# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Wednesday 26 June 2019

ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો


ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો



ભારતીય પ્રજા હજારો વર્ષોથી ગુલામી અને યુધ્ધોન્માદ જોતી અને સહન કરતી આવી છે. વિશ્વના દરેક ખંડમાંથી આક્રમણકારો જુદીજુદી પ્રયુક્તિઓ યોજી ભારતીય પ્રજાને ફોસલાવીને પગ પસેરો કર્યા બાદ સમય જતા છટકું ગોઠવીને પાછળથી હુમલાઓ કર્યાનાં દાખલાઓ છે.





હજારો વર્ષોનો સમય ગાળો ધરાવતો ભારતીય યુધ્ધ ઈતિહાસમાં અનેક યુધ્ધો લડાઈ ચુક્યા છે.

ભૂતકાળમાં લડાયેલા યુદધોની આટલી વિશાળ સંખ્યા જોતા તેમાંથી ફક્ત અમુક મહત્વના યુધ્ધો આ લેખ માટે પસંદગી કરવી એ ખુબ જ મુશ્કેલ અને માથાકુટીયું કામ છે. આમ છતા આ લેખમાં જે યુધ્ધોનો ઉલ્લેખ કર્યો છે એ યુધ્ધો એ ભારતીય ઈતિહાસને નવા ચિન્હો આપ્યા છે. જો આ યુધ્ધો ન લડાયા હોત તો કદાચ ભારતીય ઈતિહાસ જુદી જ રીતે લખાયો હોત. આ યુધ્ધો અને તેને લીધે ભારતીય ઇતિહાસમાં લાંબાગાળે કેવા પરિવર્તનો આવ્યા એ જાણ્વું રસપ્રદ બની રહેશે.





ઈ.સ. ૩૨૬ હાઈડેસ્પીજનું યુદ્ધ : સિકંદર અને પંજાબના રાજા પોરસની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિકંદરની જીત થઈ હતી.





ઈ.સ. ૨૬૧ કલિંગાની લડાઈ : સમ્રાટ આશોકએ કલિંગ પર આક્રમણ કર્યું હતું અને યુદ્ધમાં થયેલ રક્તપાતથી વિચલિત થઈને તેમણે યુદ્ધ ન કરવાનું પ્રણ લીધું હતું.





ઈ.સ. ૭૧૨માં : સિંધની લડાઈમાં મહમ્મદ કાસીમે અરબોની સત્તા સ્થાપિત કરી.





ઈ.સ. ૧૧૯૧ તારાઈનું પ્રથમ યુદ્ધ : મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં પૃથ્વી રાજ ચૌહાણની જીત થઇ હતી.





ઈ.સ. ૧૧૯૨ તારાઈનું દ્વિતીય યુદ્ધ : મોહમ્મદ ગૌરી અને પૃથ્વી રાજ ચૌહાણની વચ્ચે યુદ્ધ થયું હતું, જેમાં મોહમ્મદ ગૌરીની જીત થઇ હતી.





ઈ.સ. ૧૧૯૪ ચંદાવરનું યુદ્ધ : તેમાં મુહમ્મદ ગૌરીએ કન્નૌજના રાજા જયચંદને હરાવ્ય હતા.





ઈ.સ. ૧૫૨૬ પાનીપતનું પ્રથમ યુદ્ધ : મોગલ શાસક બાબર અને ઈબ્રાહીમની વચ્ચે યુદ્ધ થયું હતું.





ઈ.સ. ૧૫૨૭ ખાનવાનું યુદ્ધ : તેમાં બાબરે રાણા સાંગાને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૨૯ ઘાઘરાનું યુદ્ધ : તેમાં બાબરે મહમૂદ લોદીની આગેવાનીમાં અફઘાનોને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૩૯ ચૌસાનું યુદ્ધ : તેમાં શેરશાહ સૂરીએ હુમાયુને હરાવ્યા હતા.





ઈ.સ. ૧૫૪૦ કન્નૌજ (બિલગ્રામનું યુદ્ધ) : તેમાં ફરીવાર શેરશાહ સૂરીએ હુમાયુને હરાવીને ભારત છોડવા પર મજબુર કર્યા.





