રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ
અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦
સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8,
સત્ર: 2
પ્રકરણ - 3 ભારતમાં રાષ્ટ્રવાદ
કુલ પ્રશ્નો: 72 / કુલ ગુણ: 72
1.વિશ્વમાં આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ ક્યાં થયો હતો ?
જવાબ: યુરોપમાં
2.અંગ્રેજોની કઈ નીતિએ ભારતને પાયમાલ કર્યું ?
જવાબ: આર્થિક નીતિ
3.અમેરિકન સ્વાતંત્ર્ય વિગ્રહમાંથી ભારતને શાની પ્રેરણા મળી ?
જવાબ: લોકશાહીની
4.કઈ ક્રાંતિમાંથી ભારતને સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી ?
જવાબ: ફ્રાન્સની
5.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનના પ્રમુખ કોણ હતા ?
જવાબ:
વ્યોમેશચન્દ્ર બેનરજી
6.'ભાગલા પાડો અને રાજ કરો' એ નીતિ કોણે અમલમાં મૂકી ?
જવાબ: લૉર્ડ કર્ઝને
7.બંકિમચંદ્રનું ક્યું ગીત બંગભંગના અંદોલનનો નારો બન્યું ?
જવાબ: 'વંદે માતરમ્'
8.'વંદે માતરમ્' નામનું રાષ્ટ્રીય ગીત બંકિમચંદ્રની કઈ
નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?
જવાબ: આનંદમઠ
9.બંગાળાના ભાગલાના અમલનો દિવસ ક્યા દિવસ તરીકે ઊજવવામાં આવ્યો ?
જવાબ: 'શોકદિન'
10.આમાંથી કોણ મવાળવાદી નેતા ન હતા ?
જવાબ: લોકમાન્ય
ટિળક
11.જહાલવાદના મુખ્ય નેતા કોણ હતા ?
જવાબ: લોકમાન્ય
ટિળક
12.'સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને હું તે મેળવીને જ જંપીશ.' આ મંત્ર કોણે આપ્યો હતો ?
જવાબ: લોકમાન્ય
ટિળકે
13.'શેર-એ-પંજાબ' તરીકે કોણ જાણીતા બન્યા હતા ?
જવાબ: લાલા લજપતરાય
14.સાયમન કમિશનના વિરોધ પ્રદર્શન વખતે પોલીસના લાઠીચાર્જને કારણે કોનું
અવસાન થયું ?
જવાબ: લાલા લજપતરાય
15.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો ?
જવાબ: કટકમાં
16.સુભાષચંદ્ર બોઝે ક્યો પક્ષ સ્થાપ્યો ?
જવાબ: ફોરવર્ડ
બ્લૉક
17.'આઝાદ હિંદ ફોજ'ની રચના કોણે કરી
હતી ?
જવાબ: કૅપ્ટન
મોહનસિંગે
18.'આઝાદ હિંદ ફોજ'ના વડા બન્યા પછી
સુભાષબાબુ ક્યા નામે ઓળખાયા ?
જવાબ: નેતાજી
19.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજને ક્યું સૂત્ર આપ્યું ?
જવાબ: 'ચલો દિલ્લી'
20.દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન કયા દેશ પર અણુબૉમ્બ ફેંકવામાં આવ્યા ?
જવાબ: જાપાન
21.કયા પાશ્ચાત્ય પુરાતત્ત્વવિદે ભારતની સંસ્કૃતિની ગૌરવગાથાના અવશેષો
શોધી કાઢ્યા ?
જવાબ: કનિંગહામે
22.કયા નિવૃત્ત અંગ્રેજ અધિકારીના પ્રયત્નોથી હિંદી રાષ્ટ્રીય મહાસભાની
સ્થાપના થઈ ?
જવાબ: એ. ઓ.
હ્યુમના
23.હિંદી રાષ્ટ્રીય મહાસભાએ શરૂઆતમાં અંગ્રેજ સરકાર સમક્ષ કરેલી
માગણીઓમાં નીચેનામાંથી કઈ માગણી ન હતી ?
જવાબ: અદાલતોમાં
હિંદી ન્યાયાધીશો નીમવા.
24.વાઇસરૉય લૉર્ડ કર્ઝને બંગાળાના ભાગલા ક્યારે પાડ્યા ?
