# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Friday 23 February 2018

⚫સામાજિક વિજ્ઞાન⚫ ⚫ધોરણ: 8⚫ ⚫સત્ર: 1⚫ 🔮પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?🔮

Ss8🔮પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?🔮

⚫સામાજિક વિજ્ઞાન⚫
⚫ધોરણ: 8⚫
⚫સત્ર: 1⚫
🔮પ્રકરણ - 2 આપણી આસપાસ શું ?🔮
📇પૃથ્વીના મુખ્ય આવરણો કેટલાં છે ?
✔ચાર
📇પૃથ્વીનું કયું આવરણ જોઈ શકાતું નથી ?
✔વાતાવરણ
📇મૃદાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે ?
✔ 29%
📇પૃથ્વીનું કયું આવરણ રંગ, સ્વાદ અને વાસ રહિત છે ?
✔ વાતાવરણ
📇પૃથ્વીના જે ભાગ ઉપર આપણે વસવાટ કરીએ છીએ, તેને કયું આવરણ કહે છે ?
✔મૃદાવરણ
📇પૃથ્વીના પેટાળમાં રહેલા ખડકોના પીગળેલા રસને શું કહે છે ?
✔ મેગ્મા
📇જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા વિસ્તાર રોકે છે ?
✔ 71%
📇પૃથ્વી પર કેટલા મહાસાગરો આવેલા છે ?
✔ચાર
📇મીઠા પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
✔ વરસાદ
📇પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે ?
✔ 97%
📇વાતાવરણમાં નાઈટ્રોજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
✔ 78%
📇વાતાવરણમાં ઑક્સિજન વાયુંનું પ્રમાણ આશરે કેટલા ટકા છે ?
✔ 21%
📇વાતાવરણનો કયો વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોને અવરોધીને પૃથ્વી પર પહોંચતાં રોકે છે ?
✔ ઓઝોન
📇ભેજ ઠરવાની ક્રિયાને શું કહે છે ?
✔ ઘનીભવન
📇ક્યા વાયુનું પ્રમાણ વધવાથી પૃથ્વી પર ગરમીનું પ્રમાણ વધે છે ?
✔CO2
📇વધુ વાહનોની અવરજવરવાળા વિસ્તારોમાં ક્યા વાયુના પ્રમાણમાં વધારો થાય છે ?
✔કાર્બન મોનોક્સાઈડ
📇આપણને સ્ફૂર્તિ અને તાજગી આપતો વાયુ કયો છે ?
✔ ઓઝોન
📇વાતાવરણના કયા ઘટકને કારણે પૃથ્વી પર પડતો સૂર્યપ્રકાશ ચોતરફ ફેલાય છે ?
✔ રજકણો
📇સૂર્યનું કુટુંબ ક્યા નામે ઓળખાય છે ?
✔સૌર પરિવાર
📇મહાસાગરોમાં વધારેમાં વધારે ઊંડી ખાઈઓ કેટલા કિલોમીટરની છે ?
✔ 10 થી 11
📇પૃથ્વી સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે, તેને શું કહે છે ?
✔જલાવરણ
📇પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને શું કહે છે?
✔વાતાવરણ
📇વાતાવરણ પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે ?
✔1600 કિલોમીટર
📇વાતાવરણમાં ભારે વાયુ કયો છે ?
✔કાર્બન ડાયોક્સાઈડ
📇પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપી છે, તેને શું કહે છે ?
✔જીવાવરણ
📇પૃથ્વી પરનું કેટલું પાણી સમુદ્રમાં છે ?
✔ 97%
📇પૃથ્વીના ઉદ્ભવનો સ્વરૂપની દ્રષ્ટિએ સાચો ક્રમ કયો છે ?
✔વાયુ, પ્રવાહી, ઘન
📇મૃદ એટલે શું ?
✔માટી
📇પૃથ્વીનો ઉપરનો પોપડો માટી અને ખડકો જેવા ઘન પદાર્થોનો બનેલો છે તેથી તેને શું કહે છે ?
✔ઘનાવરણ
📇ઘનાવરણને બીજું શું કહે છે ?
✔શીલાવરણ
📇પૃથ્વીનો પોપડો આશરે કેટલી જાડાઈ ધરાવે છે ?
✔64 થી 100 કિમી
📇આપણે પૃથ્વીના પેટાળમાં જેમ જેમ ઊંડે જતા જઈએ તેમ તેમ શામાં વધારો થતો જાય છે ?
✔તાપમાનમાં
📇ગરમી અને દબાણ જેવાં બળો વચ્ચે સમતુલા જળવાય નહિ, ત્યારે કઈ આપત્તિ આવે ?
✔ જ્વાળામુખી
📇મારા ઉપર ઘર બાંધવામાં આવે છે, કહો હું કોણ ?
✔ મૃદાવરણ
📇આમાંથી કયું નામ મહાસાગરનું નથી ?
✔ ઍન્ટાર્કટિકા
📇સૌર પરિવારમાં માત્ર શાના પર સજીવોને જીવવા માટે અનુકૂળ તાપમાન, પાણી અને હવા છે ?
✔ પૃથ્વી
📇જલાવરણના વિશાળ જળભંડાર ધરાવતા ભાગોને શું કહેવામાં આવે છે ?
✔મહાસાગર
📇વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક કયું છે ?
✔ પાણી
📇ઑક્સિજનના જલદપણાને કયો વાયું મંદ કરે છે ?
✔નાઈટ્રોજન
📇ક્યા વાયુઓ પૃથ્વી પરની જીવસૃષ્ટિને જીવંત રાખે છે ?
✔ ઑક્સિજન અને નાઈટ્રોજન
📇પૃથ્વી સપાટીથી જેમ ઉપર જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનાં પ્રમાણમાં શું થાય છે ?
✔ ઘટાડો થાય છે.
📇નીચેનામાંથી ભેજનું સ્વરૂપ કયું નથી ?
✔નદી
📇ગરમીથી બાષ્પ બની પાણી વરાળ સ્વરૂપે હવામાં ભળે છે, તેને શું કહે છે ?
✔ ભેજ
📇પૃથ્વી પરની જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થતો નથી ?
✔ કમ્પ્યુટર
📇જીવાવરણના અજૈવિક વિભાગમાં કોનો સમાવેશ થતો નથી ?
✔સૂક્ષ્મ જીવાણુઓ
🔃સમીર પટેલ 🔃
📮🎶📮🎶📮🎶📮🎶📮

No comments:

Post a Comment