ઈ.સ. ૧૫૫૬ પાનીપતનું બીજું યુદ્ધ : અકબર અને હુમાયુની વચ્ચે યુદ્ધ થયું હતું.





ઈ.સ. ૧૫૬૫ તાલીકોટાનું યુદ્ધ : આ યુદ્ધથી વિજયનગર સામ્રાજ્યનું અંત થઇ ગયું કેમકે બીજાપુર, બીદર, અહમદનગર અને ગોલકુંડાની સંગઠીત સેનાએ લડી હતી.





ઈ.સ. ૧૫૭૬ હલ્દી ઘાટીનું યુદ્ધ : અકબર અને રાણા પ્રતાપની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં રાણા પ્રતાપ ની હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૫૭ પ્લાસીનું યુદ્ધ : અંગ્રેજો અને સિરાજુદ્દોલાની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં અંગ્રેજોની જીત અને ભારતમાં અંગ્રેજ શાસનની શરુઆત થઇ હતી





ઈ.સ. ૧૭૬૦ વાંડીવાશનું યુદ્ધ : અંગ્રેજોઅને ફ્રાંસીસિયોની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ફ્રાંસીસિયો હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૬૧ પાનીપતનું ત્રીજું યુદ્ધ : અહમદશાહ અબ્દાલી અને મરાઠીઓની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ફ્રાંસીસિયોની હાર થઇ હતી.





ઈ.સ. ૧૭૬૪ બક્સરનું યુદ્ધ : અંગ્રેજો અને શુજાઉદ્દોલા, મીર કાસિમ અને આલમ દ્વિતીયની સંયુકત સેવા વચ્ચે અંગ્રેજોની જીત થઇ હતી. અંગ્રેજોને ભારતમાં સર્વોચ સત્તા માનવામાં આવવા લાગ્યું.





ઈ.સ. ૧૭૬૭-૬૯ પ્રથમ મૈસુર યુદ્ધ : હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું જેમાં અંગ્રેજોની હાર થઇ





ઈ.સ. ૧૭૮૦-૮૪ દ્વિતીય મૈસુર યુદ્ધ : હૈદર અલી અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું જેમાં નિર્ણય ન મળ્યો.





ઈ.સ. ૧૭૯૦ તૃત્ય આંગ્લ મૈસુર યુદ્ધ : ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે સંધીથી લડાઈનો અંત આવ્યો





ઈ.સ. ૧૭૯૯ ચતુર્થ આંગ્લ મૈસુર યુદ્ધ : ટીપુ સુલતાન અને અંગ્રેજો વચ્ચે થયું હતું જેમાં ટીપુની હાર થઇ અને મૈસુર શક્તિનું પતન થયું.





ઈ.સ. ૧૮૪૯ ચિલિયાના વાળા યુદ્ધ : ઇસ્ટ ઇંડિયા કંપની અને સિખો વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિખોની હાર થઇ હતી.





ઈ.સ. ૧૯૬૨ ભારત ચીન સીમા યુદ્ધ : ચીની સેનાએ ભારતની સીમા ક્ષેત્રો પર આક્રમણ કર્યું જે બે દિવસ સુધી ચાલ્યું ત્યાર બાદ એકપક્ષીય વિરામની ધોષણા થઇ અને ભારતે પોતાના થોડોક ભાગ છોડવો પડ્યો.





ઈ.સ. ૧૯૬૫ ભારત પાકિસ્તાન યુદ્ધ : ભારત અને પાકિસ્તાન વચ્ચે યુધ્ધ થયું જેમાં પાકિસ્તાનની હાર થઇ અને તેના પરિણામે બાંગ્લાદેશ એક સ્વતંત્ર દેશ બન્યો.





ઈ.સ. ૧૯૯૯ કારગિલ યુદ્ધ : જમ્મુ અને કાશ્મીરમાં દ્રાસ અને કારગીલ ક્ષેત્રોમાં પાકિસ્તાની ઘુસપેઠિયાઓના કારણે થયેલ યુદ્ધમાં ફરીથી પાકિસ્તાનને હાર મળી અને ભારતને જીત મળી.




No comments:

Post a Comment