# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

ગુજરાતની અસ્મિતાને આઘાત - 2


ગુજરાતની અસ્મિતાને આઘાત - 2
·         પ્રકાશન તારીખ30 Jul 2018
·        

પોતાના સગા કાકા અને સસરા જલાલુદીન ખિલજીને ક્રૂર રીતે મારી અને દિલ્હીમાં આતંકનો માહોલ ઊભો કરી સને ૧૨૯૬ના વર્ષે અલાઉદ્દીન ખિલજી દિલ્હીપતિ બન્યો. તે માનતો કે પડકારો ઝીલી ન શકે તે કયારેય દિલ્હી પર રાજ ન કરી શકે’. દિલ્હીના સુલતાન બન્યા પછી તરત જ તેણે વારવાર થતા મોંગોલ આક્રમણને કચડી નાખ્યાં.
હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા.
મોંગોલો પર ૧૨૯૭-૯૯,૧૩૦૪ ના વર્ષમાં હુમલાઓ કરી તેઓ ફરી દિલ્હી તરફ જુએ નહિ તે સ્થિતિમાં મૂકી દીધા. પોતાના કાકા જલાલુદ્દીન ખિલજીએ મોંગોલોને નવ મુસ્લિમો તરીકે દિલ્હીમાં વસાવ્યા હતા તેમનું પણ ભાવિ ભયના ઓથાર નીચે નિકંદન કાઢી નાંખ્યું. આવા મોંગોલોની સંખ્યા ૩૦ હજાર કરતાં વધુ હતી. તેના સમયમાં સગાં વહાલાંઓ અને સ્વધર્મીઓની વલે થતી હોય તો હિંદુ પ્રજાની શી સ્થિતિ હશે તે પણ જોવા જેવું છે. હિંદુઓ માટે તો અલાઉદ્દીનનું શાસન અત્યંત ક્રૂર હતું. હિંદુઓને હથિયારો ધારણ કરવાની અને સારાં વસ્ત્રો પહેરવાની મનાઈ હતી. હિંદુઓ સારા-મોળા પ્રસંગે વિશાળ માત્રામાં ભેગા પણ થઇ શકતા ન હતા. તેમનું સૈનિક અને વહીવટી મહત્વ પણ નહીંવત્ હતું. આવા અલાઉદ્દીનનો વિચાર અગ્નિ એશિયાના દેશો જીતી વિશ્વવિજયનો હતો. તે નિમિત્તે થયેલાં યુદ્ધોમાં એક અગત્યનું યુદ્ધ ગુજરાતના છેલ્લા રાજા કર્ણદેવ વાઘેલા સાથેનું યુદ્ધ છે.

ગુજરાત વિજય એ અલાઉદ્દીન ખિલજીની મહત્ત્વાકાંક્ષા પૈકીની એક હતી. ગુજરાતમાં આ સમયે સોલંકી-વાઘેલા યુગ ચાલી રહ્યો હતો. તેનો છેલ્લો શાસક કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું. તે રોજ વછનાગનું સેવન કરતો અને ઉઘાડી તલવારે ફરતો. હજુરિયાઓ તેનાથી ડરીને નાસી જતા અને રસોઈયાઓ તથા પીરસનારા તેને બારણાં વાસીને પીરસતા. ટૂંકમાં આ રાજાનો મોટો ખોફ રાજ્યના કમચારીઓ અને રૈયત પર હતો. તેના આ પ્રકારના વલણને કારણે લોકોમાં તે કર્ણદેવ વાઘેલાને બદલે કરણ ઘેલા તરીકે વધુ જાણીતો બન્યો હતો. ગુજરાતી સાહિત્યની પહેલી નવલકથા પણ નંદશંકર તુલજાશંકર મહેતાએ આ જ શીર્ષકથી લખી છે.
કર્ણદેવ વાઘેલાના અરાજકીય વલણની નોંધો પ્રબંધ ચિંતામણી જેવા સમકાલીન ગ્રંથો ઉપરાંત બીજા અનેક પુરાવાઓમાંથી સાંપડે છે. તેમાં પાટણના પતન અને અલાઉદ્દીનના વિજય પાછળની રસિક કથાઓ પણ છે. કર્ણદેવ વાઘેલાના મહામાત્યનું નામ માધવ હતું. કામાતુર રહેતા કર્ણદેવે પોતાની પ્રવૃત્તિનો શિકાર માધવ મંત્રીના ભાઈ કેશવની પત્નીને બનાવી હતી. કામઘેલા કર્ણ કેશવની નિર્મમ હત્યા કરી તેની પત્નીને પોતાના અંત :પુરમાં આણી. આ ઘટના માધવ માટે ઘણી જ આઘાતજનક હતી. તે પોતાના રાજા સામે રિસાયો એટલું જ નહીં, વેરની આગમાં તડપતો રહ્યો. આખરે તેણે દિલ્હીના સુલતાન અલાઉદ્દીન ખિલજીને પાટણ બોલાવી લાવવાનું નક્કી કર્યું.
કર્ણદેવ વાઘેલા દંતકથાઓ અને બીજા સાહિત્યમાં પણ બહુ આદરપાત્ર લેખાયો નથી. સમકાલીન સ્રોતો કહે છે કે રાજા કર્ણ ક્ષત્રિય ધર્મનું પાલન કરતો ન હતો. તેનું અંગ કાયમ કામાગ્નિથી વ્યાપ્ત રહેતું.
પાટણથી નીકળતાં પહેલાં મુસલમાનોને અહીં લાવી બદલો ન લઉં ત્યાં સુધી પાટણનું ધાન ન ખાવાની પ્રતિજ્ઞા પણ લીધી. અને માધવ નીકળી પડ્યો દિલ્હીની વાટે. માધવ વીસનગરનો નાગર બ્રાહ્મણ હોવાનું કહેવાય છે, તો કોઈ તેને કચ્છથી આવેલો હોવાનું કહે છે. ઈ.સ. ૧૨૯૪માં તેણે વઢવાણમાં માધાવાવ બંધાવી હતી.
અલાઉદ્દીન તો આવાં નોતરાંની વાટ જ જોતો હતો. કારણકે ભારતમાં મુસ્લિમ શાસનની સ્થાપનાને ૧૦૦ વર્ષ થવા છતાં ગુજરાત જીતી શકાયું ન હતું. તેથી દિલ્હીના સુલતાનો ઇસ્લામિક જગતમાં હાંસીને પાત્ર પણ બનતા હતા. આમ ગુજરાત જીતવાનું સપનું અને તેના જ એક જાણભેદુ દ્વારા તેના માટે નિમંત્રણ મળવું આ બે બાબતો ભેગી થઈ અને દિલ્હીપતિ ગુજરાત વિજય માટે સાબદો થયો. ગુજરાત વિજય પહેલાં તેણે વચ્ચેના પ્રદેશોમાં આવનારી સંભવિત મુશ્કેલીઓનો ક્યાસ કાઢી લીધો હતો. અલાઉદ્દીનના દિમાગમાં ગુજરાતની જીત પાક્કી થઈ ગઈ હતી. હવે વ્યવહારમાં કે પ્રત્યક્ષ જીત મેળવવી બાકી હતી. તેની વાત હવે પછી.
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા


No comments:

Post a Comment