જવાબ: ઈ.સ. 1905માં
25.ઈ.સ. 1901માં શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય
કોણે શરૂ કરી ?
જવાબ: રવીન્દ્રનાથા
ટાગોરે
26.જહાલવાદ એટલે શું ?
જવાબ: ઉગ્ર અને
સક્રિય આંદોલનમાં માનનારા.
27.નીચેનામાંથી કોણ જહાલવાદી નેતા ન હતા ?
જવાબ: ગોપાલકૃષ્ણ
ગોખલે
28.મવાળવાદ એટલે શું ?
જવાબ: નરમ
કાર્યશૈલીમાં માનનારા.
29.અંગ્રેજ સરકારે કયા નેતા પર યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો આરોપ
મૂક્યો હતો ?
જવાબ: બિપિનચંદ્ર
પાલ
30.'મુસ્લિમ લીગ'ની સ્થાપના ક્યારે થઈ ?
જવાબ: ઈ.સ. 1906માં
31.ઈ.સ. 1916માં કૉંગ્રેસે અને મુસ્લિમ લીગે તેમનાં વાર્ષિક અધિવેશનો એકસાથે કયા
શહેરમાં ભર્યાં ?
જવાબ: લખનૌમાં
32.સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો ?
જવાબ: ઈ.સ. 1897માં
33.ઈ.સ. 1938માં હરિપુરામાં અને ઈ.સ. 1939માં ત્રિપુરામાં ભરાયેલા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ કોણ બન્યા હતા ?
જવાબ: સુભાષચંદ્ર
બોઝ
34.સુભાષચંદ્ર બોઝે 'કામચલાઉ સરકાર'ની સ્થાપના કયાં કરી ?
જવાબ: સિંગાપુરમાં
35.સુભાષચંદ્ર બોઝે કઈ પ્રતિજ્ઞા લીધી હતી ?
જવાબ: 'હું ગુલામ હિંદુસ્તાનમાં પગ મૂકીશ નહિ.'
36.ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિનાં પરિબળો ખાસ કરીને ક્યારે વિકાસ પામ્યા ?
જવાબ: ઇ.સ. 1857ના પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ બાદ
37.આપણા દેશમાં આપણું રાજ્ય એટલે શું ?
જવાબ: સ્વરાજ્ય
38.અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા હતા ?
જવાબ: ઇંગ્લૅન્ડ
39.ભારતમાં અંગ્રેજ શાસન દરમ્યાન ક્યા માલ ઉપર વધુ જકાત લેવામાં આવતી
હતી ?
જવાબ: હિંદમાં
ઉત્પન્ન થયેલા
40.'બંગાળ બ્રિટિશ ઇન્ડિયન સોસાયટી' નામનું પ્રાદેશિક સંગઠન ક્યાં હતું ?
જવાબ: કોલકાતામાં
41.'બૉમ્બે એસોસિયેશન' નામનું પ્રાદેશિક
સંગઠન ક્યાં હતું ?
જવાબ: મુંબઈમાં
42.'મદ્રાસ નેટિવ સભા' નામનું પ્રાદેશિક
સંગઠન ક્યાં હતું ?
જવાબ: ચેન્નાઈમાં
43.'ઇન્ડિયન એસોસિયેશન' નામનું પ્રાદેશિક
સંગઠન ક્યાં હતું ?
જવાબ: કોલકાતામાં
44.'સાર્વજનિક સભા' નામનું પ્રાદેશિક
સંગઠન ક્યાં હતું ?
જવાબ: પૂણેમાં
45.હિંદી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના ક્યારે કરવામાં આવી ?
જવાબ: ઈ.સ. 1885માં
46.હિંદી રાષ્ટ્રીય મહાસભાના પ્રથમ અધિવેશનમાં કેટલાં પ્રતિનિધિઓએ હાજરી
આપી હતી ?
જવાબ: 72
47.હિંદી રાષ્ટ્રીય મહાસભાની રજૂઆતને લીધે સરકારે શાના પરના નિયંત્રણો
દૂર કર્યા ?
જવાબ: અખબારો પરનાં
48.લોર્ડ કર્ઝને ઓરિસ્સા અને બિહાર પ્રદેશને બદલે બંગાળાના કયા
ધર્મનીબહુમતી ધરાવતા વિસ્તારને અલગ કર્યો ?
