# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 23 January 2021

સામાજિક વિજ્ઞાન, ધોરણ: 8, સત્ર: 2 પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી

 

રાણેકપર પ્રાથમિક શાળા – હળવદ

અશ્વિન પટેલ મો. ૯૮૨૪૬૧૯૨૭૦

સામાજિક વિજ્ઞાન,   ધોરણ: 8,   સત્ર: 2
પ્રકરણ - 12 આઝાદી અને ત્યાર પછી

કુલ પ્રશ્નો: 44  /   કુલ ગુણ: 44

1.આપણો દેશ ક્યારે આઝાદ થયો ?

જવાબ: 15/8/1947

2.ભારત આઝાદ થયો ત્યારે દેશમાં કેટલાં દેશી રાજ્યો હતાં ?

જવાબ: 562

3.ભારતના ભાગલા પાડવાનો નિર્ણય કોણે કર્યો ?

જવાબ: લોર્ડ માઉન્ટ બેટને

4.માઉન્ટબેટન યોજનાના અમલ માટે કયો ધારો પસાર કરવામાં આવ્યો ?

જવાબ: હિંદ સ્વાતંત્ર્ય ધારો

5.પાકિસ્તાનના સૌપ્રથમ રાષ્ટ્રપ્રમુખ તરીકે કોની પસંદગી થઈ ?

જવાબ: મહંમદઅલી ઝીણાની

6.સ્વતંત્ર ભારતના છેલ્લા ગવર્નર જનરલ તરીકે કોની પસંદગી થઈ ?

જવાબ: ચક્રવર્તી રાજગોપાલાચારી

7.સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોને નિમવામાં આવ્યા ?

જવાબ: લૉર્ડ માઉન્ટ બેટનને

8.ભાતરના પ્રથમ વડા પ્રધાનનો હોદ્દો કોણે સંભાળ્યો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

9.સર સી.પી. રામસ્વામી ઐયરે કયા રાજ્યને સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય તરીકે જાહેર કર્યું ?

જવાબ: ત્રાવણકોર રાજ્યને

10.કયા રાજ્યના નવાબે પોતાના રાજ્યને પાકિસ્તાન સાથે જોડાયેલું જાહેર કર્યું ?

જવાબ: જૂનાગઢ રાજ્યના

11.દેશી રાજ્યોનું ભારતસંઘમાં વિલીનીકરણ કોણે કર્યું ?

જવાબ: સરદાર પટેલે

12.ભારતસંઘમાં જોડાવવાની સૌપ્રથમ પહેલ કયા રાજાએ કરી હતી ?

જવાબ: કૃષ્ણકુમારસિંહજીએ

13.દિલ્લીના લાલ કિલ્લા પરથી પહેલીવાર ત્રિરંગો ધ્વજ કોણે ફરકાવ્યો હતો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

14.ગાંધીજીની હત્યા કોણે કરી ?

જવાબ: નથ્થુરામ ગોડસેએ

15.આધુનિક ભારતના રાષ્ટ્રપિતા કોને કહેવામાં આવે છે ?

જવાબ: ગાંધીજીને

16.બંધારણ સભાની રચના ક્યારે કરવામાં આવી ?

જવાબ: ઈ.સ.1946માં

17.બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા ?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદને

18.બંધારણની મુસદ્દાસમિતિના અધ્યક્ષ તરીકે કોને નીમવામાં આવ્યા ?

જવાબ: ડૉ.બાબાસાહેબ આંબેડકરને

19.આપણું બંધારણ ક્યારથી અમલમાં આવ્યું ?

જવાબ: 26/1/1950

20.ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા ?

જવાબ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

21.હિન્દુસ્તાનના બે ભાગ થતાં લગભગ કેટલા શરણાર્થીઓ પાકિસ્તાનથી ભારત આવ્યા હતા ?

જવાબ: 80 લાખ

22.હિન્દુસ્તાનના બે ભાગ થતાં ભારત માટે કઇ સમસ્યા વિકટ બની હતી ?

જવાબ: આપેલા બધા

23.'ભારતને સ્વતંત્ર થવું હોય તો ભાગલા કરવા અનિવાર્ય છે. જો એમ નહિ કરવામાં આવે, તો સમગ્ર દેશમાં કોમી હુલ્લડો ફાટી નીકળશે, લોકો પરેશાન થશે.' એવો મત કોનો હતો ?

