# A R Y A #

મારા આ બ્લોગમા આપ સૌનું હાર્દિક સ્વાગત છે.- ARYA PATEL

Saturday 6 October 2018

ગુજરાતની અસ્મિતાને આઘાત - 3


ગુજરાતની અસ્મિતાને આઘાત - 3
·         પ્રકાશન તારીખ31 Jul 2018
·        

અલાઉદ્દીન ખિલજી જે તકની રાહ જોતો હતો તે માધવ મંત્રીની સહાયથી પાકેલા ફળની જેમ તેના ખોળામાં પડી. અલાઉદ્દીન જુદી તાસીરનો વ્યક્તિ - શાસક હતો. તેના રાજમાં વેપારીઓ કોઈ પણ પ્રકારની ચોરી કરી શકતા નહીં, કારણકે વજનમાં ઘટ આપતા વેપારી પકડાતો તો તેના શરીરમાંથી વજનમાં ઘટ જેટલું જ માંસ કાપી લેવામાં આવતું હતું. જીતલ અને ટકા નામનાં ચલણ દ્વારા તેણે આર્થિક બાબતોમાં કેટલીક નવી રીતરસમો દાખલ કરી હતી. આધુનિક આર્થિક ઈતિહાસકારો તો અલાઉદીનને અર્થશાસ્ત્રી તરીકે મૂલવે છે. છતાં કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં.
પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો. ટૂંકમાં અલાઉદ્દીનના સુલતાન બન્યા પછી દિલ્હીમાં સહુ કોઈ ભયના ઓથાર નીચે જીવતા હતા.
કોઈના પર ભરોસો ન કરવો તે અલાઉદ્દીનના સ્વભાવમાં હતું. એટલે સુધી કે પત્નીઓ અને પુત્રો પર પણ નહીં. પરિણામે તેનો વારસો તૈયાર થવો જોઈએ તે ન થયો.

સતત શંકાશીલ માનસ સાથે કામ કરતા સુલતાને દોઢ લાખની સેના સાથે ગુજરાત અભિયાનની શરૂઆત કરી. અલાઉદ્દીનના લશ્કરમાં સિંધીઓ, વટલાયેલા મુસ્લિમો અને મોંગોલો વિશેષ હતા. તેના સેનાપતિઓમાં ઉલુઘખાન, નુસરતખાન, મોહમ્મદશાહ, તમરબેગ વગેરે જેવા ભરશિયાળે પરસેવો વાળી દે તેવા યોદ્ધાઓ હતા. સંખ્યાની વાત કરીએ તો ૧૫ હજાર વટલાયેલા મુસ્લિમો અને ૩ હજાર ઝુઝારૂ મોંગોલો હતા. અલાઉદ્દીનના ગુજરાત અભિયાનમાં સીધું ગુજરાત આવતું ન હતું. વચ્ચે મારવાડ, મેવાડ જેવાં ઘણાં રાજપૂત રાજ્યો આવતાં હતાં, જેમને ભેદવાં કે પોતાના સમર્થનમાં લેવાં જરૂરી હતાં. વર્ષ ૧૩૦૦માં સુલતાની સેનાએ રણથંભોર કબજે કરી લીધું. પશ્ચિમ મારવાડ સુધી તો તેની યાત્રા સમી સૂતરી ચાલી.
ચિતોડના રાજા સમરસી રાવળે ગુજરાત સાથેનું જૂનું વેર વાળવા દિલ્હીના લશ્કરને માર્ગ કરી આપ્યો અને એ રીતે એક કાંકરે બે પક્ષી માર્યાં. એક, અલાઉદ્દીનના લશ્કરથી ચિત્તોડને બચાવ્યું અને બીજું, ગુજરાત સાથે વેર વાળવાની તમન્ના પણ પૂરી કરી.
આ દરમિયાન તાજેતરમાં વિવાદનો મુદ્દો બનેલા રાણી પદ્માવતીની ઘટના બની હતી. ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું.

