# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Thursday 7 May 2020

અણહિલ ભરવાડ

અણહિલ ભરવાડ 

અણહિલ ભરવાડ નો જન્મ ઉતર ગુજરાત માં આવેલ સરસ્વતી નદી ના કિનારે એક જંગલ હતુ ત્યાં નાનો એક ભરવાડ નો નેસ વસવાટ કરતો હતો, આ નેસ મા એક બાળક નો જન્મ થયો, આ બાળક એટલુ સુંદર હતુ કે આખા નેસ મા રહેતા બધાય ને ગમતું, અને તેનુ નામ અણહિલ પાડવામા આવ્યું, આ "અણહિલ" ધીમે ધીમે મોટો થતો ગયો અને ૧૦-૧૨ વર્ષ ની નાની વયે તે જંગલ મા ગાયો ચરાવવા જતો અને એકલો જ શિકાર કરવા પણ જતો, આટલી નાની ઉંમર મા આટલો બધો બળવાન અને હિંમત્તવાન બાળક જોઈને આખા નેસ ના ભરવાડો અંદરો-અંદર ગર્વ અનુભવાતા હતા અને ડર જેવુ કઈંજ નઈ એવો નીડર અને બાહોશ આ ભરવાડ જેનુ નામ અણહિલ ભરવાડ.

તેવામા જયશીખરી નામના રાજા નું પંચાસર નામના રાજ્ય માં રાજ હતું, ત્યા કનોજ ના રાજા ભુવડે અચાનક પંચાસર ઉપર હુમલો કર્યો, આ અણધારી લડાઈ પહેલા રાજા જયશીખરી એ તેની રાણી રૂપસુંદરી ને તેના ભાઈ સુરપાલ સાથે વનમાં મોકલી દીધી, સુરપાલ જયશીખરી નો વિસ્વાસુ અને બળવાન સેનાપતી હતો, અને એક બાજુ રાજા જયશીખરી  એ રાજા ભુવડ સાથે લડતા-લડતા વીરગતી પામ્યા. રાણી રૂપસુંદરી એ વન માં એક બાળક ને જન્મ આપ્યો આ બાળક વન માં જન્મું હોવાથી તેનુ નામ વનરાજ પાડવામાં આવ્યું. આ વનરાજ પણ નાની ઉંમર માં બહુ બળવાન અને નીડર હતો અને તેવા માં અણહિલ ભરવાડ જંગલ માં ગાયો ચરાવતો હતો અને ત્યાં અચાનક એક સિંહ આવી પહોચ્યો અને એક નાના વાછરડા ને પકડ્યુ અને ત્યા આ અણહિલ જોઈ ગયો પછી તો અણહિલ પોતાની લાકડી લઈને સિંહ ની સામે ભીડાયો ત્યા તો સિંહ વાછરડુ મુકતો ભાગવા લાગ્યો અને તેની પાછળ આ ભરવાડ નો દિકરો, સિંહ આગળ અને અણહિલ પાછળ અને આખા જંગલ માં સિંહ ને દોડાવ્યો આવા ભડવીર ભરવાડ ને સિંહ ની પાછળ દોડતુ આ  દ્રશ્ય જોઈને  વનરાજ ખુશ થઈ ગયો અને અણહિલ ભરવાડ અને વનરાજ ચાવડા વચ્ચે મિત્રતા બંધાઈ, આમ અણહિલ અને વનરાજ બંન્ને રોજ મળતા અને સાથે જંગલ માં શિકાર કરવા જતા.

આવા બહાદુર મિત્ર જ્યારે જંગલ મા પગ મુકે ત્યારે જંગલ ના રાજા સિંહ પણ વન મુકીને ભાગી જાય તેવા નિડર અને બાહોસ હતા બંન્ને.

જ્યારે વનરાજ ના મામા સુરપાલ વનરાજ ને શસ્ત્ર વિધ્યા શિખડાવતા હતા ત્યાર બાદ વનરાજ સાથે અણહિલ ને પણ શિખવવા લાગ્યા 
         
આમ અણહિલ અને વનરાજ બંન્ને શસ્ત્ર વિધ્યા અસ્ત્ર વિધ્યા તીર ચલાવતા ઘોડે સવારી માં તેમજ દરેક વિધ્યા માં માહિર થઈ ગયા, 
         
