફોર દ ન્યુ મિલેનિયમ
👉ઇગ્નાઈટેડ માઇન્ડ્સ માઇ જર્ની
.
📝વિષ્ણુ
👉પંચતંત્ર
.
📝કાલિદાસ
👉મેઘદૂત
👉માલવીકાગ્નિમિત્ર
👉રઘુવમસા કુમાર સંભવમ્
👉શકુંતલા
👉વિક્રમ ઉર્વસિ
.
📝કાર્લ માર્ક્સ
👉દાસ કેપિટલ
.
📝સલમાન રશદી
👉મિડનાઇટ ચિલ્ડ્રન
👉શેમ
.
📝ભરત મુનિ
👉નાટ્ય શાસ્ત્ર
.
📝જયપ્રકાશ નારાયણ
👉વાઈ શોઝ લીસ્મ
.
📝જે કે રાઉલિંગ
👉હેરી પોટર
.
📝વરાહ મીહીર
👉પંચ સિદ્ધન્તિકા
.
📝ભવભુતી
👉ઉત્તરરામ ચરિત
.
📝કૅથરિન મેયો
👉મદર ઇન્ડિયા
.
📝વિલિયમ શેક્સપિયર
👉મૈકબેથ
.
📝પાણીની
👉અષ્ટાધ્યાયી
.
📝કૌટિલ્ય
👉અર્થશાસ્ત્ર
.
📝જયદેવ
👉ગિત ગોવિંદ
.
📝પતંજલિ
👉મહાભાષ્ય
.
📝બાણભટ્ટ
👉કાદંબરી
👉હર્ષચરિત
.
📝તુલસીદાસ
👉દોહાવલી
👉કવિતાવલી
👉વિનય પત્રિકા
👉રામચરિત માનસ
.
📝બાલ ગંગાધર તિલક
👉ગીતા રહસ્ય
.
📝આર. વેંકટરમન
👉માય પ્રેસિડેન્સીયલ યર્સ
.
📝નેલ્સન મંડેલા
👉લોન્ગ વોક ટુ ફ્રીડમ

હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ

મેજર ધ્યાનચંદ



- હોકીનાં જાદુગર ધ્યાનચંદજીઓ આજે ૧૦૮મો જન્મ દિવસ
- ઓસ્ટ્રીયામાં ધ્યાનચંદજીની ચાર હાથવાળી પ્રતિમા મૂકાઇ છે


૬૭ વર્ષથી આઝાદીનાં શ્રવાસ લેતા લેતા આપણે ઝંડાને સલામી આપીએ છીએ. પરંતુ જર્મનીનાં બર્લિનમાં એવી ઘટના બની હતી કે જેનાથી ભારત તો ઠીક આખું વિશ્વ સ્તબ્ધ થઇ ગયું હતુ. ૧૯૩૬માં આપણો દેશ આઝાદ પણ ન હતો થયો. તે સમયે આપણા દેશ ઉપર બ્રિટીશ હકુમતનું રાજ હતુ. જ્યારે જર્મનીમાં હીટલરની તાનાશાહી. ૧૯૩૬માં જર્મની ખાતે યોજાયેલી ઓલીમ્પીકમાં ભારતની હોકી ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ સમયે ભારતીય ટીમનાં કપ્તાન ધ્યાનચંદજી હતા. તેમને ફાઇનલ મેચ પૂર્વે જ આખી ટીમને ડ્રેસીંગ રૂમમાં ભેગી કરી ત્રિરંગો લહેરાવીને વંદેમાતરમનું ગાન કર્યું હતુ.


જેમ ક્રીકેટમાં સર ડોન બ્રેડમેન અને ફૂટબોલમાં પેલેનું સ્‍થાન છે, તેમ હોકીમાં મેજર ધ્‍યાનચંદનો જોટો જડવો મુશ્કેલ છે. છેલ્‍લા ૭પ વર્ષ થવા છતાં ભારતમાં તો નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધ્‍યાનચંદ જેવો કોઇ અન્‍ય ખેલાડી મળેલ નથી.

