# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday 11 April 2019

ડૉ. જીવરાજ મહેતા


ડૉ. જીવરાજ મહેતા






ડો. જીવરાજ નારાયણ મહેતા ગુજરાત રાજ્યના સૌથી પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. એમનો જન્મ તા. ૨૯મી ઓગસ્ટ, ૧૮૮૭ના દિને અમરેલી ખાતે થયો હતો.



👉પદભારનો સમયગાળો
૧ મે, ૧૯૬૦ – ૧૮ સપ્ટેમ્બર, ૧૯૬૩
અંગત માહિતી

જન્મ 👉૨૯ ઓગસ્ટ ૧૮૮૭
અમરેલી, (ત્યારની મુંબઈ પ્રેસિડેન્સીનો ભાગ)

અવસાન 👉૭ નવેમ્બર ૧૯૭૮

👉૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત

આર્થિક રીતે નબળા કુટુંબમાં જન્મેલા ડો. જીવરાજ મહેતાનું બાળપણ તેમ જ તેમનો અભ્યાસકાળ ખુબ જ સંઘર્ષમય રહ્યો હતો. ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી, ફી માફી મેળવી અને પોતે ટ્યૂશનો કરી આવક ઉભી કરી હતી. ઈ. સ. ૧૯૩૦ના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ દાક્તરી અભ્યાસક્રમ માટે ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.

👉૧૯૨૫ – ૧૯૪૨ પોતે સ્થાપેલી શેઠ ગોરધનદાસ સુંદર દાસ મેડિકલ કોલેજના ડીન

👉૧૯૪૮ – ભારત સ્વતંત્ર બન્યા બાદ વડોદરા રાજયના દિવાન

મેડિકલ શિક્ષણ માટે શેઠ વી.એમ. કપોળ બોર્ડિંગ ટ્રસ્ટની સ્કોલરશીપ, તે શિક્ષણ માટે, બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી. એના છેલ્લા વર્ષમાં આઠમાંથી સાત ઈનામો મેળવ્યા હતા, અને આઠમું પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું.

લન્ડનમાં અભ્યાસ માટે ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશનની સ્કોલરશીપ

૧૯૦૯- ૧૯૧૫ – લન્ડન ખાતે નિવાસ, ત્યાં ભારતીય વિદ્યાર્થીઓના મડળના પ્રમુખ હતા. ૧૯૧૪માં એમ.ડી.ની પરીક્ષામાં યુનિ.નો ગોલ્ડ મેડલ મળ્યો હતો.

લન્ડનની રોયલ કોલેજ ફોર ફિઝિશિયન્સના સભ્ય.

👉દેશમાં આવ્યા પછી, થોડાક સમય માટે ગાંધીજીના અંગત ડોક્ટર રહ્યા

સ્વતંત્રતાની ચળવળમાં પહેલેથી રસ હતો, અને બે વખત સત્યાગ્રહમાં ભાગ લેવા માટે જેલમાં ગયા હતા

સ્વતંત્રતા મળ્યા બાદ થોડોક વખત વડોદરા રાજ્યના દિવાન

૧૯૪૮ – ભારતના નવા તંત્રમાં ડિરેક્ટર જનરલ ઓફ મેડિસિન

૧૯૬૦ સુધી – મુંબાઈ રાજ્યમાં નાણાં, ઉદ્યોગ, નશાબંધી અને જાહેર બાંધકામ ખાતાના પ્રધાન

૧૯૬૦-૧૯૬૩ ગુજરાત રાજ્યના પહેલા મુખ્ય પ્રધાન

૧૯૬૪-૧૯૬૬ ઇન્ગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશ્નર

મુંબાઈની શેઠ ગોરધનદાસ સુરેન્દર દાસ હોસ્પિટલ અને એડવર્ડ – સાત હોસ્પિટલના સ્થાપક.ત્યાં ૧૮ વર્ષ કામ કર્યું.

👉ભારતમાં મેડિકલ ક્ષેત્રે સંશોધન માટે પાયાનું કામ. મુંબાઈ, પુના, ઓરંગાબાદ, અમદાવાદ,નાગપુર માં મેડિકલ કોલેજ અને હોસ્પિટલ સ્થાપવામાં મહત્વનો ફાળો
દિલ્હી ખાતેની ઓલ ઇન્ડિઆ ઇન્સ્ટિટ્યુટ ફોર મેડિકલ સાયન્સની સ્થાપનામાં સક્રીય હિસ્સો.

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રમુખ

👉૨૦૧૫ – ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્ર માટે સર્વોચ્ચ – જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત*

👉ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉ. જીવરાજ મહેતાનો જન્મ તા. ૨૯/૮/૨૦૧૬ના રોજ સૌરાષ્ટ્રમાં આવેલા અમરેલીમાં થયો હતો. પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું.  ડૉ. જીવરાજ મહેતાએ દેશની અને પરદેશની ઉચ્ચ પદવીઓ મેળવી હતી. લંડન નિવાસ દરમિયાન તેમણે ‘ લંડન ઇન્ડિયન એસોસિયેશન’ સંસ્થાની સ્થાપના કરી હતી. ઈ.સ. ૧૯૨૧ થી ૧૯૩૦ સુધી ગુજરાત, મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષપદે રહીને મહત્વની કામગીરી કરી હતી.  ઈ.સ. ૧૯૨૧માં વડોદરા રાજયના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા હતા. ઈ.સ. ૧૯૪૬માં તેઓ કોંગ્રેસ ના ઉમેદવાર તરીકે મુંબઈ ધારાસભાના સભ્ય બન્યા. ઈ.સ. ૧૯૩૦માં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્યસંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો. ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી. ઈ.સ. ૧૯૪૨માં ‘ હિંદ છોડો’ આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો. મહારાજા સયાજીરાવને પણ તેમની ઉચ્ચ બુદ્ધિશક્તિનો લાભ લીધો હતો. ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ સુધી તેઓ મુંબઈ  ધારાસભાના સભ્ય રહ્યા હતા. ઈ.સ. ૧૯૪૯ થી ૧૯૫૦ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી. ઈ.સ. ૧૯૫૨ થી ૧૯૬૦ સુધી તેઓ નાણાંપ્રધાન રહ્યા હતા.

👉ઈ.સ. ૧૯૬૦માં પહેલી મે ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે ૧૯૬૦માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી.તેઓ ગુજરાતના મુખ્

યમંત્રી તરીકે તેઓ બીજી વાર ચૂંટાઈ આવ્યા. તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતાથી રાજ્યથી અને દેશની સેવા કરી. સાદગીભર્યા અને કુશળ મુખ્યમંત્રી તરીકે તેઓ લોકપ્રિય થયા. પૂર્ણ દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ ૯૧ વર્ષે ૧૯૭૮માં અવસાન થયું. અમદાવાદ ખાતે તેમનું કાયમી સંભારણું બની રહે તે માટે જીવરાજ મહેતા હોસ્પિટલ શરૂ કરી છે. ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે.


No comments:

Post a Comment