આમ ધીમે ધીમે બંન્ને મોટા થવા લાગ્યા અને બંન્ને સમજણા થયા  બહાદુર અને વિસ્વાશુ માણસો ની એક ટુકડી બનાવી અને વનરાજ ને તેના પિતા એ ગુમાવેલ રાજ્ય પાછુ મેળવવા ની સમજ આવી તેના મામા તેને માર્ગદર્શન આપતા રહ્યા. તેણે ભુવડના રાજયમાં લૂંટ ચલાવવા માંડી. ધીમે ધીમે તેણે બહાદુર માણસોને પોતાની ટોળીમાં લેવા માંડયા. તે બહારવટે ચડ્યો હતો. ધીમે ધીમે તેનું લશ્‍કર મોટું બનતું ગયું. હવે વનરાજ જંગલના રસ્‍તા, ખીણો અને કોતરોનો ભોમિયો બની ગયો હતો.
એક વખત એવું બન્યું કે વનરાજ, તેનો મામો અને  અણહિલ ભરવાડ ત્રણે જણા શિકારની વાટ જોતા ઊભા હતા. તેવામાં ઘીનો ગાડવો ઊંચકીને ઝટપટ ચાલ્યો આવતો એક વાણિયો તેમની નજરે પડયો તેના હાથમાં તીરકામઠું હતું.
વનરાજે તેને પડકાર્યો :‘ઊભો રહેજે વાણિયા, આગળ એક પણ ડગલું ભર્યું તો મર્યો જ જાણજે.’
‘લે આ ઊભો. મરવું હોય તે મારી સામે આવે. ’ એમ કહીને ચાંપા વાણિયાએ તેના ભાથામાંનાં પાંચ તીરમાંથી બે ભાંગીને દૂર ફેંકી દીધા. પછી એક તીર, કામઠાની પણછ પર ચડાવવા લાગ્યો. આ જોઇને પેલા ત્રણ તો છક થઇ ગયા.
‘અલ્યા હોશિયારી ના કર, તીર તો અમનેય ચલાવતાં આવડે છે, પણ એ તો કહે કે પેલાં બે તીર તેં ભાંગી કેમ નાખ્યા ? ’ સૂરપાળે પૂછયું.
‘એટલું ના સમજયા ? ’ ત્રણ આંગળીઓ બતાવતાં બતાવતાં ચાંપો બોલ્યો ‘તમે ત્રણ જણ છો એટલે તમારા માટે ત્રણ તીર પૂરતાં છે. ’
‘અરે વાહ બહાદુર ! તારું નામ શું ? ’ વનરાજે પૂછયું.
‘મારું નામ ચાંપો. ’ તેના અવાજમાં નિર્ભયતા હતી.
‘ચાંપા, હવે ચાંપલાશ છોડીને જે હોય તે આપી દે અને રસ્તો પકડ. ખબર નથી પડતી તને, તું એકલો છે અને અમે ત્રણ છીએ? ’ અણહીલ ભરવાડ બોલ્યો.
‘ભલે ને તમે ત્રણ હો, આ પરદેશી રાજમાં લૂંટારા ખૂબ વધી ગયા છે, આવી લડાઇ તો મારા માટે રોજની વાત થઇ પડી છે. ’ ચાંપો બોલ્યો.
‘એટલે શું પહેલાંની શું વાત કરું? જયશિખરી અને સૂરપાળનું નામ પડતાં લૂંટારા ઊભી પૂંછડીએ ભાગી જતા. ’
‘તો સાંભળ ભાઇ ચાંપા, હું છું સૂરપાળ અને આ છે મારો ભાણો વનરાજ, જયશિખરીનો એકનો એક કુંવર. ’
‘અને હું છું અણહિલ, વનરાજનો મિત્ર. ’ અણહિલે કહ્યું.
આ સાંભળતાં જ ચાંપો ચોંકી ઊઠયો. તે ત્રણેને ભેટી પડયો. તેણે મિત્ર બનીને રાજય પાછું મેળવવા વનરાજને મદદ કરવાનું વચન આપ્યું.
ચાંપો વીર તો હતો જ, સાથે જ ધનવાન પણ હતો. તેની મદદ મળતાં વનરાજ અને તેના મામાએ મોટું લશ્કર તૈયાર કર્યું. પછી ભુવડ સામે યુદ્ઘ કરીને તેને હરાવ્યો અને ૫૦ વર્ષની ઉંમરે વનરાજે પોતાનું રાજય પાછું મેળવ્યું !

વનરાજે પાટણમાં પોતાની રાજધાની બનાવી. રાજા તરીકે તે ન્યાયપ્રિય, પ્રજાપ્રેમી અને ઉદાર હતો. તેણે જૈન ધર્મને રાજયાશ્રમ આપ્યો; અનેક મંદિરો બંધાવ્યા. પોતાને કપરા દિવસોમાં મદદ કરનાર દરેકને તેણે યાદ રાખ્યા હતા. મિત્ર અણહિલ ભરવાડ ના ઉપકારના બદલામાં તેણે પોતાની રાજધાનીને ‘અણહિલ પુર-પાટણ’ નામ આપ્યું. ચાંપા વાણિયાની કદર કરવા વડોદરા નજીક પાવાગઢ પર્વતની તળેટીમાં નગર વસાવીને તેને ‘ચાંપાનેર’ નામ આપ્યું.
        
જુનુ ઐતિહાસિક અણહિલ પુર-પાટણ એજ આજ નુ " અનાવાડા " ગામ જે પાટણ થી દોઢેક કિલ્લો મિટર દુર આવેલ છે.

કોટિ વંદન જય દ્વારકાધીશ જય માતાજી

No comments:

Post a Comment