હોકીના જાદુગર મેજર ધ્‍વાનચંદનો જન્‍મ 29 ઓગસ્ટ 1905ના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગ ખાતે એક લશ્કરના સુબેદારના ઘરે થયો હતો. પિતાના પગલે માત્ર 16 વર્ષની ઉંમરે ધ્‍યનચંદે પણ 1922માં લશ્કરમાં નોકરી સ્વીકારી. 

14 પંજાબ રેજીમેન્ટમાં સિપાહી તરીકે ફરજ બજાવતો આ યુવાન હોકીની રમતમાં મહારથ ધરાવતો હતો.બ્રાહ્મણ રેજીમેન્ટના સુબેદાર મેજર ભોલે તિવારી પણ આ યુવાનની પ્રતિભાથી આકર્ષાયા અને બસ અહીંથી શરૂ થઇ હોકીના જાદુગરની ગોલ યાત્રા.

1927માં ઈંગ્લેન્ડ પ્રવાસે ગયેલી ભારતીય ટીમમાં ધ્યાનચંદની પણ પસંદગી કરવામાં આવી હતી. ભારતે સમગ્ર પ્રવાસમાં 10 મેચમાં કુલ 72 ગોલ કર્યા તેમાંથી અડધોઅડધ એટલે કે 36 ગોલ એકલા દ્વારા કરવામાં આવ્‍યા હતા. ધ્યાનચંદે તેમને મળેલી દરેક તકનો ખૂબીપૂર્વક ઉપયોગ કર્યો. તેના લીધે તેમની 1928માં નેધરલેન્ડના એમ્સ્ટરડમ ખાતે રમાનાર સમર ઓલમ્પિક માટે ભારતીય હોકી ટીમમાં પસંદગી કરવામાં આવી. તેમની હોકી સ્ટીકના જાદુના સહારે ભારતે ફાઈનલમાં નેધરલેન્ડને 3-0થી પરાજય આપીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો. 

સેન્ટર ફોરવર્ડના ખેલાડી તરીકે જાણીતા એવા ધ્યાનચંદે નેધરલેન્ડના પરાજયમાં મુખ્ય ભૂમિકા નીભાવતા 2 ગોલ કર્યા. દિવસે દિવસે ધ્યાનચંદની લોકપ્રિયતા વધી રહી હતી અને તેની સાથે તેમના વિરોધીઓ પણ. 1928માં તેમના વિરોધીઓએ હોલેન્ડ ખાતે ધ્યાનચંદની હોકી સ્ટીક તોડીને ક્યાંક તેમની રમતનું રહસ્ય લોહ ચુંબક તો નથી ને એ વાતની ખાતરી કરવામાં આવી. પરંતુ તેમના વિરોધીઓને નીરાશા જ સાંપડી. 

1932માં તેમણે અમેરીકાના લોસ એન્જલિસ ખાતે રમાયેલી સમર ઓલમ્પિક ગેમ્સમાં 1928ની રમતનું પુનરાવર્તન કર્યુ. ભારતે ગૃહ ટીમને ધ્યાનચંદની રમતના સહારે 24 વિરૂદ્ધ 1 ગોલથી કારમો પરાજય આપ્યો. ભારતીય ટીમના કુલ ગોલમાંથી ત્રીજા ભાગના એટલે કે આઠ ગોલ તો એકલા ધ્યાનચંદે ફટકાર્યા હતા. 

