# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 24 February 2018

◼સામાજિક વિજ્ઞાન◼ ◼ધોરણ: 8◼ ◼સત્ર: 2◼ 💭પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત💭

Ss8💐$2💭પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત💭

◼સામાજિક વિજ્ઞાન◼
◼ધોરણ: 8◼
◼સત્ર: 2◼
💭પ્રકરણ - 4 સર્વોચ્ચ અદાલત💭
💭કુલ પ્રશ્નો: 62💭
⚫આપણા દેશની બધી અદાલતમાં સૌથી ઊંચું સ્થાન કઈ અદાલતનું છે ?
✔સર્વોચ્ચ અદાલતનું
⚫આપણા દેશની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે ?
✔દિલ્લી
⚫આપણા દેશમાં સર્વોચ્ચ અદાલતનો આરંભ ક્યારે થયો ?
✔28 જાન્યુઆરી 1950
⚫સરકારનાં અંગો કેટલા છે ?
✔ત્રણ
⚫આપણી સરકારનું ક્યું અંગ સ્વતંત્ર છે ?
✔ન્યાયતંત્ર
⚫આપણા મૂળભૂત અધિકારોના પાલન માટેનો અધિકાર કઈ અદાલત પાસે છે ?
✔ સર્વોચ્ચ અદાલત
⚫કઈ અદાલત કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના તેમજ રાજ્ય અને રાજ્ય વચ્ચેના વિવાદો ઉકેલે છે ?
✔સર્વોચ્ચ અદાલત
⚫ગુજરાતમાં નર્મદા નદી પર કયા સ્થળે બંધ બાંધવામાં આવ્યો છે ?
✔ નવાગામ
⚫સર્વોચ્ચ અદાલતે 'જાહેરહિતની અરજી'ની વ્યવસ્થા ક્યારે અમલમાં મૂકી છે ?
✔1980ના દાયકા પછી
⚫નર્મદા બંધની ઊંચાઈ અંગે સર્વોચ્ચ અદાલતે કોની તરફેણમાં ચુકાદો આપ્યો ?
✔ગુજરાતની
⚫લોકોનાં હિત, રક્ષણ અને કલ્યાણ માટે શાની જરૂર છે ?
✔કાયદાની
⚫વડી અદાલતના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય છે ?
✔સર્વોચ્ચ અદાલત
⚫સર્વોચ્ચ અદાલતે આપેલી મૃત્યુ દંડની સજામાં દયાની અરજીના આધારે કોણ ફેરફાર કરી શકે ?
✔રાષ્ટ્રપતિ
⚫આપણા દેશમાં ક્યા પ્રકારની શાસન પદ્ધતિ છે ?
✔ લોકશાહી
⚫ન્યાયતંત્રને ઝડપી અને બિનખર્ચાળ બનાવવા માટે કોણ કામ કરે છે ?
✔ લોકઅદાલતો
⚫બધી અદાલતોમાં સૌથી નાની અદાલત કઈ છે ?
✔ તાલુકા અદાલત
⚫ગુજરાત રાજ્યની વડી અદાલતની સ્થાપના ક્યારે થઈ ?
✔ ઈ.સ.1960માં
⚫ગુજરાત રાજ્યની વડી અદાલત ક્યા શહેરમાં આવેલી છે ?
✔અમદાવાદ
⚫મકાન, જમીન કે અન્ય સંપત્તિ અંગેનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔દીવાની
⚫ચોરી, લૂંટફાટ, મારામારી, ખૂન, શારીરિક ઈજા કે ઝઘડાનો વિવાદ કેવો વિવાદ કહેવાય ?
✔ ફોજદારી
⚫ન્યાયની દેવીનું નામ શું છે ?
✔આસ્ટીન
⚫ન્યાયની દેવીને ક્યાં પાટો બાંધેલો છે ?
✔આંખે
⚫ન્યાયની દેવીના બંન્ને હાથમાં શું છે ?
✔તલવાર-ત્રાજવું
⚫તાલુકા અદાલતને બીજી કઈ અદાલત પણ કહે છે ?
✔ટ્રાયલ કોર્ટ
⚫પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે તે પોલીસ-સ્ટેશનમાં શું નોંધે છે ?
✔ FIR
⚫અંજનાબાના ઘરમાં ચોરી થઈ હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા ફોજદારી અદાલતમાં
⚫શીતલબાનું કોઈએ ઘર પચાવી પાડ્યું હોય તો સૌપ્રથમ કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ તાલુકા દીવાની અદાલતમાં
⚫તાલુકા અદાલતમાં ન્યાય ના મળ્યો હોય તો કઈ અદાલતમાં દાવો કરાય ?
✔ જિલ્લા અદાલતમાં
⚫તાલુકા અદાલતની ઉપર કઈ અદાલત કાર્ય કરે છે ?
✔જિલ્લા અદાલત
⚫આપણા દેશમાં ન્યાયતંત્રની વ્યવસ્થા કેવી છે ?
