# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો - 2


સિદ્ધરાજ જયસિંહનાં યુદ્ધો - 2
·         પ્રકાશન તારીખ24 Jul 2018

જુનાગઢના ચુડાસમા રાજાઓએ વંથલીથી પોતાની રાજધાની ગિરિનગરની તળેટીમાં આવેલા જીર્ણદુર્ગમાં વસાવી હતી. કાળક્રમે જીર્ણદુર્ગનું સંસ્કૃત સ્વરૂપ જુનાગઢ પ્રચલિત થયું હતું. રાજધાનીમાં ફેરફાર થવાથી જુનાગઢ પાટણથી વધુ નજીક આવ્યું, અને ચુડાસમાઓ અને સોલંકીઓ વચ્ચે અવારનવાર સંઘર્ષ ચાલ્યા કરતો હતો. ત્યાંનો શાસક રા નવઘણ એક શક્તિશાળી રાજા હતો.
લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો.
આખા સુરાષ્ટ્રમાં તેની આણ ફેલાઈ હતી. પરંતુ મૃત્યુ વખતે તેની ઘણી મનની મુરાદો પૂરી થઈ શકે તેમ ન હતી. તેમાંની એક મુરાદ પાટણનો કિલ્લો તોડવાની અને પાટણ ઉપર વિજય મેળવવાની હતી. પરંતુ મૃત્યુ સુધી તેની આ મહત્ત્વાકાંક્ષા ન સંતોષાતાં પિતાની મુરાદ પૂરી કરવાનું બીડું પુત્ર રા ખેંગારે ઉઠાવ્યું હતું. જોકે પાટણના અને સિદ્ધરાજ જેવા શક્તિશાળી રાજા સામે બાથ ભીડવી એ ખાવાનો ખેલ ન હતો. એટલે તેણે મોકા પરસ્તી અપનાવી. સતત ધીરજપૂર્વક પાટણ પર હુમલો કરવાની રાહ જોઈ. ઈ.સ.૧૧૩૫-૩૬ના વર્ષે સિદ્ધરાજ માળવા જીતવાના અભિયાન સાથે ઉજ્જૈનના પંથે હતો. આ બાબતની ખબર રા ખેંગારને તેના ગુપ્તચરો દ્વારા મળી. અને તેણે મોકો ઝડપી લીધો. લાવ-લશ્કર સાથે રા ખેંગાર પાટણ પર ચડી ગયો. પાટણ પહોંચી નગરનો પૂર્વ તરફનો દરવાજો તોડી પડ્યો. પાટણનો કિલ્લો પણ તોડી પડ્યો અને દુર્ગ તોડી પાડ્યો છે તેની સ્મૃતિ રૂપે કિલ્લાના કેટલાક પથ્થર જુનાગઢ લઈ આવ્યો અને તેમાંથી જુનાગઢમાં કાળવાનો દરવાજો ચણાવ્યો હતો.
આટલું ઓછું હોય તેમ સિદ્ધરાજ જયસિંહનું વેવિશાળ જે કન્યા સાથે નક્કી થયું હતું તે રાણક દેવીને જુનાગઢ ઉપાડી લાવ્યો અને તેની સાથે લગ્ન કર્યાં. આમ પિતાની સામ્રાજ્યવાદી મુરાદને સંતોષવાનો તત્કાલીન પુત્રધર્મ અને રાણકદેવી સાથે બળજબરીથી લઈ જવી આ બે બાબતો સિદ્ધરાજના સોરઠ સાથેના યુદ્ધના પાયામાં હતી.
સિદ્ધરાજ સોલંકીને પાટણ પરના રા ખેંગારના હુમલાની જાણ થતાં માળવા અભિયાન પછી તરત જ સોરઠ યુદ્ધ માટેની તૈયારી શરૂ કરી. પાટણ પરનો ખેંગારનો હુમલો એ સિદ્ધરાજનું નાક કાપી લેવા જેવી ઘટના તો હતી જ, સાથે ખેંગારે તેના હોઠ પણ ઘસીને કાપી લીધા હતા. આ પહેલા પણ ખેંગારે સિદ્ધરાજનું બબ્બે વાર અપમાન કર્યું હતું. હવે પાટણપતિ માટે પાણી માથાં સુધી આવી જવા જેવું હતું. મહત્ત્વાકાંક્ષી શાસકો માટે આટલાં પરિબળો પૂરતાં હોય છે. પાટણનો દુર્ગ તોડવો અને રાણક દેવીને ઉઠાવી જવી આવાં બે પ્રબળ કારણો સાથે જુનાગઢ પરના હુમલાની તેની તૈયારી પ્રચંડ હતી. રસ્તામાં વઢવાણ ખાતે કિલ્લો બાંધ્યો અને ત્યાંથી સમગ્ર સૈન્યના સંચાલનની જવાબદારી પણ ઉપાડી.