ભારતીય હોકી ટીમ તરફથી રમતા તેમના ભાઈ રૂપસિંહમાં પણ ધ્યાનચંદની રમતની ઝલક જોવા મળતી હતી. 1932માં ભારતે કરેલા 338 ગોલમાંથી 133 ગોલ તો માત્ર ધ્યાનચંદના જ હતા. 1933માં બેઈટન કપની ફાઈનલ મેચ તેમની હોકી કારકિર્દીની સૌથી યાદગાર મેચ પૂરવાર થઈ. ઝાંસી હિરોઝ અને કલકત્તા કસ્ટમ્સ વચ્ચે રમાયેલી આ મેચમાં ધ્યાનચંદે એકપણ ગોલ ન કર્યો. પરંતુ ઝાંસી હિરોઝનું પ્રતિનિધિત્વ કરતા ધ્યાનચંદે તેમની ટીમ તરફથી થયેલા એકમાત્ર ગોલ માટે બોલને પાસ કર્યો. વિજેતા ઝાંસી હિરોઝનું તેમના વતનમાં જોરશોરથી સ્વાગત કરવામાં આવ્યું.

1935માં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમે કુલ 43 મેચમાં 584 ગોલ કર્યા. તેમાંથી 201 ગોલ ધ્યાનચંદના નામે હતા. તે પ્રવાસમાં ઓસ્ટ્રેલીયાના એડિલેઈડ ખાતે મહાન ક્રિકેટર સર ડોન બ્રેડમેને પણ ધ્યાનચંદની રમત નીહાળી. મેચ પૂરી થયા પછી ધ્યાનચંદની રમતથી પ્રભાવિત થયેલા બ્રેડમેને કહ્યું કે ધ્યાનચંદ તો ક્રિકેટમાં રન બનતા હોય તે રીતે સરળતાથી ગોલ કરે છે. 

1936માં ફરી એકવાર ઓલમ્પિક ગોલ્ડ મેડલના લક્ષ્ય સાથે ધ્યાનચંદ જર્મનીના બર્લિન ખાતે પહોંચ્યા. ઉલ્લેખનિય છે કે આ ઓલમ્પિક ગેમ્સ શરૂ થયા પહેલા ધ્યાનચંદની રેજીમેન્ટે તેઓ વઝીરીસ્તાન ખાતે એક લડાઈમાં લડી રહ્યા હોઈ તેમને બર્લિન ઓલમ્પિકમાં રમવાની મંજૂરી આપી નહોતી. પાછળથી તેમને બર્લિન જવાની મંજૂરી આપવામાં આવી. 

ધ્યાનચંદે આ ઓલમ્પિકમાં ભારતનું નેતૃત્વ સંભાળ્યું. ધ્યાનચંદની ટીમનો એક મૈત્રી મેચમાં ગૃહ ટીમ જર્મની સામે પરાજય થયો. પરંતુ ઓલમ્પિક શરૂ થતા જ ધ્યાનચંદની રમતના લીધે ભારતીય ટીમમાં એક નવા ઉત્સાહનો સંચાર થયો. ભારતીય ટીમે ફાઈનલમાં ફરી એકવાર જર્મનીનો સામનો કરવાનો હતો. 

મેચ શરૂ થયા પહેલા એક નોંધપાત્ર ઘટનાક્રમમાં ભારતીય ડ્રેસીંગ રૂમમાં તીરંગો ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીત તરીકે વંદે માતરમનું ગાન કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારત તે વખતે અંગ્રેજોના આધિપત્ય હેઠળ હોઈ આ ઘટના દેશવાસીઓ માટે આનંદ અને ગર્વદાયક હતી. 

મેદાન પર ખેલાડીઓએ પણ તેમના દેશપ્રેમનો પરચો આપતા જર્મન ટીમને ઉપરાછાપરી ગોલથી રગદોળી નાંખી. પહેલા હાફમાં 1-0થી આગળ રહેનાર ભારતીય ટીમે બીજા હાફમાં 7 ગોલ કર્યા. જર્મન ટીમ 6-0થી પાછળ હતી તે વખતે ટીમને શરીર દ્રારા ભારતીય ટીમની રમતનો જવાબ આપવાનું નક્કી કર્યુ હતું એવું કહેવાય છે. 

જર્મની ટીમના ખેલભાવના વિહોણા વલણને લીધે મેજર ધ્યાનચંદનો એક દાંત તૂટી ગયો. જો કે તેમણે તેમની રમતથી જવાબ આપવાનું ચાલુ રાખ્યું. ધ્યાનચંદના 6 ગોલની મદદથી ભારતે 8-1ના મોટા અંતરે વિજય મેળવ્યો. 