જવાબ: લૉર્ડ માઉન્ટ બેટનનો

24.હિંદ સ્વાતંત્ર્યધારામાં કઈ જોગવાઇ હતી ?

જવાબ: આપેલા બધા

25.દેશી રાજ્યોના વિલીનીકરણમાં સરદારને સાથ આપનાર તેમના સચિવ કોણ હતા ?

જવાબ: વી.પી. મેનન

26.ભારત સંઘમાં જોડવા માટે છેલ્લે કયા ત્રણ દેશી રાજ્યોનો પ્રશ્ન બાકી રહ્યો ?

જવાબ: જૂનાગઢ, હૈદરાબાદ, કાશ્મીર

27.જૂનાગઢના નવાબ વિરૂદ્ધ લડવા માટે શાની સ્થાપના કરવામાં આવી ?

જવાબ: આરઝી હકૂમત

28.આરઝી હકૂમતની સ્થાપના કોણે કરી હતી ?

જવાબ: રતુભાઈ અદાણી

29.જ્યારે પાકિસ્તાને કાશ્મીર પર હુમલો કર્યો ત્યારે ત્યાંના રાજા કોણ હતા ?

જવાબ: હરિસિંહ

30.મુસ્લિમ લીગે ક્યા અધિવેશનમાં સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે પાકિસ્તાનની માગણીનો ઠરાવ પસાર કર્યો ?

જવાબ: લાહોર અધિવેશનમાં

31.ભારતના વાઇસરૉય તરીકે માઉન્ટ બેટને ક્યારે હોદ્દો સંભાળ્યો ?

જવાબ: માર્ચ, 1947માં

32.ઇંગ્લૅન્ડની બ્રિટિશ પાર્લામેન્ટે 'હિંદ સ્વાતંત્ર્ય ધારો' ક્યારે પસાર કર્યો ?

જવાબ: ઇ.સ. 1947માં

33.પાકિસ્તાને કાશ્મીર પર ક્યારે હુમલો કર્યો ?

જવાબ: ઇ.સ. 1948માં

34.ગાંધીજીની હત્યા ક્યારે થઈ ?

જવાબ: 30 જાન્યુઆરી, 1948ના રોજ

35.બંધારણ ઘડવાની પ્રક્રિયા ક્યાં સુધી ચાલી ?

જવાબ: ડિસેમ્બર, 1949 સુધી

36.બંધારણ ઘડવા માટે બંધારણ સભાના કેટલા સત્ર યોજાયા ?

જવાબ: 11

37.બંધારણ ઘડવા માટે બંધારણ સભાની કેટલા દિવસ બેઠકો થઈ ?

જવાબ: 166

38.બંધારણ ઘડવાની પ્રક્રિયામાં લગભગ કેટલા ભારતીયોએ ભાગ લીધો ?

જવાબ: 300

39.આપણે ક્યા દિવસને 'પ્રજાસત્તાકદિન' તરીકે ઊજવીએ છીએ ?

જવાબ: 26 જાન્યુઆરીના દિવસને

40.આપણે ક્યા દિવસને 'સ્વાતંત્ર્યદિન' તરીકે ઊજવવીએ છીએ ?

જવાબ: 15 ઑગસ્ટના દિવસને

41.ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યાં તેને રોકવા ગાંધીજીએ શું કર્યું ?

જવાબ: ઉપવાસ કર્યા.

42.ગાંધીજીનું જે દિવસે મોત થયું તે દિવસે ગાંધીજી સાંજે પ્રાર્થના કરવા માટે ક્યાં જઈ રહ્યા હતા ?

જવાબ: બિરલાહાઉસ

43.'દોસ્તો, સાથીઓ, આપણા જીવનની રોશની બુઝાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર છે. આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી' આ શોકસંદેશો આકાશવાણી પર કોણે આપ્યો ?

જવાબ: જવાહરલાલ નેહરુએ

44.બાપુની સ્મશાન યાત્રા ક્યાં નીકળી ?

જવાબ: દિલ્લીમાં

*****


download link pdf file

download

No comments:

Post a Comment