જુનાગઢ પહોચતાંની સાથે જ ત્યાંના ઉપરકોટને સિદ્ધરાજે વ્યૂહરચનાનું કેન્દ્ર બનાવ્યું. પ્રબંધો અને દંતકથાઓમાં સિદ્ધરાજે જુનાગઢને ૧૨ વર્ષ સુધી ઘેરો ઘાલ્યો હોવાનું કહે છે. છતાં પણ જુનાગઢ કબજે ના થયું. તે પછી યુદ્ધ અને પ્રેમમાં બધું જ જાયજ છે તે ન્યાયે રા ખેંગારના બે ભાણેજો નામે દેશલ અને વિશલને ફોડી નાખ્યા. બંને ભાણેજોએ મામાનાં તમામ રહસ્યો અને લશ્કરી વ્યૂહો ખુલ્લાં કરી દીધાં. પરિણામે સોલંકી સૈન્યનો માર્ગ આસાન થયો. ૧૨-૧૨ વર્ષ સુધી જુનાગઢ જીતવા તલસી રહેલું સિદ્ધરાજનું લશ્કર ગૌરવભેર ઉપરકોટમાં પ્રવેશ્યું. ઉપરકોટ પર તે પછી ઘમાસાણ સર્જાયું, પણ વેરની આગમાં તડપી રહેલા સિદ્ધરાજ સામે રા ખેંગારનું ઝાઝું ઊપજ્યું નહીં. ખેંગાર યુદ્ધમાં માર્યો ગયો. દંતકથા પ્રમાણે મારતાં પહેલાં સિદ્ધરાજે ખેંગારને મોઢામાં ઘાસનું તરણું લેવડાવ્યું હતું. પ્રાચીન કાળમાં દુશમનને પરાજિત કર્યા પછી અપમાનિત કરવાની આ પદ્ધતિ હતી. જે સિદ્ધરાજે પણ કર્યું.
સિદ્ધરાજ જયસિંહ માટે આટલું પર્યાપ્ત ન હતું. ખેંગાર પર પોતાના વિજય જેટલું જ અગત્યનું તેના માટે રાણકદેવીને ફરીથી મેળવવાનું પણ હતું. યુદ્ધવિજય પછી રાજમહેલમાંથી રાણકદેવીને પકડી પોતાની સાથે લઈ પાટણનો રસ્તો પકડ્યો. માર્ગમાં વઢવાણ પાસે ભોગાવો નદીના કાંઠે રાણકદેવી ખેંગાર પાછળ સતી થઈ. સતી થતાં પહેલાં તેણે ભગવાન શંકરને પ્રાર્થના કરી કે
"પ્રભુ રાખજે લાજ, મહારાજ પત્ત આજ મારી,
ઊઘડી ગયું પડ તરત ને પૃથ્વી ગઈ ફાટી,
રાણી પ્રવેશી પેટાળમાં મળી ગઈ માટીમાં માટી"
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીનાં સતી થવાથી સિદ્ધરાજનું જુનાગઢ અને સોરઠ જીતવાનું સ્વપ્ન તો સાકાર થયું, પરંતુ રાણકદેવીને પામવાનું અને તેની સાથે દામ્પત્ય જીવન વિતાવવાનું સ્વપ્ન અધૂરું જ રહી ગયું.
રાણકદેવીને પુન:પ્રાપ્ત કરવાની સિદ્ધરાજની મંશા ભલે ના સંતોષાઈ, પણ જુનાગઢ વિજય પછી જે પ્રાપ્ત થયું તે કમ ન હતું. સોરઠ વિજય પછી પહેલું કામ તેણે જુનાગઢને પોતાના સામ્રાજ્યમાં લાવી દીધું. સિદ્ધરાજ જાણતો હતો કે સૌરાષ્ટ્રની પ્રજા જુનાગઢના પરાજય અને રાણકદેવીને તેના ગઢમાંથી લઈ જવાવાળી વાત ભૂલવાની નથી. પણ તે પણ સોરઠવાસીઓને તેમનો પરાજય ભુલાવવા માગતો ન હતો. તે માટે માત્ર સોરઠ અમલી બને એ રીતે સિંહ સંવતશરુ કરાવ્યા હતા.
સોરઠની પ્રજાને અનૃણ કરાવવાનો સામ્રાજ્યવાદી સિદ્ધરાજનો આ પ્રયત્ન હતો. સોરઠ વિજય પછી તરત જ ભગવાન સોમનાથની યાત્રા કરી અને માતા મીનળદેવીનાં કહેણથી સોમનાથનો યાત્રાવેરો માફ કર્યો, જે તે જમાનામાં અંદાજે વાર્ષિક ૭૨ લાખ જેટલો હતો. છેલ્લે મહત્ત્વની વાત એ બની કે શાસકો પોતાના મહત્વના વિજયો પછી પદવીઓ અને ઉપાધિઓ ધારણ કરતા હતા. સોરઠ પરના વિજય પછી સિદ્ધરાજ સોલંકીએ ચક્રવર્તીનું બિરુદ ધારણ કર્યું હતું. અત્યાર સુધી જયસિંહ તરીકે ઓળખાતો તે હવે પછી સિદ્ધરાજ અને સિદ્ધરાજ જયસિંહ તરીકે ઓળખાવા લાગ્યો. સમગ્ર ગુજરાત તેની એકહથ્થુ સત્તા નીચે આવ્યું. હવે તેનું નિશાન માળવા બનવાનું હતું. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા

No comments:

Post a Comment