ફાઈનલ મેચ નીહાળવા જર્મન સરમુખત્યાર એડોલ્ફ હિટલર પણ હાજર હતો. તે પણ ધ્યાનચંદની રમતથી ખાસ્સા પ્રભાવિત થયા. મેચ પૂરી થયા પછી હિટલરે જર્મન લશ્કરમાં ફિલ્ડ માર્શલ તરીકે જોડાવવાનો ધ્યાનચંદ સમક્ષ પ્રસ્તાવ મૂક્યો. જો કે ધ્યાનચંદે દેશપ્રેમ દર્શાવતા નમ્રતાપૂર્વક તે પ્રસ્તાવને ફગાવી દિધો. 

ધ્યાનચંદે ઓલમ્પિકમાં ભારતના 38માંથી 11 ગોલ કર્યા. જ્યારે પ્રીઓલમ્પિક મેચોમાં ધ્યાનચંદે ભારતના 175માંથી 59 ગોલ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પછી 42ની ઉંમરે પણ ધ્યાનચંદે રમવાનું ચાલુ રાખ્યું. તેમણે ઈસ્ટ આફ્રિકામાં કુલ 22 મેચમાં 61 ગોલ કર્યા. 

1948માં તેમણે હોકીમાંથી નિવત્તિ સ્વીકારી. નિવૃત્ત થયા પછી ધ્યાનચંદે પટીયાલા ખાતેના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોર્ટમાંથી કોચીંગમાં ડિપ્લોમા કર્યો. જો કે હોકીની રમતને સમર્પિત આ ખેલાડી કોચીંગમાં નિષ્ફળ નીવડ્યા. ઓસ્ટ્રીયાના વિયેના ખાતે ધ્યાનચંદના હોકી સ્ટીક પરના કાબૂની ખૂબીને ધ્યાનમાં લઈને તેમની એક મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવી છે. તેમાં તેમના ચાર હાથ દર્શાવવામાં આવ્યા છે અને દરેક હાથમાં એક એક હોકી સ્ટીક. 

1956માં ધ્યાનચંદ લશ્કરમાંથી નિવૃત્ત થયા. તે વખતે તેઓ મેજર હતા. ભારત સરકારે તેમનું દેશના ત્રીજા ક્રમના શ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મભૂષણથી નવાજ્યા છે. જો કે આ મહાન ખેલાડીનું 1979ની ત્રીજી ડિસેમ્બરે દારૂણ અવસ્થામાં મૃત્યુ થયું. દેશ માટે ઓલમ્પિક ગોલ્ડ મેડલ હાંસલ કરનાર આ ખેલાડી પાસે તેની બિમારીના સમયે સારવારના પણ પૈસા નહોતા. તેમના મૃત્યુના એક વર્ષ પછી ભારતીય ટપાલ વિભાગે તેમની સ્મૃતિમાં એક ટપાલ ટીકીટ બહાર પાડી. તેમજ નવી દિલ્હી ખાતે ધ્યાનચંદ નેશનલ સ્ટેડીયમ બનાવવામાં આવ્યું.

૨૯ ઓગ.. ડૉ. જીવરાજ મહેતા

ડૉ. જીવરાજ મહેતા

ડૉ. જીવરાજ મહેતા
ડૉ. જીવરાજ મહેતા, ઓક્ટોબર ૧૯૪૭.
પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી
પૂર્વગામીપ્રથમ મુખ્યમંત્રી
અનુગામીબળવંતરાય મહેતા
પદભારનો સમયગાળો
૧ મે, ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૩
અંગત માહિતી
જન્મ૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)
અવસાન૭ નવેમ્બર ૧૯૭૮
રાજકિય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીહંસા જીવરાજ મહેતા
ધર્મહિન્દુ
ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. એમનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો.

જીવન


ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનું અમરેલી સ્થિત નિવાસસ્થાન
આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.