✔ સળંગ
⚫આપણા દેશનું ન્યાયતંત્ર કેવું છે ?
✔સ્વતંત્ર અને નિષ્પક્ષ
🔃સમીર પટેલ 🔃
📇આગળ વાંચો 👇🏿👇🏿👇🏿👇🏿👇🏿👇🏿
😘: 📇👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿👆🏿📇
⚫દેશના કાયદાનું પાલન ન કરનાર શું છે ?
✔ગુનેગાર
⚫ગુનો કરનાર વ્યક્તિ બીજાનું શું છીનવે છે ?
✔ હક
⚫કઈ અદાલતના વડા જિલ્લાની બધી અદાલતોના વડા છે ?
✔જિલ્લા
⚫રાજ્યની સૌથી મોટી અદાલત કઈ છે ?
✔વડી અદાલત
⚫કઈ અદાલતને નજીરી અદાલત કહે છે ?
✔વડી અદાલત
⚫રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔રાજ્યપાલ
⚫રાજયની વડી અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔હાઇકોર્ટ
⚫અદાલતમાં દાવો કરનારને શું કહેવાય ?
✔ફરિયાદી
⚫ગુનો કરનારને પોલીસ પકડીને લઈ જાય તેને શું કહેવાય ?
✔ધરપકડ
⚫તહોમતદારને-ગુનેગારને પકડી લાવવા માટે ન્યાયાધીશ હુકમ કરે તેને શું કહેવાય ?
✔ વૉરન્ટ
⚫બાર કાઉન્સિલ તરફથી વકીલાત કરવા માટેની સનદ ધરાવતો કાયદાનો નિષ્ણાત કયા નામે ઓળખાય છે ?
✔ વકીલ
⚫નીચલી અદાલતના ચુકાદાનો ન્યાય મેળવવા માટે ઉપલી અદાલતમાં દાખલ કરવાની અરજીને શું કહે છે ?
✔અપીલ
⚫પોતાના કેસ માટે વકીલ રોકનાર વ્યક્તિને શું કહે છે ?
✔અસીલ
⚫ન્યાયાધીશની રૂબરૂ કોઈનો જવાબ લેવામાં કે નોંધવામાં આવે તેને શું કહેવાય ?
✔જુબાની
⚫ગુનાહિત કૃત્ય કરનારને પોલીસ દ્વારા પકડવામાં આવે તેને શું કહેવાય ?
✔અટકાયત
⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી
⚫'ફળિયામાં ઝઘડો થયો. માજીને વાગ્યું.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં
⚫'રમેશભાઈ ઉપર હુમલો થયો.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ ફોજદારી
⚫'વાહનને અકસ્માત થયો.' આ કેસની કાર્યવાહી કઈ અદાલતમાં ચાલશે ?
✔જિલ્લાની અદાલતમાં
⚫જિલ્લા અદાલતના ચુકાદાથી સંતોષ ન થાય તો કઈ અદાલતમાં કાર્યવાહી કરી શકીએ ?
✔વડી અદાલતમાં
⚫'જમીનદારે કૃષ્નાબેનની જમીન પચાવી પાડી. તેના બદલામાં કોઈ નાણાં આપ્યા ન હતા.' આ કેસ કેવા પ્રકારનો છે ?
✔ દીવાની
⚫તાલુકા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ દીવાની
⚫જિલ્લા અદાલતમાં કયા દાવાઓ સાંભળવામાં આવે છે ?
✔ફોજદારી-દીવાની બન્ને
⚫વડી અદાલતમાં કયા દાવા સાંભળવામાં આવે છે ?
✔ ફોજદારી-દીવાની બન્ને
⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં ત્રાજવું શાનું પ્રતિક છે ?
✔સમતોલ ન્યાય આપવાનું
⚫અદાલતમાં ન્યાયની દેવીના હાથમાં તલવાર શાનું પ્રતિક છે ?
✔ગુનો સાબિત થાય તો સજા કરવાનું
⚫ન્યાયની દેવીની આંખે પાટા શું સૂચવે છે ?
✔પક્ષપાત રાખ્યા વિના સૌ માટે સમાન ન્યાય તોલવાનું
⚫દેશની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને પ્રતિજ્ઞા કોણ લેવડાવે છે ?
✔ રાષ્ટ્રપતિ
⚫સર્વોચ્ચ અદાલતને અંગ્રેજીમાં શું કહે છે ?
✔સુપ્રિમ કોર્ટ
⚫અદાલતોનું ભારણ ઘટાડવા માટે કઈ અદાલતો કાર્ય કરે છે ?
✔લોક અદાલતો
⚫લોક-અદાલતો બન્ને પક્ષો વચ્ચે શું કરાવે છે ?
✔સમાધાન
🔃સમીર પટેલ 🔃
📇  ज्ञान की दुनिया 📇

No comments:

Post a Comment