જવાબ: મુસ્લિમ
49.બંગાળના ભાગલા રદ કરવા માટેના આંદોલનને કયા નામે ઓળખવામાં આવે છે ?
જવાબ: બંગભંગ
આંદોલન
50.અંગ્રેજોને કઈ સાલમાં બંગાળના ભાગલા રદ કરવાની ફરજ પડી ?
જવાબ: ઈ.સ. 1911માં
51.બંગાળામાં ઈ.સ. 1907માં અનુક્રમે કેટલી
રાષ્ટ્રીય માધ્યમિક શાળાઓ અને રાષ્ટ્રીય પ્રાથમિક શાળાઓ શરૂ કરવામાં આવી ?
જવાબ: 25, 300
52.બંગાળના ભાગલાની ચળવળનું લક્ષણ કયું હતું ?
જવાબ: આપેલા ત્રણેય
53.'લાલ, બાલ, પાલ'ની ત્રિપુટીથી કોણ ઓળખાતુ હતું ?
જવાબ: લાલા લજપતરાય, બાળ ગંગાધર, બિપિનચંદ્ર પાલ
54.લોકમાન્ય ટિળકે કયા બે ઉત્સવો ઊજવવાનું શરૂ કર્યું ?
જવાબ: ગણેશ ચતુર્થી
અને શિવાજી જયંતિ
55.લોકમાન્ય ટિળકે મરાઠી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
જવાબ: કેસરી
56.લોકમાન્ય ટિળકે અંગ્રેજી ભાષામાં કયું વર્તમાનપત્ર શરૂ કર્યું ?
જવાબ: મરાઠા
57.લાલા લજપરાયે કયા વર્તમાનપત્ર શરૂ કર્યા ?
જવાબ: ધી પંજાબી
અને ધી પ્યુપિલ
58.બિપિનચંદ્ર પાલે અનુક્રમે કયું સામયિક અને વર્તમાનપત્ર શરૂ કર્યું ?
જવાબ: ન્યૂ ઇન્ડિયા
અને વંદેમાતરમ્
59.ઇ.સ. 1916માં પૂનામાં કોણે 'ઇન્ડિયન હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
જવાબ: બાળ ગંગાધર
ટીળકે
60.ઇ.સ. 1916માં મદ્રાસમાં કોણે 'હોમરૂલ લીગ'ની સ્થાપના કરી ?
જવાબ: ઍની બેસન્ટે
61.હોમરૂલ લીગની નામની સંસ્થાનો હેતું શું હતો ?
જવાબ: બંધારણીય
માર્ગે ગૃહસ્વરાજ્ય મેળવવાનો
62.ઍની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને શું આપવા અનુરોધ કર્યો ?
જવાબ: જવાબદાર
રાજ્યતંત્ર અને ગૃહસ્વરાજ્ય
63.સુભાષચંદ્ર બોઝની માતાનું નામ શું હતું ?
જવાબ: પ્રભાવતી
64.સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું ?
જવાબ: જાનકીનાથ
65.સુભાષચંદ્ર બોઝ કેટલી વખત રાજકીય કેદી તરીકે પકડાયા ?
જવાબ: 11
66.આઝાદ હિંદ ફોજે શા કારણે પીછેહઠ કરી ?
જવાબ: પુરવઠાની
તંગી અને ભારે વરસાદને કારણે
67.સુભાષચંદ્ર બોઝનું મૃત્યું કઈ રીતે થયું ?
જવાબ: વિમાન
દુર્ઘટનાથી
68.જાપાન સરકાર સાથે કોને મતભેદ થતા આઝાદ હિંદ ફોઝમાંથી મોહનસિંગે
રાજીનામું મૂક્યું ?
જવાબ: રાસબિહારી
બોઝને
69.સુભાષચંદ્ર બોઝે ભારતને કયો મંત્ર આપ્યો ?
જવાબ: 'જય હિંદ'
70.'તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આઝાદી
દૂંગા.' આ સૂત્ર કોણે આપ્યું હતું ?
જવાબ: સુભાષચંદ્ર
બોઝે
71.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં કેટલી લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી ?
જવાબ: 4
72.સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજમાં એક સ્ત્રી લશ્કરી ટુકડી ઊભી કરી
તેનું નામ શું આપ્યું હતું ?
જવાબ: ઝાંસીની રાણી
*****
download link pdf file
No comments:
Post a Comment