પણ બધા રાજપૂત રાજાઓ ચિત્તોડ નરેશ જેવા ન હતા. ઉદા. તરીકે ઝાલોરનો રાજા કાન્હડદે ચૌહાણ અલાઉદીનના માર્ગમાં મોટો અવરોધ હતો. અલાઉદ્દીને કાન્હડદેને પોશાક ભેટ કરી લશ્કરને પસાર થવા વિશે પુછાવ્યું પણ તે સમધર્મી વિરુદ્ધ વિધર્મીને મદદ કરવા તૈયાર ન થયો. તેણે અલાઉદ્દીનને રસ્તો આપવાની ઘસીને ના પડી દીધી. પરિણામે થયેલા હિંસક સંઘર્ષનું રસિક વર્ણન પદ્મનાભ કૃત "કાન્હડદે પ્રબંધ" નામના મધ્યકાલીન ગ્રંથમાંથી પ્રાપ્ત થાય છે.
ફિલ્મ નિર્માણમાં ભલે ગમે તે દર્શાવી શકાતું હોય પણ પદ્માવતીનો વસ્તુલક્ષી ઈતિહાસ એમ કહે છે કે તેણે વર્ષ ૧૩૦૩માં ચિત્તોડના કિલ્લામાં પોતાના પતિ પાછળ સતી થઈ મરવાનું પસંદ કર્યું હતું.

દિલ્હીથી નીકળેલું તુર્ક લશ્કર આજનું રાજસ્થાન વટાવી ગુજરાતમાં પ્રવેશ્યું. ગુજરાતના મોડાસાથી શરૂઆત થઇ સુલતાનનું લશ્કર આગ લગાડતું લોકોને ડરાવતું ગુજરાતના સીમાડે આવ્યું. તે પહેલાં તો અલાઉદ્દીનના લશ્કરનો બુમારો (ભય) ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચી ગયો હતો. ગુજરાતમાં અલાઉદ્દીન સામે સંપૂર્ણ શરણાગતિની સ્થિતિ પણ ન હતી. મોડાસામાં બત્તડ નામનો ઠાકોર અલાઉદ્દીન અને કર્ણદેવ વચ્ચે અવરોધ બનીને ઊભો હતો. તેની પાસે મોટી સેના ન હતી, પણ જુસ્સો ખુબ મોટો હતો. બત્તડ ઠાકોરે અલાઉદ્દીનના સૈન્ય સામે રીતસર કેસરિયાં કર્યાં. ખિલજી સેના મોડાસામાં આગ લગાડતી, લૂંટફાટ કરતી, ગામોનાં ગામો બાળતી આગળ વધતી હતી. મોડાસામાં માતમ મનાવ્યા પછી ખિલજી સેના સીધા પાટણ પર હુમલો કરવાને બદલે બનાસકાંઠાના ધણધાર થઇ આજના મહેસાણા જીલ્લાના ડાંગરવા ગામે પહોંચી. હવે અલાઉદ્દીન ખિલજીની સેના માટે છેલ્લું કદમ બાકી રહ્યું હતું અને તે ગુજરાતની રાજધાની પાટણ. પાટણ આવી પહોંચેલા અલાઉદ્દીન ખિલજીના સંભવિત હુમલાથી ગુજરાત નરેશ કર્ણદેવ વાઘેલા તદ્દન બેખબર ન હતો. તેણે પણ દિલ્હીના સુલતાનનો સામનો કરવા કમર કસી હતી. કારણ કે પાટણપતિ પાસે તે સમયે ૮૦ હજારનું પાયદળ, ૩ હજારનું અશ્વદળ અને ૩૦ જેટલા હાથીઓ હતા. અને મુકાબલો બરાબરનો થશે તેવી સહુ કોઈ આશા રાખતા હતા, પણ આખરે શું થયું તેની રોમાંચક વાતો આવતી કાલે.
(
ક્રમશઃ)
arun.tribalhistory@gmail.com

આભાર -  અરુણભાઈ  વાઘેલા


No comments:

Post a Comment